શોધખોળ કરો

Covid Vaccine : કોવેક્સીન કે કોવિશીલ્ડમાં કઈ વેક્સિન સૌથી બેસ્ટ? સ્ટડીમાં થયો ચોંકાવનારો ખલાસો

અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, બંને રસીઓએ સેરોનેગેટિવ અને સેરોપોઝિટિવ વ્યક્તિઓ અથવા કોવિડ-19 ચેપમાંથી સ્વસ્થ થયેલા લોકોમાં આંકડાકીય રીતે નોંધપાત્ર એન્ટિબોડી સ્તરો પ્રાપ્ત કર્યા છે.

Covid 19 Update : કોરોનાની વેક્સીનને લઈને મહત્વનો ખુલાસો થયો છે. જુદા જુદા કેન્દ્રોના અભ્યાસ મુજબ, SARS-CoV-2 વાયરસ અને તેના ચિંતાજનક સ્વરૂપો સામે 'Covaxin' રસી મેળવનારા લોકો કરતાં 'CovidShield' લેનારા લોકોમાં વધુ સારી રોગપ્રતિકારક શક્તિ જોવા મળી છે. આ અભ્યાસ 'મેડઆરજીવ' સર્વર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી તેની સમીક્ષા નથી કરાઈ.

અભ્યાસમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે, બંને રસીઓએ સેરોનેગેટિવ અને સેરોપોઝિટિવ વ્યક્તિઓ અથવા કોવિડ-19 ચેપમાંથી સ્વસ્થ થયેલા લોકોમાં આંકડાકીય રીતે નોંધપાત્ર એન્ટિબોડી સ્તરો પ્રાપ્ત કર્યા છે. જૂન 2021 અને જાન્યુઆરી 2022 દરમિયાન સંશોધકોએ શહેરી અને ગ્રામીણ બેંગલુરુ અને પુણેમાં ચાર સ્થળોએ 18-45 વર્ષની વયના 691 સહભાગીઓ પર આ મામલે અભ્યાસ હાથ ધર્યો હતો.

સહભાગીઓને કોવેક્સિનના બે ડોઝ 28 દિવસના અંતરે અથવા કોવિશિલ્ડના બે ડોઝ ત્રણ મહિનાના અંતરે આપવામાં આવ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, જે લોકોએ 'કોવિડશિલ્ડ' લીધી હતી તેઓએ SARS-CoV-2 વાયરસ અને તેના ચિંતાજનક સ્વરૂપો સામે 'કોવેક્સિન' રસી મેળવનારા લોકો કરતાં વધુ સારી રોગપ્રતિકારક શક્તિ વિકસાવી હતી.

એક નવા અભ્યાસ મુજબ, કોવેક્સિન લેનારાઓની તુલનામાં કોવિશિલ્ડ લેનારાઓમાં ચિંતાના COVID-19 વેરિઅન્ટ (VOC) સામે તટસ્થ એન્ટિબોડી પ્રતિભાવો વધારે જણાયા હતાં. એટલું જ નહીં, સેરોપોઝિટિવ વ્યક્તિઓ (જેઓ પહેલેથી જ ચેપગ્રસ્ત હતા અને રસીકરણના પ્રથમ ડોઝ પહેલાં કોવિડમાંથી સ્વસ્થ થયા હતા) સેરોનેગેટિવ વ્યક્તિઓ કરતાં વધુ પ્રતિસાદ દર્શાવ્યો હતો.

ડૉ બલના કહેવા પ્રમાણે... 

આ અભ્યાસ બે મુખ્ય પ્રશ્નોને સંબોધે છે. પહેલું એ છે કે, શું રસીકરણના પરિણામો જુદા જુદા હોય છે? જો વ્યક્તિ પહેલાથી જ ચેપગ્રસ્ત હતાં અને વેક્સિનનો પહેલા ડોઝ પેહલા જ કોરોનાથી સાજા થયા હતાં કે નહીં? 

બીજો પ્રશ્ન એન્ટિબોડી પ્રતિભાવોને ટ્રિગર કરવાની તેમની ક્ષમતાના સંદર્ભમાં બે રસીઓની સંબંધિત શક્તિ વિશે હતો. ડૉ બાલે જણાવ્યું હતું કે, અમે એ જાણવાની કોશિશ કરી કે શું બે ડોઝનું પ્રમાણ એન્ટિબોડી પ્રતિક્રિયા પેદા કરે છે અને શું Covaxin અને Covishield રસી લેનારાઓમાં ઉત્પન્ન એન્ટિબોડીઝની માત્રા તુલનાત્મક છે કે કેમ?.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કોવિશિલ્ડના પહેલા અને બીજા ડોઝ બાદ સેરોનેગેટિવ વ્યક્તિઓમાં એન્ટિબોડીઝની સાંદ્રતા 2.1 અને 7.6 ગણી વધી છે, પરંતુ કોવેક્સિનમાં એન્ટિબોડીઝના આવા ઉચ્ચ સ્તરો જોવા મળ્યા નથી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભણવા અને ભણાવવામાં 'ઢ' કોણ?Hun To Bolish : હું તો બોલીશ : મહાકુંભમાં પણ VIP કલ્ચર?Mehsana News | મહેસાણામાં BHMSમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાતMaha Kumbh Stampede: મહાકુંભમાં ભાગદોડથી 30ના મોત, એક ગુજરાતી શ્રધ્ધાળુનું પણ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: કર્ણાટકના 4,આસામના 1 અને ગુજરાતના 1, જાણો ભાગદોડમાં કયા રાજ્યના કેટલા લોકોએ ગુમાવ્યો જીવ?
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: બ્રહ્મ મુહૂર્તમાં ડૂબકી મારવાની રાહ, ભીડ વધી અને તૂટ્યા બેરિકેડ્સ ! મહાકુંભમાં થયેલી ભાગદોડના 10 મોટા અપડેટ્સ
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Mahakumbh Stampede: મહાકુંભમાં થયેલી ભાગદોડમાં કેટલા લોકોના થયા મોત? પ્રશાસને જાહેર કર્યો આંકડો
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Accident: સાઉદી અરેબિયામાં ભયાનક અકસ્માત, 9 ભારતીયોના મોત; એસ જયશંકરે કહ્યું- પીડિત પરિવારોની મદદ માટે તૈયાર
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Maha Kumbh Stampede: મહાકુંભ ભાગદોડ બાદ ભાવુક થયા સીએમ યોગી, કરી 3 મોટી જાહેરાત, જાણો શું લીધો નિર્ણય?
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Fact Check: શું મહાકુંભમાં સીએમ યોગીએ અખિલેશ યાદવ સાથે સેલ્ફી લીધી? જાણો વાયરલ તસવીરનું સત્ય
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Embed widget