શોધખોળ કરો

Defamation Case: ગુજરાત યુનિવર્સિટીના માનહાનિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે કોઈ રાહત ન આપી

સેશન્સ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે 11 ઓગસ્ટે હાજર થવા માટે કહ્યું છે.

Defamation Case: ગુજરાત યુનિવર્સિટી ડિફેમેશન કેસમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આંચકો લાગ્યો છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે માનહાનિના કેસમાં અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે સમન્સ જારી કર્યું હતું. આ મામલે અમદાવાદ સેશન્સ કોર્ટે બન્નેને રાહત આપી ન હતી અને હવે ગુજરાત હાઈકોર્ટ પણ આ કેસમાં બન્ને નેતાઓને વચગાળાની કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટ ગુજરાત યુનિવર્સિટીને નોટીસ ફટકારી છે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી બાબતની માહિતીને લઈને નેતાઓએ કરેલા નિવેદને પગલે ગુજરાત યુનિવર્સિટીએ કેસ દાખલ કર્યો છે.

સેશન્સ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે 11 ઓગસ્ટે હાજર થવા માટે કહ્યું છે.

જો અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના સાંસદ સંજય સિંહ ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં હાજર થવા માંગતા ન હોય તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ હાઈકોર્ટમાં પણ બન્ને નેતાઓને કોઈ રાહત મળી નથી.

નોંધનીય છે કે, ગત વખતે દિલ્હીમાં આવેલા પૂરને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે ગેરહાજર રહેવાની અરજી સ્વીકારી હતી. ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીની ડિગ્રી વિવાદના સંદર્ભમાં યુનિવર્સિટીની છબી ખરાબ કરવા બદલ અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

પીએમ મોદીની ડિગ્રી બતાવવાના સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન (CIC)ના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આ વર્ષે 31 માર્ચે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે CICના આદેશને બાજુ પર રાખ્યો હતો અને અરવિંદ કેજરીવાલ પર દંડ ફટકાર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ અરવિંદ કેજરીવાલ અને પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકાર પરિષદમાં બંને નેતાઓએ કરેલા નિવેદનોના આધારે ગુજરાત યુનિવર્સિટીએ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહ્યો છે. જેમાં બંને નેતાઓને બીજી વખત સમન્સ પાઠવવામાં આવ્યા છે.

કેજરીવાલ અને સિંહે આ ટિપ્પણી ગુજરાત યુનિવર્સિટી (GU)ને પીએમ મોદીની ડિગ્રી વિશે માહિતી પ્રદાન કરવા માટેના મુખ્ય માહિતી કમિશનરના આદેશને ગુજરાત હાઇકોર્ટે રદ કરવાનો આદેશ આપ્યા પછી કરી હતી. ફરિયાદી અનુસાર, બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર મોદીની ડિગ્રીને લઈને યુનિવર્સિટીને નિશાન બનાવીને અપમાનજનક નિવેદનો કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
Low Calorie Snacks: મગફળી કે મખાના... વજન ઘટાડવા માટે કયો નાસ્તો છે શ્રેષ્ઠ?
"જો 24 કલાકની અંદર જવાબ નહીં મળે તો..."Indigo સામે કાર્યવાહી કરશે સરકાર? CEO ને કારણ બતાવો નોટિસ જારી
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી બનાવ્યો વિશ્વ રેકોર્ડ, લખ્યો નવો ઈતિહાસ
Embed widget