![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ED Raid: કેજરીવાલની પત્નીના સંબંધીઓને ત્યાં EDના દરોડા, FEMA મામલે થઇ કાર્યવાહી
સુનીતા કેજરીવાલના સંબંધીનું નામ એસપી ગુપ્તા છે, જેમના દિલ્હીના સુંદર નગર વિસ્તારમાં સ્થિત ઘર પર દરોડો પાડવામાં આવ્યો છે.
![ED Raid: કેજરીવાલની પત્નીના સંબંધીઓને ત્યાં EDના દરોડા, FEMA મામલે થઇ કાર્યવાહી delhi cm arvind kejriwal wife sunita kejriwal relative ed raid ED Raid: કેજરીવાલની પત્નીના સંબંધીઓને ત્યાં EDના દરોડા, FEMA મામલે થઇ કાર્યવાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/28/6bbd65d9e38d0e30e4bb707a99c8218b171161461539374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ED Raid: ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્નીના સંબંધીઓના ઘરે દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના સંબંધીના ઘરે દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીએ 26 માર્ચ (મંગળવાર)ના રોજ સવારે 8 વાગ્યાથી 27 માર્ચ (બુધવાર)ના રોજ સાંજે 6 વાગ્યા સુધી દરોડા પાડ્યા છે. ED દ્વારા આ કાર્યવાહી ફેમા સાથે જોડાયેલા એક જૂના કેસમાં કરવામાં આવી છે. સુનીતા કેજરીવાલના સંબંધીનું નામ એસપી ગુપ્તા છે, જેમના દિલ્હીના સુંદર નગર વિસ્તારમાં સ્થિત ઘર પર દરોડો પાડવામાં આવ્યો છે.
EDની ટીમ દ્વારા 34 કલાકના દરોડામાં એસપી ગુપ્તાના ઘરમાં સર્ચ કરવામાં આવ્યું હતું. ટીમને ત્યાંથી શું મળ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) સંબંધિત એક જૂના કેસમાં EDની કાર્યવાહી જોવા મળી છે. ભ્રષ્ટાચાર સામે તપાસ એજન્સીની કાર્યવાહી હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળી રહી છે.
કેજરીવાલની ED કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા છે જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની કસ્ટડીમાં છે. તેમની કસ્ટડીનો સમયગાળો ગુરુવારે (28 માર્ચ) સમાપ્ત થઈ રહ્યો છે, ત્યારબાદ ED કેજરીવાલને PMLA કોર્ટમાં રજૂ કરશે. એવું માનવામાં આવે છે કે EDએ લિકર પોલિસી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઘણા મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે, જેના દ્વારા તે ફરીથી કેજરીવાલની કસ્ટડીની માંગ કરી શકે છે.
કેજરીવાલ કોર્ટમાં કરશે મોટો ખુલાસો
સુનીતા કેજરીવાલે બુધવારે કહ્યું કે અરવિંદ કેજરીવાલ કોર્ટમાં તેમની હાજરી દરમિયાન મોટો ખુલાસો કરવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે બે વર્ષની તપાસ છતાં ED એક પણ પુરાવા શોધી શક્યું નથી. તેઓએ મુખ્યમંત્રીના આવાસ પર દરોડા પાડ્યા પરંતુ માત્ર 73,000 રૂપિયા જ મળ્યા. કસ્ટડીમાં હતા ત્યારે મારા પતિએ જળ મંત્રી આતિશીને સૂચનાઓ આપી હતી. આ અંગે કેન્દ્રને સમસ્યા હતી. શું તેઓ દિલ્હીને નષ્ટ કરવા માંગે છે?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)