શોધખોળ કરો

Delhi Gov vs LG: કેજરીવાલ સરકારને વધુ એક ઝટકો, બસ ખરીદવા મામલે LGએ CBI તપાસની આપી મંજૂરી

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના મુખ્ય સચિવ નરેશ કુમાર મારફતે દિલ્હી પરિવહન નિગમની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ CBIને મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે

Delhi Gov vs LG: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના મુખ્ય સચિવ નરેશ કુમાર મારફતે દિલ્હી પરિવહન નિગમની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ CBIને મોકલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સત્તાવાર નિવેદન અનુસાર, એલજી સચિવાલય કાર્યાલયને આ મામલે ફરિયાદ મળી હતી. આ અગાઉ પણ દિલ્હી સરકાર અને એલજી સામસામે આવી ચૂક્યા છે. વીકે સક્સેનાએ પહેલા તો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સિંગાપોરની મુલાકાતના પ્રસ્તાવને મંજૂર કરવાનો ઇનકાર કરી દીધો હતો અને દલીલ કરી હતી કે આ કાર્યક્રમ સીએમ લેવલનો નથી, મેયર લેબલનો છે, તેથી સીએમ સામેલ થઇ શકે નહીં.

બસ ખરીદી મામલે LG-કેજરીવાલની લડાઈ

હવે દિલ્હીની કેજરીવાલ સરકારની 1,000 લો-ફ્લોર બસોની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારની તપાસ લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા મંજૂર કરવામાં આવી છે અને વીકે સક્સેનાએ આ ફરિયાદ CBIને મોકલી છે. હવે આ મામલે વિવાદ વધ્યો છે. દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે દિલ્હીને વધુ શિક્ષિત એલજીની જરૂર છે, હાલના એલજીને ખબર નથી કે તેઓ ક્યાં સહી કરી રહ્યા છે.

દિલ્હી સરકારે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નરે પહેલા પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપવો જોઈએ. ખાદી ગ્રામોદ્યોગ કમિશનના અધ્યક્ષ તરીકે તેમના પર 1400 કરોડનું કૌભાંડ કરવાનો આરોપ છે. આ દરમિયાન તેમણે ટેન્ડર વગર તેની પુત્રીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

તાજેતરમાં જ સીબીઆઈએ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર અને તેમના અન્ય સ્થળો પર સર્ચ કર્યું હતું. જે બાદ એલજી અને આપ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી રહ્યા છે. ભાજપ દિલ્હી સરકાર પર માત્ર દારૂની નીતિમાં જ નહીં પરંતુ શિક્ષણના ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચારનો આરોપ લગાવી રહી છે.

ગયા મહિને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ દિલ્હીમાં ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપે તેમના ધારાસભ્યોને ખરીદવા માટે 800 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget