શોધખોળ કરો

જ્ઞાનવાપીમાં શિવલિંગ અંગે વિવાદિત પોસ્ટ કરનાર DUના પ્રોફેસર રતનલાલની ધરપકડ, જામીન પર છુટકારો

Delhi News : દિલ્હી સ્થિત વકીલની પોલીસ ફરિયાદ બાદ મંગળવારે રાત્રે રતન લાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

Delhi : દિલ્હી યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર રતન લાલે  વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદરથી 'શિવલિંગ' મળી આવ્યા હોવાના દાવા અંગે સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદિત પોસ્ટ કરી હતી. આ પોસ્ટ બાદલ થયેલી ફરિયાદના આધારે ગઈકાલે 20 મેં એ  રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી હતી, તેમને શનિવારે 50,000 રૂપિયાના જામીન પર જામીન પર છોડવામાં આવ્યા હતા. હિંદુ કોલેજમાં કામ કરતા એસોસિએટ પ્રોફેસરને રાષ્ટ્રીય રાજધાનીની તીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

એસોસિયેટ પ્રોફેસરની ઉત્તર દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કલમ 153A (ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ભરણપોષણ માટે પૂર્વગ્રહયુક્ત કૃત્ય કરવા) અને 295A (કોઈપણ વર્ગની ધાર્મિક લાગણીઓને તેના ધર્મમાં ભડકાવવા માટે ઇરાદાપૂર્વકનું કાર્ય)હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી સ્થિત વકીલની પોલીસ ફરિયાદ બાદ મંગળવારે રાત્રે રતન લાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી અનુસાર, એડવોકેટ વિનીત જિંદાલે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રોફેસરે તાજેતરમાં જ શિવલિંગ પર અપમાનજનક, ભડકાઉ અને ઉશ્કેરણીજનક ટ્વિટ શેર કરી હતી. પ્રોફેસર દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર કરવામાં આવેલ નિવેદન ઉશ્કેરણીજનક છે.વકીલે ફરિયાદમાં જણાવ્યું હતું કે આ મુદ્દો ખૂબ જ સંવેદનશીલ પ્રકૃતિનો છે અને કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.

અગાઉ પોતાની સ્થિતિનો બચાવ કરતા રતનલાલે કહ્યું હતું કે: “ભારતમાં જો તમે કંઈપણ બોલો તો કોઈની કે બીજાની ભાવનાઓને ઠેસ પહોંચશે. તો આ કંઈ નવું નથી. હું એક ઈતિહાસકાર છું અને મેં ઘણા અવલોકનો કર્યા છે. મેં મારી પોસ્ટ લખતી વખતે ખૂબ જ સુરક્ષિત ભાષાનો ઉપયોગ કર્યો છે, અને હજુ પણ હું મારો બચાવ કરીશ."

રતન લાલે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને AK-56 રાઈફલ લઈને બે અંગરક્ષકોની માંગણી કરી હતી કારણ કે તેમણે દાવો કર્યો હતો કે તેઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને સોશિયલ મીડિયા પર હુમલો કરવામાં આવતો હતો. પત્રમાં તેમણે લખ્યું હતું,  "જો આ શક્ય ન હોય તો મને  AK-56 રાઇફલ માટે લાયસન્સ આપવા માટે યોગ્ય ઓથોરિટીને નિર્દેશ આપો.”

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર
રાજકારણમાં શું કરવા માંગે છે અભિજીત દીપકે? પોતાનો પ્લાન કર્યો જાહેર, 5 ઓગસ્ટે નિર્ણય કરશે જાહેર

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget