શોધખોળ કરો

Ebrahim Raisi Passed Away: ઇરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં એક દિવસનો રાજકીય શોક, સરકારી ઉજવણી પર પ્રતિબંધ રહેશે

Ebrahim Raisi Passed Away: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે નિર્ણય લીધો છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે

Ebrahim Raisi Passed Away: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રીનું રવિવાર (મે 19) ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. આના પર ભારત સરકારે 21મી મેના રોજ દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે  ભારત સરકારે નિર્ણય લીધો છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. શોકના દિવસે ભારતમાં એ તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે અને તે દિવસે કોઇ સત્તાવાર ઉજવણીના કાર્યક્રમો યોજાશે નહીં.

વાસ્તવમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી રવિવારે (19 મે)ના રોજ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જોકે, તેમના કાફલામાં બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ઈરાની સુરક્ષા દળો અને બચાવ અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી.

રાષ્ટ્રપતિ સહિત 9 લોકોના મોત થયા છે

ઈરાનના ઉત્તર-પશ્ચિમ ભાગના પર્વતીય વિસ્તારમાં મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારની મોડી રાત સુધી તેના વિશે કંઇ જાણવા મળ્યું ન હતું. જોકે, સોમવારે (20 મે) સવારે ઈરાને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના મૃત્યુની પુષ્ટી કરી હતી. ઈરાને કહ્યું કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા રાષ્ટ્રપતિ રઇસી સહિત 9 લોકોના મોત થયા છે. દુર્ઘટના પાછળનું કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “ઈરાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર સૈયદ ઈબ્રાહિમ રઇસીના દુ:ખદ નિધનથી ખૂબ જ દુઃખી છું અને આઘાત લાગ્યો છે. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના. ભારત દુઃખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
Middle East Tensions: US-ઈરાન યુદ્ધની ભારત પર થઈ રહી છે આ 5 મોટી સાઈડ ઈફેક્ટ, જાણો 
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Embed widget