શોધખોળ કરો

Eid 2022: દેશના ઘણા રાજ્યોમાં ચાંદ દેખાયો, આવતીકાલે ધામધૂમથી ઉજવવામાં આવશે  ઈદનો તહેવાર 

રમઝાન મહિનો પૂરો થયા બાદ દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત દેશમાં મંગળવારે ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે.

Eid Ul Fitr 2022: રમઝાન મહિનો પૂરો થયા બાદ દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિત દેશમાં મંગળવારે ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવશે. શવ્વાલનો ચંદ્ર સોમવારે સાંજે દેખાયો હતો. દેશના ઘણા ભાગોમાં ચંદ્ર જોવા મળ્યો હતો.

ઇસ્લામિક કેલેન્ડર અનુસાર, પવિત્ર રમઝાન મહિના પછી શવ્વાલ મહિનામાં આવતા ઇદ-ઉલ-ફિત્રનો તહેવાર ખૂબ જ વિશેષ છે. મુસ્લિમ સમાજના લોકો આખો મહિનો ઉપવાસ કરે છે અને પછી બીજા દિવસે ઈદનો ચાંદ જોઈને ઈદની ઉજવણી કરે છે. વિશ્વના ઘણા દેશોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઈદ નિમિત્તે પોતાનાથી નાનાને ઈદીના રૂપમાં ભેટ-સોગાદો ઉપરાંત પૈસા પણ આપવામાં આવે છે અને તમામ મનદુઃખ ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ આપવામાં આવે છે.


તમને જણાવી દઈએ કે આજે એટલે કે સોમવારે સાઉદી અરેબિયા અને ઘણા ખાડી દેશોમાં ઈદની ઉજવણી કરવામાં આવી છે. ઈદની જાહેરાત બાદ મુસ્લિમોમાં તેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, ઈદની જાહેરાત બાદ દરેકે એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી. લોકો ભગવાનનો આભાર માનીને રમઝાન મહિનાને અલવિદા કહે છે.

તમને જણાવી દઈએ કે, ઈદના દિવસે લોકો સવારે વહેલા ઉઠે છે.  ઈદની નમાજ અદા કરવા જાય છે. જે પછી પરિવાર, મિત્રો અને સંબંધીઓને મળવા જાય છે.  ઘણી જગ્યાએ સાંજે દાવત પણ રાખવામાં આવે છે.

મુસ્લિમ ધર્મના અનુયાયીઓ વિશેષ કેલેન્ડરનું પાલન કરે છે. જે ચાંદની હાજરી અને અવલોકન દ્વારા નક્કી થાય છે. આ મુજબ રમઝાન મહિના બાદ ઈદનો ચાંદ જોવા મળે છે. રમઝાનનો પવિત્ર મહિનો ચાંદના દીદાર સાથે શરૂ થાય છે અને તેનો અંત પણ ચાંદના દીદાર સાથે થાય છે.

મુસ્લિમ સમુદાયના લોકો ઈદના દિવસે અલ્લાહને શુક્રિયા અદા કરે છે કારણ કે અલ્લાહે તેમને 30 દિવસ સુધી ઉપવાસ કરવાની શક્તિ આપી છે. રમઝાન મહિનામાં દાન પણ કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Full Speech In Navsari : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, મહિલાઓને આપી મોટી ભેટRahul Gandhi Gujarat Visit : રાહુલ નાંખશે ગુજરાતમાં ધામા , કોંગ્રેસને કરી શકશે બેઠી?Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, 33 જિલ્લામાં જઈને....
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Embed widget