શોધખોળ કરો

Election Commission: ચૂંટણી પંચનો મોટો નિર્ણય, મહારાષ્ટ્રના DGP રશ્મિ શુક્લાને હટાવ્યા

કોંગ્રેસ સહિત રાજ્યના ઘણા મોટા રાજકીય પક્ષોએ રશ્મિ શુક્લા વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી કરતા ચૂંટણી પંચે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને હટાવવાનો આદેશ આપ્યો છે. કોંગ્રેસ સહિત રાજ્યના ઘણા મોટા રાજકીય પક્ષો દ્વારા રશ્મિ શુક્લા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવ્યા બાદ પંચે તેમની તાત્કાલિક અસરથી બદલી કરી હતી.

કોંગ્રેસ અને અન્ય પક્ષો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો પર કાર્યવાહી કરતા ચૂંટણી પંચે તાત્કાલિક અસરથી ડીજીપી રશ્મિ શુક્લાની બદલી કરી હતી અને મુખ્ય સચિવને તેમનો ચાર્જ કેડરના સૌથી વરિષ્ઠ IPS અધિકારીને સોંપવાનો નિર્દેશ આપ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, મુખ્ય સચિવને મહારાષ્ટ્રના નવા ડીજીપીના પદ પર નિમણૂક માટે આવતીકાલે મંગળવાર (બપોરે 1 વાગ્યા) સુધીમાં 3 આઈપીએસ અધિકારીઓની પેનલ મોકલવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.

કોંગ્રેસે આ નિર્ણયને આવકાર્યો છે

વિપક્ષે પંચના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના ઓબીસી નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સોશિયલ મીડિયા X પરની તેમની પોસ્ટમાં કહ્યું કે અમે ડીજીપીની બદલીના ચૂંટણી પંચના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું કે આ ગઠબંધન સરકાર બેઈમાન છે. ચૂંટણી પંચે આજે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાની બદલીનો નિર્ણય લીધો છે. અમે તમારા નિર્ણયને આવકારીએ છીએ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્ય ચૂંટણી પંચ (CEC) રાજીવ કુમારે અગાઉ યોજાયેલી સમીક્ષા બેઠકો અને રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત દરમિયાન અધિકારીઓને નિષ્પક્ષ રહેવાની ચેતવણી આપી હતી. સાથે તેમની ફરજો નિભાવતી વખતે તટસ્થ રહેવાનું પણ સૂચન કર્યું હતું.

ડીજીપીને હટાવવા માટે પત્ર લખવામાં આવ્યો હતો

અગાઉ કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ તાજેતરમાં 20 નવેમ્બરે યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) રશ્મિ શુક્લાને હટાવવા માટે પંચ સમક્ષ માંગ કરી હતી. કમિશનને લખેલા તેમના પત્રમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ એક વિવાદાસ્પદ અધિકારી છે જેમણે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) ની તરફેણ કરી હતી અને તેમના પદ પર ચાલુ રહેવાથી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે હાથ ધરવા પર શંકા ઊભી થઇ છે.

પટોલેએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ 24 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે પત્રો દ્વારા રશ્મિ શુક્લાને હટાવવાની માંગ કરી હતી. પાર્ટીના એક પ્રતિનિધિમંડળે પણ 27 સપ્ટેમ્બરે મુંબઈમાં ચૂંટણી અધિકારીઓ સમક્ષ આ માંગનો પુનરોચ્ચાર કર્યો હતો.

Exclusive: મહારાષ્ટ્રના આગામી CM કોણ? રાજ ઠાકરેની ભવિષ્યવાણી,આ નેતાનું લીધુ નામ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget