શોધખોળ કરો

નોકરીયાતો માટે માઠા સમાચારઃ વર્ષ 2021-22 માટે EPFનો વ્યાજ દર 8.1 ટકા કરાયો.. જાણો કેટલો ઘટાડો થયો

દેશના નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર છે. આસામના ગુવાહાટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, કર્મચારી ભવિષ્ય નિધિની 230મી બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના નોકરીયાત વર્ગ માટે માઠા સમાચાર આવ્યા છે. આસામના ગુવાહાટીમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, કર્મચારી ભવિષ્ય નિધિની 230મી બેઠકમાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF)ના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ શનિવારે જાહેરાત કરી છે કે, હાલના નાણાકીય વર્ષ 2021-22માં કર્મચારી ભવિષ્ય નિધિમાં કરવામાં આવેલી થાપણો પર 8.1 ટકાનો વ્યાજ દર મળશે. 

40 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે હવે લાગુ થનાર નવો વ્યાજ દર લગભગ ચાર દાયકામાં સૌથી નીચો છે. આ નવા વ્યાજદરથી લગભગ 5 કરોડ EPFO ​​સબસ્ક્રાઈબર્સ કર્મચારીઓને આંચકો આપશે. 1977-78ના વર્ષમાં 8 ટકા વ્યાજ દર હતો. ત્યાર પછી આ સૌથી નીચો EPF વ્યાજ દર છે.  

ગયા નાણાકીય વર્ષમાં વ્યાજ દર 8.5 ટકા રાખવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) દ્વારા માર્ચ 2021માં તેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પીટીઆઈને એક સૂત્રએ જાણકારી આપી છે કે, "એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે શનિવારે યોજાયેલી તેની બેઠકમાં 2021-22 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) પર 8.1 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે," 

CBTના નિર્ણય પછી, 2021-22 માટે EPF થાપણો પરના વ્યાજ દરને સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. EPFO નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂર કર્યા પછી આ નવો 8.1 ટકાનો વ્યાજ દર લાગુ કરવામાં આવશે. 

ભુતકાળમાં EPFOએ નોકરીયાત વર્ગના લોકોને આપેલા વ્યાજદર તરફ નજર કરીએ તો, EPFOએ 2016-17માં  8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા વ્યાજ દર આપ્યો હતો. 2015-16માં વ્યાજ દર 8.8 ટકા આપવામાં આવ્યો  હતો. EPFOએ પ્રોવિડન્ટ ફંડ ડિપોઝિટ પરનો વ્યાજ દર 2018-19માં 8.65 આપ્યો હતો જ્યારે 2019-20 માટે વ્યાજ દર 8.5 ટકા રાખ્યો હતો જે સાત વર્ષના નીચલા સ્તર પર હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
મેવાડની પરંપરા અને સમાજ સેવા: MMCF પુરસ્કારો 2026 ફરી ઉજવશે પ્રેરણાદાયી યોગદાન
મેવાડની પરંપરા અને સમાજ સેવા: MMCF પુરસ્કારો 2026 ફરી ઉજવશે પ્રેરણાદાયી યોગદાન

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલા પર ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, ઘટના કેમેરામાં કેદ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય
Embed widget