શોધખોળ કરો

DA પણ નહીં મળે અને 8મા પગાર પંચનો લાભ પણ બંધ થઈ જશે? વાયરલ મેસેજથી કર્મચારીઓના જીવ અદ્ધર...

DA Hike News: છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો છે જેણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતામાં વધારો કર્યો છે.

DA Hike News: સોશિયલ મીડિયાના જમાનામાં અફવાઓ આગની જેમ ફેલાય છે. હાલમાં જ વોટ્સએપ પર એક મેસેજ વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે નિવૃત્ત સરકારી કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થું (DA) અને 8મા પગાર પંચનો લાભ નહીં મળે. આ મેસેજે લાખો પેન્શનરોની ઊંઘ હરામ કરી દીધી છે. જોકે, સરકારે આ મામલે તાત્કાલિક ખુલાસો કરીને સત્ય બહાર લાવ્યું છે. હકીકત કંઈક અલગ જ છે, જે દરેક કર્મચારીએ જાણવી જરૂરી છે.

શું છે વાયરલ મેસેજનો દાવો?

છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો છે જેણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની ચિંતામાં વધારો કર્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારે 'ફાઇનાન્સ એક્ટ 2025' અંતર્ગત નિવૃત્તિ બાદ મળતા લાભો નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. મેસેજ મુજબ, હવેથી પેન્શનરોને મોંઘવારી ભથ્થા (DA) માં કોઈ વધારો નહીં મળે અને ભવિષ્યમાં આવનારા 8મા પગાર પંચ સહિતના કોઈપણ પગાર પંચનો લાભ આપવામાં આવશે નહીં. આ પ્રકારના મેસેજને કારણે કર્મચારી વર્ગમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સરકારે કર્યો દૂધનું દૂધ અને પાણીનું પાણી (PIB Fact Check)

આ અફવાને ડામવા માટે સરકારની સત્તાવાર ફેક્ટ ચેક વિંગ 'PIB' (પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો) એક્શનમાં આવી છે. PIB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે બનાવટી (Fake) છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નિવૃત્ત કર્મચારીઓના DA વધારા કે પગાર પંચના લાભો બંધ કરવાનો કોઈ જ નિર્ણય લેવાયો નથી. પેન્શનરોને મળતા લાભો રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

હકીકત શું છે? કયો નિયમ બદલાયો છે?

લોકોમાં ગેરસમજ એક વાસ્તવિક સરકારી નિયમના ખોટા અર્થઘટનને કારણે ફેલાઈ છે. સાચી હકીકત એ છે કે સરકારે CCS (પેન્શન) નિયમો, 2021 ના નિયમ 37 માં સુધારો કર્યો છે.

આ સુધારા મુજબ, જો કોઈ સરકારી કર્મચારીને ગંભીર ગેરવર્તણૂક (Misconduct) અથવા કોઈ ગુના સબબ નોકરીમાંથી બરતરફ (Dismiss) કરવામાં આવે, તો જ તેના નિવૃત્તિ લાભો જપ્ત કરવામાં આવશે.

આ નિયમ સામાન્ય અને ઈમાનદાર કર્મચારીઓ કે પેન્શનરોને લાગુ પડતો નથી. અફવા ફેલાવનારાઓએ આ નિયમને તોડી-મરોડીને રજૂ કર્યો છે.

અફવાઓથી સાવધાન રહેવાની સલાહ

સરકારે નાગરિકો અને કર્મચારીઓને અપીલ કરી છે કે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પર આવતા આવા પાયાવિહોણા મેસેજ પર વિશ્વાસ ન કરવો. કોઈપણ માહિતીને શેર કરતા પહેલા તેની સત્તાવાર ખરાઈ કરવી અત્યંત જરૂરી છે. તમારી પેન્શન અને ભથ્થા સુરક્ષિત છે, તેથી ગભરાવાની કોઈ જરૂર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Advertisement

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget