શોધખોળ કરો

Farmers Protest: ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર, સરકારે મોકલ્યા પાંચ પ્રસ્તાવ

ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને પાંચ મહત્વના પ્રસ્તાવ મોકલ્યા છે.

Farmers To End Protests: ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર મળી રહ્યા છે. કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનોને પાંચ મહત્વના પ્રસ્તાવ મોકલ્યા છે. કેન્દ્રએ પોતાના પ્રસ્તાવમાં એમએસપી, કેસ પાછા ખેંચવા અને વિજળી બિલ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારના પ્રસ્તાવ પર ચર્ચા માટે આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક મળી હતી. સૂત્રોના મતે સરકારના પ્રસ્તાવ પર હરિયાણાના સંગઠન તૈયાર થઇ રહ્યા નથી. પંજાબના 90 ટકા સંગઠન સરકારના પ્રસ્તાવથી સંતુષ્ટ છે.

 સંયુક્ત કિસાન મોરચાની બેઠક બાદ ખેડૂત નેતા યુદ્ધવીર સિંહે કહ્યું કે સરકારના પ્રસ્તાવ પર ચર્ચા થઇ છે. કેટલાક મુદ્દાઓ પર ખેડૂત નેતાઓએ સ્પષ્ટીકરણની માંગ કરી છે. તેમનો મત સરકારને મોકલવામાં આવશે. આશા છે કે આવતીકાલે સરકાર જવાબ આપશે. ત્યારબાદ આવતીકાલે બે વાગ્યે ફરી બેઠક મળશે. જ્યારે બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે સરકાર સ્પષ્ટ કરે કે એમએસી કમિટીમાં એવા લોકો ના હોવા જોઇએ જે કૃષિ કાયદાઓના સમર્થક હોય. કેસ પાછા ખેંચવા પર આંદોલન ખત્મ કરવાની જાહેરાતની શરત લગાવી દીધી છે. આ શરત માટે અમે તૈયાર નથી. અમે સરકાર સાથે ફરીથી વાત કરીશું.

Farmers Protest: ખેડૂત આંદોલન ખત્મ થવાના અણસાર, સરકારે મોકલ્યા પાંચ પ્રસ્તાવ

 સરકારે પ્રસ્તાવમાં કહ્યું કે એમએસપી પર વડાપ્રધાન પોતે અને બાદમાં કૃષિમંત્રીએ એક કમિટી બનાવવાની જાહેરાત કરી છે. આ કમિટીમાં કેન્દ્ર, રાજ્ય સરકાર અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિ અને કૃષિ વૈજ્ઞાનિક સામેલ હશે. અમે તેમાં  સ્પષ્ટતા માંગીએ છીએ કે ખેડૂત પ્રતિનિધિમાં એસકેએમના પ્રતિનિધિ  હશે.

પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જ્યા સુધી આંદોલન સમયના કેસોને  સવાલ છે તો ઉત્તર પ્રદેશ સરકાર અને હરિયાણા સરકાર આ માટે સહમત છે કે આંદોલન સમયના કેસ તરત  જ  પાછા ખેંચી લેવામાં આવશે. ખેડૂત આંદોલન દરમિયાન ભારત સરકારના સંબંધિત વિભાગ અને કેન્દ્રશાસિત પ્રદેશના આંદોલન કેસ પર પણ આંદોલન ખત્મ થયા બાદ કેસ પાછા ખેંચવા પર સહમતિ થઇ છે.


વળતર માટે ઉત્તર પ્રદેશ અને હરિયાણા સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. બંન્ને બાબતોમાં પંજાબ સરકારે અગાઉથી જાહેરાત કરી દીધી છે.  કેન્દ્રના પ્રસ્તાવમાં જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી બિલનો સવાલ છે તો બિલને સંસદમાં રજૂ કરતા અગાઉ તમામ સ્ટોકહોલ્ડર્સના અભિપ્રાય લેવામાં આવશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પરાલીનો મુદ્દો છે ભારત સરકારે જે કાયદો બનાવ્યો છે તેની કલમ 14 અને 15માં ક્રિમિનલ લાઇબિલિટીથી ખેડૂતને મુક્તિ આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Watch: સેમિફાઈનલમાં અક્ષર પટેલનો 'કેચ ઓફ ટૂર્નામેન્ટ', ભારતની જીતનો ટર્નિંગ પોઈન્ટ, જુઓ વીડિયો 
Embed widget