શોધખોળ કરો
PM આવાસમાં અચાનક લાગી આગ, PMOએ ટ્વિટ કરીને શું આપી માહિતી? જાણો વિગત
9 નંબરના બંગલામાં આગ લાગી હતી. જે વિજળી યૂનિટમાં કોઈ ગડબડને કારણે આ ઘટના બની હતી. ફાયર ફાયટરની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુ મેળવી હતી
![PM આવાસમાં અચાનક લાગી આગ, PMOએ ટ્વિટ કરીને શું આપી માહિતી? જાણો વિગત Fire at PMO residence in Delhi PM આવાસમાં અચાનક લાગી આગ, PMOએ ટ્વિટ કરીને શું આપી માહિતી? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/31095025/PMO.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: હાલ દેશમાં ઠંડીની સિઝન ચાલી રહી છે ત્યારે સોમવારે સાંજે અચાનક પ્રધાનમંત્રી આવાસ 7 લોક કલ્યાણ માર્ગમાં આગ લાગી હોવાના સામાચારો સામે આવ્યા હતાં. સુત્રો પ્રમાણે, સોમવારે સાંજે પીએમ આવાસમાં આગ લાગી હતી. જેની માહિતી મળતાં જ ફાયર ફાયટરની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુ મેળવી હતી. જોકે આગ કેવી રીતે લાગી તે અંગ કોઈ માહિતી સામે આવી નથી.
આગની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી પીએમ આવાસ પહોંચી ગયું હતું. ફાયર બ્રિગેડ વિભાગની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાબળ પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી આવાસ બહાર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.
9 નંબરના બંગલામાં આગ લાગી હતી. જે વિજળી યૂનિટમાં કોઈ ગડબડને કારણે આ ઘટના બની હતી. આગ મોટી નહોતી અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવી હતી.There was a minor fire at 9, Lok Kalyan Marg caused by a short circuit. This was not in PM’s residential or office area but in the SPG reception area of the LKM complex.
— PMO India (@PMOIndia) December 30, 2019
The fire is very much under control now.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)