શોધખોળ કરો

TB patients: ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં બે ગણો વધારો, હવે દર મહિને કેટલા રૂપિયા મળશે?

આ સહાયની રકમ ટીબીના તમામ દર્દીઓને સારવારના સમયગાળા દરમિયાન આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓ માટે માસિક આર્થિક સહાય 500 રૂપિયાથી વધારીને  1,000 રૂપિયા કરી છે. આ સહાયની રકમ ટીબીના તમામ દર્દીઓને સારવારના સમયગાળા દરમિયાન આપવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ સોમવારે જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓ માટે પોષણ સહાય યોજના માટે 1,040 કરોડ રૂપિયાની વધારાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત ટીબી મુક્ત દેશ બનવા માટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે.

સારવારમાં પોષણ મહત્વની ભૂમિકા ભજવે છે

તેમણે જણાવ્યું હતું કે રોગની સારવારમાં પોષણ મહત્વની ભૂમિકા ભજવતું હોવાથી ટીબીના દર્દીઓને મજબૂત કરવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત પોષણ માટે માસિક સહાયની રકમ બમણી કરવામાં આવી છે. હવે ટીબીના દર્દીઓના ઘરના તમામ સંપર્કોને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. તેમને સામાજિક સમર્થન આપવામાં આવશે.

સરકારે 18.5 કરતા ઓછા BMI ધરાવતા તમામ દર્દીઓ માટે એનર્જી ડેન્સિટી ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ લૉન્ચ કર્યા છે અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર પહેલના અવકાશ અને કવરેજને ટીબીના દર્દીઓના પરિવારના સભ્યો સુધી વધારવાની મંજૂરી આપી છે. હવે ટીબીના તમામ દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ 3,000 થી 6,000 રૂપિયા સુધીની પોષણ સહાય મળશે. NPY સપોર્ટમાં વધારો થવાથી એક વર્ષમાં તમામ 25 લાખ ટીબી દર્દીઓને ફાયદો થશે, જ્યારે એનર્જી ડેન્સિટી ન્યુટ્રિશન સપ્લિમેન્ટેશન (EDNS) ની શરૂઆતથી આશરે 12 લાખ દર્દીઓને ફાયદો થશે.

કેન્દ્રની પહેલ ટીબીના દર્દીઓ અને તેમના પરિવારો દ્વારા થતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં નિક્ષય પોષણ યોજના હેઠળ 1.13 કરોડ લાભાર્થીઓને 3,202 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ પગલાંથી ટીબીના દર્દીઓની પોષણની સ્થિતિ, સારવાર અને પરિણામોમાં સુધારો થશે અને ભારતમાં ટીબી મૃત્યુદરમાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે.

ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવશે

બધા પાત્ર દર્દીઓને તેમની સારવારના પ્રથમ બે મહિના માટે EDNS આપવામાં આવશે. આ પગલાથી ભારત સરકારને અંદાજે 1,040 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40ના આધારે વહેંચવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
Russian oil: ભારતને તેલ ખરીદવા માટે 'પરવાનગી'ની જરૂર નથી
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
Central Bank of India માં જમા કરો ₹2,00,000 અને મેળવો ₹80,188 ફિક્સ વ્યાજ, સમજો કેલક્યુલેશન 
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
Embed widget