શોધખોળ કરો

TB patients: ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં બે ગણો વધારો, હવે દર મહિને કેટલા રૂપિયા મળશે?

આ સહાયની રકમ ટીબીના તમામ દર્દીઓને સારવારના સમયગાળા દરમિયાન આપવામાં આવશે.

કેન્દ્ર સરકારે નિક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના દર્દીઓ માટે માસિક આર્થિક સહાય 500 રૂપિયાથી વધારીને  1,000 રૂપિયા કરી છે. આ સહાયની રકમ ટીબીના તમામ દર્દીઓને સારવારના સમયગાળા દરમિયાન આપવામાં આવશે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ સોમવારે જણાવ્યું હતું કે ટીબીના દર્દીઓ માટે પોષણ સહાય યોજના માટે 1,040 કરોડ રૂપિયાની વધારાની ફાળવણીને મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત ટીબી મુક્ત દેશ બનવા માટે સંકલ્પબદ્ધ અને પ્રતિબદ્ધ છે.

સારવારમાં પોષણ મહત્વની ભૂમિકા ભજવે છે

તેમણે જણાવ્યું હતું કે રોગની સારવારમાં પોષણ મહત્વની ભૂમિકા ભજવતું હોવાથી ટીબીના દર્દીઓને મજબૂત કરવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત પોષણ માટે માસિક સહાયની રકમ બમણી કરવામાં આવી છે. હવે ટીબીના દર્દીઓના ઘરના તમામ સંપર્કોને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. તેમને સામાજિક સમર્થન આપવામાં આવશે.

સરકારે 18.5 કરતા ઓછા BMI ધરાવતા તમામ દર્દીઓ માટે એનર્જી ડેન્સિટી ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ લૉન્ચ કર્યા છે અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ નિક્ષય મિત્ર પહેલના અવકાશ અને કવરેજને ટીબીના દર્દીઓના પરિવારના સભ્યો સુધી વધારવાની મંજૂરી આપી છે. હવે ટીબીના તમામ દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ 3,000 થી 6,000 રૂપિયા સુધીની પોષણ સહાય મળશે. NPY સપોર્ટમાં વધારો થવાથી એક વર્ષમાં તમામ 25 લાખ ટીબી દર્દીઓને ફાયદો થશે, જ્યારે એનર્જી ડેન્સિટી ન્યુટ્રિશન સપ્લિમેન્ટેશન (EDNS) ની શરૂઆતથી આશરે 12 લાખ દર્દીઓને ફાયદો થશે.

કેન્દ્રની પહેલ ટીબીના દર્દીઓ અને તેમના પરિવારો દ્વારા થતા ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં નિક્ષય પોષણ યોજના હેઠળ 1.13 કરોડ લાભાર્થીઓને 3,202 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ પગલાંથી ટીબીના દર્દીઓની પોષણની સ્થિતિ, સારવાર અને પરિણામોમાં સુધારો થશે અને ભારતમાં ટીબી મૃત્યુદરમાં ઘટાડો થશે તેવી અપેક્ષા છે.

ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવશે

બધા પાત્ર દર્દીઓને તેમની સારવારના પ્રથમ બે મહિના માટે EDNS આપવામાં આવશે. આ પગલાથી ભારત સરકારને અંદાજે 1,040 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે 60:40ના આધારે વહેંચવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget