શોધખોળ કરો

ભારતના ભૂગર્ભજળને લઇને ડરામણી તસવીર, IITના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

શિયાળામાં પ્રમાણમાં વધુ ગરમી હોવાને કારણે પાકની સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધુ પડતી નિર્ભરતા આનું મુખ્ય કારણ માનવામાં આવે છે

સર્વત્ર દેખાતા પાણીની વિપુલતા વચ્ચે આ અમૂલ્ય કુદરતી સંસાધનની અછત વિશે વાત કરવી અજુગતી લાગે છે, પરંતુ સત્ય એ છે કે લોકોને વર્ષના મોટાભાગના મહિનાઓ પાણીની અછતનો સામનો કરવો પડે છે. IIT ગાંધીનગરના સંશોધકો દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ખાદ્ય અનાજની ખાણ તરીકે ઓળખાતા ઉત્તર ભારતે છેલ્લા 20 વર્ષોમાં તેના અમૂલ્ય 450 ઘન કિમી ભૂગર્ભજળ સ્ત્રોત ગુમાવ્યા છે.

આ ભૂગર્ભજળનો એટલો મોટો જથ્થો છે કે દેશનો સૌથી મોટા જળાશય ઈન્દિરા સાગર ડેમ સંપૂર્ણપણે 37 વખત ભરી શકાય છે. આ પ્રદેશમાં ચોમાસાના વરસાદના અભાવ અને  ​​શિયાળામાં પ્રમાણમાં વધુ ગરમી હોવાને કારણે પાકની સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધુ પડતી નિર્ભરતા આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ચિત્ર આપણને એ પણ જણાવે છે કે વર્તમાન ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારીને આ નુકસાનની ભરપાઈ કરી શકાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગ અને અર્થ સાયન્સના પ્રોફેસર અને રિસર્ચના મુખ્ય લેખક વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં 2002 થી 2021 દરમિયાન ભૂગર્ભજળમાં લગભગ 450 ઘન કિલોમીટરનો ઘટાડો થયો છે અને નજીકના ભવિષ્યમાં આબોહવા પરિવર્તનને કારણે તેની માત્રામાં પણ ઘટાડો થવાની શક્યતા છે. અભ્યાસ દરમિયાન સંશોધકોએ શોધ્યું કે સમગ્ર ઉત્તર ભારતમાં 1951-2021ના સમયગાળા દરમિયાન ચોમાસાની ઋતુમાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદમાં 8.5 ટકાનો ઘટાડો થયો હતો.

આ સમયગાળા દરમિયાન પ્રદેશમાં શિયાળામાં તાપમાનમાં 0.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એનજીઆરઆઈ)ના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ અને શિયાળા દરમિયાન વધતા તાપમાનને કારણે સિંચાઈ માટે પાણીની માંગમાં વધારો થશે અને તેના કારણે ભૂગર્ભજળ રિચાર્જમાં ઘટાડો થશે. ઉત્તર ભારતમાં પહેલેથી જ ઘટી રહેલા ભૂગર્ભજળના સંસાધનો પર વધુ દબાણ આવશે.

2022 ના શિયાળામાં પ્રમાણમાં ગરમ ​​હવામાન દરમિયાન સંશોધકોએ જોયું કે ચોમાસા દરમિયાન વરસાદના અભાવને કારણે ભૂગર્ભજળ પર નિર્ભરતા વધી છે. ઉપરાંત ગરમ શિયાળાને કારણે જમીન શુષ્ક બની રહી છે, ફરીથી વધુ સિંચાઈની જરૂર પડી રહી છે.

ચોમાસાના વરસાદના અભાવ અને ગરમ શિયાળાના કારણે ભૂગર્ભજળ રિચાર્જમાં લગભગ છ થી 12 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. મિશ્રાએ કહ્યું કે તેથી વધુ દિવસો સુધી હળવા વરસાદની જરૂર છે.

સિંચાઈ માટે પાણીની માંગમાં 20 ટકાનો વધારો થશે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2009માં લગભગ 20 ટકા ચોમાસામાં ઓછો વરસાદ અને ત્યારબાદ શિયાળાના તાપમાનમાં એક ડિગ્રીના વધારાને કારણે ભૂગર્ભજળના સંગ્રહ પર હાનિકારક અસર પડી હતી અને તેમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. શિયાળા દરમિયાન જમીનમાં ભેજની ઉણપ પણ છેલ્લા ચાર દાયકામાં નોંધપાત્ર રીતે વધી છે. સંશોધકોએ અનુમાન લગાવ્યું છે કે સતત ગરમીને કારણે ચોમાસું 10-15 ટકા સુકુ રહેશે અને શિયાળો એકથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહેશે. તેનાથી સિંચાઈ માટે પાણીની માંગમાં છ થી 20 ટકાનો વધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Embed widget