શોધખોળ કરો

ભારતના ભૂગર્ભજળને લઇને ડરામણી તસવીર, IITના રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

શિયાળામાં પ્રમાણમાં વધુ ગરમી હોવાને કારણે પાકની સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધુ પડતી નિર્ભરતા આનું મુખ્ય કારણ માનવામાં આવે છે

સર્વત્ર દેખાતા પાણીની વિપુલતા વચ્ચે આ અમૂલ્ય કુદરતી સંસાધનની અછત વિશે વાત કરવી અજુગતી લાગે છે, પરંતુ સત્ય એ છે કે લોકોને વર્ષના મોટાભાગના મહિનાઓ પાણીની અછતનો સામનો કરવો પડે છે. IIT ગાંધીનગરના સંશોધકો દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ અભ્યાસ દર્શાવે છે કે આબોહવા પરિવર્તનને કારણે ખાદ્ય અનાજની ખાણ તરીકે ઓળખાતા ઉત્તર ભારતે છેલ્લા 20 વર્ષોમાં તેના અમૂલ્ય 450 ઘન કિમી ભૂગર્ભજળ સ્ત્રોત ગુમાવ્યા છે.

આ ભૂગર્ભજળનો એટલો મોટો જથ્થો છે કે દેશનો સૌથી મોટા જળાશય ઈન્દિરા સાગર ડેમ સંપૂર્ણપણે 37 વખત ભરી શકાય છે. આ પ્રદેશમાં ચોમાસાના વરસાદના અભાવ અને  ​​શિયાળામાં પ્રમાણમાં વધુ ગરમી હોવાને કારણે પાકની સિંચાઈ માટે ભૂગર્ભજળ પર વધુ પડતી નિર્ભરતા આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ ચિત્ર આપણને એ પણ જણાવે છે કે વર્તમાન ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારીને આ નુકસાનની ભરપાઈ કરી શકાય છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગરના સિવિલ એન્જિનિયરિંગ અને અર્થ સાયન્સના પ્રોફેસર અને રિસર્ચના મુખ્ય લેખક વિમલ મિશ્રાએ જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં 2002 થી 2021 દરમિયાન ભૂગર્ભજળમાં લગભગ 450 ઘન કિલોમીટરનો ઘટાડો થયો છે અને નજીકના ભવિષ્યમાં આબોહવા પરિવર્તનને કારણે તેની માત્રામાં પણ ઘટાડો થવાની શક્યતા છે. અભ્યાસ દરમિયાન સંશોધકોએ શોધ્યું કે સમગ્ર ઉત્તર ભારતમાં 1951-2021ના સમયગાળા દરમિયાન ચોમાસાની ઋતુમાં એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદમાં 8.5 ટકાનો ઘટાડો થયો હતો.

આ સમયગાળા દરમિયાન પ્રદેશમાં શિયાળામાં તાપમાનમાં 0.3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. હૈદરાબાદ સ્થિત નેશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (એનજીઆરઆઈ)ના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ અને શિયાળા દરમિયાન વધતા તાપમાનને કારણે સિંચાઈ માટે પાણીની માંગમાં વધારો થશે અને તેના કારણે ભૂગર્ભજળ રિચાર્જમાં ઘટાડો થશે. ઉત્તર ભારતમાં પહેલેથી જ ઘટી રહેલા ભૂગર્ભજળના સંસાધનો પર વધુ દબાણ આવશે.

2022 ના શિયાળામાં પ્રમાણમાં ગરમ ​​હવામાન દરમિયાન સંશોધકોએ જોયું કે ચોમાસા દરમિયાન વરસાદના અભાવને કારણે ભૂગર્ભજળ પર નિર્ભરતા વધી છે. ઉપરાંત ગરમ શિયાળાને કારણે જમીન શુષ્ક બની રહી છે, ફરીથી વધુ સિંચાઈની જરૂર પડી રહી છે.

ચોમાસાના વરસાદના અભાવ અને ગરમ શિયાળાના કારણે ભૂગર્ભજળ રિચાર્જમાં લગભગ છ થી 12 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. મિશ્રાએ કહ્યું કે તેથી વધુ દિવસો સુધી હળવા વરસાદની જરૂર છે.

સિંચાઈ માટે પાણીની માંગમાં 20 ટકાનો વધારો થશે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2009માં લગભગ 20 ટકા ચોમાસામાં ઓછો વરસાદ અને ત્યારબાદ શિયાળાના તાપમાનમાં એક ડિગ્રીના વધારાને કારણે ભૂગર્ભજળના સંગ્રહ પર હાનિકારક અસર પડી હતી અને તેમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. શિયાળા દરમિયાન જમીનમાં ભેજની ઉણપ પણ છેલ્લા ચાર દાયકામાં નોંધપાત્ર રીતે વધી છે. સંશોધકોએ અનુમાન લગાવ્યું છે કે સતત ગરમીને કારણે ચોમાસું 10-15 ટકા સુકુ રહેશે અને શિયાળો એકથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહેશે. તેનાથી સિંચાઈ માટે પાણીની માંગમાં છ થી 20 ટકાનો વધારો થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
jagannath rath yatra: પુરી રથયાત્રામાં નાસભાગ જેવી સ્થિતિ, શ્વાસ રૂંધાતા એક શ્રદ્ધાળુનું મોત અનેક ઘાયલ
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Embed widget