શોધખોળ કરો

New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન

New Guidelines: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે લાઇફ સપોર્ટ હટાવવાને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે

New Guidelines:  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ એટલે કે એવા લોકોની લાઇફ સપોર્ટ હટાવવાને લઇને નવી ગાઇડલાઇન જાહેર કરી છે જે ગંભીર રીતે બીમાર છે અને ફક્ત લાઇફ સપોર્ટ મારફતે જીવિત છે. આ મામલે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં ડૉક્ટરોને કહેવામાં આવ્યું છે કે તેઓ અમુક શરતોને ધ્યાનમાં રાખીને જ દર્દીના લાઈફ સપોર્ટને હટાવવાનો નિર્ણય લઈ શકે છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

આ ચાર શરતોના આધારે નિર્ણય લેવામાં આવશે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની નવી માર્ગદર્શિકામાં એ ચાર શરતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના આધારે ડૉક્ટર નક્કી કરી શકે છે કે બીમાર વ્યક્તિનું લાઇફ સપોર્ટ હટાવવું  જોઇએ કે નહીં. પ્રથમ શરત એ છે કે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો છે. બીજી શરત એ છે કે તપાસમાં સામે આવવું જોઈએ કે દર્દીની બીમારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી ગઇ છે અને આ સ્થિતિમાં સારવારનો કોઈ ફાયદો થશે નહીં. ત્રીજી શરત એ છે કે દર્દી અથવા પરિવારના સભ્યો દ્વારા લાઇફ સપોર્ટ યથાવત રાખવાનો ઇનકાર કરવામાં આવે છે. ચોથી અને છેલ્લી શરત એ છે કે લાઇફ સપોર્ટ હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરવામાં આવેલા દિશા નિર્દેશો હેઠળ કરવામાં આવે.

ડ્રાફ્ટમાં ટર્મિનલ બીમારી વિશે પણ છે

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ માટેની નવી માર્ગદર્શિકામાં ટર્મિનલ બીમારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં ટર્મિનલ ડિસીઝ એક એવી અસાધ્ય સ્થિતિ છે જેમાં નજીકના ભવિષ્યમાં મૃત્યુની વધુ સંભાવના છે. ટર્મિનલ બીમારીમાં મગજની ગંભીર ઇજાઓનો પણ સમાવેશ થાય છે જેમાં 72 કલાક કે તેથી વધુ સમય સુધી કોઈ સુધારો જોવા મળતો નથી. નવી માર્ગદર્શિકા અનુસાર, ICUમાં આવા ઘણા દર્દીઓ ટર્મિનલી બીમાર હોય છે છે જેમના માટે લાઇફ સસ્ટેનિંગ ટ્રિટમેન્ટથી કોઇ લાભ થવાની સંભાવના જોવા મળતી ના હોય

ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શું કહ્યું?

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉ. આર.વી અશોકને આ નવી માર્ગદર્શિકા પર કહ્યું કે આ માર્ગદર્શિકા ડૉક્ટરોને કાયદાકીય તપાસના દાયરામાં લાવશે અને તેનાથી તેમના પર તણાવ વધશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડોક્ટર્સ આ પ્રકારના ક્લિનિકલ નિર્ણયો હંમેશા સારા ઈરાદા સાથે લેતા હોય છે. તેમનું કહેવું છે કે આ કરતા પહેલા ડૉક્ટર દર્દીના પરિવારના સભ્યોને પરિસ્થિતિ સારી રીતે સમજાવે છે અને દરેક પાસાઓની તપાસ કર્યા પછી જ નિર્ણય લે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Embed widget