શોધખોળ કરો

LICની પોલિસી બંધ થઇ ગઇ છે? ફરીથી શરૂ કરવાની આ છે આખી પ્રોસેસ?

કોરોનાવાયરસ દરમિયાન નાણાકીય તંગીને લીધે તમારી LIC વીમા પોલીસનું પ્રીમિયમ ચૂકવી શક્યા નથી તો LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમ લઈને આવી છે

નવી દિલ્હીઃ કોરોનાવાયરસ દરમિયાન નાણાકીય તંગીને લીધે તમારી LIC વીમા પોલીસનું પ્રીમિયમ ચૂકવી શક્યા નથી તો LIC લેપ્સ પોલિસી રિવાઇવલ સ્કીમ લઈને આવી છે. 7 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી LIC પોલિસીધારકોને લેપ્સ થયેલી વીમા પોલિસીને ફરીથી સક્રિય કરવાની તક આપી રહી છે. જેમાં વીમા પોલિસી ફરીથી શરૂ કરવા માટે ફી માફ કરવામાં આવી રહી છે. જે પોલિસીની પાકતી મુદત પૂરી ન થઇ હોય તે જ પોલિસીને આ યોજના હેઠળ ફરીથી શરૂ કરી શકાશે  અને પાંચ વર્ષ સુધી પ્રિમીયમ ભર્યું નથી તેવી પોલિસી પણ ફરીથી શરૂ કરી શકાશે.  જોકે, આ ડિસ્કાઉન્ટ ટર્મ પ્લાન્સ અને હાઈ રિસ્ક પ્લાન પર ઉપલબ્ધ નથી.

આ ઉપરાંત પોલિસીને ફરીથી સક્રિય કરવા માટે જરૂરી તબીબી તપાસમાં કોઈ રાહત આપવામાં આવશે નહીં. પરંતુ સ્વાસ્થ્ય અને માઇક્રો વીમા યોજનાઓને ફરીથી શરૂ કરવા માટે માટે કોઈ લેટ ફી લેવામાં આવશે નહીં.

IRDAI માર્ગદર્શિકા મુજબ, જ્યારે ગ્રેસ પીરિયડ દરમિયાન ચુકવણી કરવામાં ન આવે ત્યારે વીમા પૉલિસી સમાપ્ત થઈ જાય છે. વાર્ષિક, અર્ધ-વાર્ષિક અને ત્રિમાસિક પ્રીમિયમની ચુકવણી માટેનો ગ્રેસ પીરિયડ 30 દિવસનો છે.માસિક ચૂકવણી માટે ગ્રેસ પીરિયડ 15 દિવસ છે. લેપ્સ્ડ પોલિસીને ફરીથી શરૂ કરવા માટે વ્યાજ સાથે સંચિત પ્રીમિયમ ચૂકવવું પડશે. આ સાથે નિયમો અનુસાર લેટ ફી પર GST લાગશે.

આ વિશેષ ઓફર હેઠળ લેપ્સ થઇ ગયેલી LIC પોલિસીને ફરીથી શરૂ કરવા માટે પોલિસીધારકો તેમના એજન્ટોનો સંપર્ક કરી શકે છે. એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પરથી રિવાઈવલ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. લેટ ફી સાથે બાકી પ્રીમિયમની રકમ સાથે ફોર્મ ભરો અને તેને LIC ઓફિસમાં સબમિટ કરો.

1 લાખના પ્રીમિયમવાળા સ્વાસ્થ્ય વીમા પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે એટલે કે લેટ ફી પર મહત્તમ 2000 રૂપિયા અને 3 લાખ પ્રીમિયમ સાથે પોલિસીમાં 30 ટકા અથવા વધુમાં વધુ 3000 રૂપિયા આપવામાં આવશે.આ સાથે LIC IPOમાં તેના પોલિસીધારકોને ડિસ્કાઉન્ટ દરે 10 ટકા શેર આપવાની યોજના પર પણ કામ કરી રહી છે. એટલે કે LICના લાખો પોલિસી ધારકોને સસ્તામાં શેર મેળવવાની તક મળી શકે છે. એલઆઈસી તેના કર્મચારીઓ માટે પણ આમાં એક ભાગ અનામત રાખવાનું વિચારી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક, જુઓ આખું લિસ્ટ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Embed widget