શોધખોળ કરો
Advertisement
કોરોના રેપિડ ટેસ્ટ કિટને લઈ ICMRએ રાજ્યોને આપ્યા નિર્દેશ, આગામી બે દિવસ સુધી ઉપયોગ ન કરે
ICMRએ જણાવ્યું કે, એક રાજ્યમાંથી રેપિટ ટેસ્ટ કિટને લઈ ફરિયાદ મળી હતી અને તે ખામીને દૂર કરવામાં આવશે.
નવી દિલ્હી: ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રાજ્યોને સલાહ આપી છે કે, બે દિવસ સુધી કોરોના રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ ન કરે. તપાસ બાદ બે દિવસમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ICMRએ જણાવ્યું કે, એક રાજ્યમાંથી રેપિટ ટેસ્ટ કિટને લઈ ફરિયાદ મળી હતી અને તે ખામીને દૂર કરવામાં આવશે.
ICMR-NICEDના અધિકારીઓએ કહ્યું કે, આમ બની શકે છે કારણ કે કિટને સ્ટાન્ડર્ડાઈઝ કરવામાં નથી આવી અને તેઓ આ મામલે ગંભીરતાથી વિચારી રહ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે, આ કિટને અમેરિકી ખાદ્ય અને ઔષધિ પ્રશાસનની મંજૂરી પ્રાપ્ત હતી. પરંતુ એ જાણવા મળ્યું છે કે, આ કિટ 20 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર રાખવા પર ખામીયુક્ત પરિણામ દર્શાવે છે. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છે.
એનઆઈસીઈડીએ પશ્ચિમ બંગાળની કેટલીક સરકારી ટેસ્ટ લેબમાંથી ખામીવાળી કોવિડ-19 ટેસ્ટ કિટનો માલ પરત લઈ લીધો છે. તબીબી એકમના એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે ખામીવાળી કિટ પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી(એનઆઈવી) દ્વારા આપવામાં આવેલી કિટ સાથે બદલવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement