શોધખોળ કરો

મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?

Mumbai News: વિક્રોલીની એક મસ્જિદમાં શુક્રવારે 50 જેટલા હિંદુ લોકો પહોંચ્યા. તેમણે મુસ્લિમોની નમાઝ અને મસ્જિદના રીતરિવાજો જાણ્યા.

Id e Milad 2024: મુંબઈના વિક્રોલીની મસ્જિદ મોહમ્મદિયાના હોલમાં શુક્રવારે કંઈક અલગ નજારો જોવા મળ્યો. ખરેખર, અહીં લગભગ 50થી વધુ બિન મુસ્લિમોને બોલાવવામાં આવ્યા હતા. તેમને ઈદ એ મિલાદના જુલુસ અંગે યોજાઈ રહેલી બેઠકમાં સામેલ કરવામાં આવ્યા હતા. મદરેસા અને મસ્જિદ મોહમ્મદિયાના મહાસચિવ ખુરશીદ સિદ્દીકીના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિન મુસ્લિમ સમૂહે નમાઝના રીતરિવાજો, મસ્જિદ, ઇસ્લામ અને ઇમામના રીતરિવાજો જાણ્યા. બિન મુસ્લિમોએ લગભગ એક કલાક મસ્જિદમાં વિતાવ્યો.

'ખુદા કે ભગવાનના ઘરમાં તાળું ચાવી નહીં હોવી જોઈએ'

ખુરશીદ સિદ્દીકીએ કહ્યું કે ખુદા કે ભગવાનના ઘરમાં તાળું ચાવી ન હોવી જોઈએ. આ બધા માટે ખુલ્લું હોવું જોઈએ. તેમણે કહ્યું કે બિન મુસ્લિમ લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે જેથી તેમને પણ ખબર પડે કે અમે મસ્જિદોમાં શું કરીએ છીએ. મસ્જિદો અંગે જે ગેરસમજ ફેલાવવામાં આવી છે તેને દૂર કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે કેટલાક નમાઝીઓને છોડીને જેમને ખુરશી પર બેસીને નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી છે, તેમના સિવાય સામાન્ય રીતે મસ્જિદોમાં ખુરશીઓ રાખવામાં આવતી નથી, પરંતુ હિંદુ લોકોના મસ્જિદમાં આવવા પર તેમને ખુરશીઓ પર બેસાડવામાં આવ્યા હતા.

'આ પ્રકારની પહેલથી શાંતિ અને ભાઈચારો વધશે'

મસ્જિદની મુલાકાત લેનારા એક હિંદુ વ્યક્તિએ કહ્યું કે ત્યાં જઈને મને ખૂબ ખુશી મળી. મસ્જિદ વિશે ઘણી વખત અલગ અલગ વાતો કહેવામાં આવે છે. પરંતુ મસ્જિદ એક પ્રાર્થના કક્ષ સિવાય કંઈ નથી, જ્યાં મુસ્લિમો સામૂહિક રૂપે નમાઝ અદા કરે છે. આ પ્રકારની પહેલથી શાંતિ અને ભાઈચારો વધે છે. તેમણે કહ્યું કે જે રીતે મુસ્લિમોએ મસ્જિદોમાં અમારું સ્વાગત કર્યું તે જ રીતે મુસ્લિમો માટે મંદિર, ગુરુદ્વારા અને ચર્ચ ખોલવા જોઈએ.

હિંદુ લોકોએ પૂછ્યા અનેક સવાલો

મસ્જિદની મુલાકાત દરમિયાન હિંદુ લોકોએ અનેક રસપ્રદ સવાલો પણ પૂછ્યા. એક વ્યક્તિએ પૂછ્યું કે શું અલ્લાહ બ્રહ્માંડીય ઊર્જાનું બીજું સ્વરૂપ છે. જેના પર તેમને જણાવવામાં આવ્યું કે મુસ્લિમ માન્યતા અનુસાર અલ્લાહ એક નિરાકાર શક્તિ છે જે સ્વશાસિત છે અને આ દુનિયાને ચલાવે છે. જ્યારે એક વ્યક્તિએ પૂછ્યું કે મુસલમાનો દાઢી કેમ રાખે છે જેના પર જણાવવામાં આવ્યું કે મુસલમાનો ભવિષ્યવાણી પરંપરાના ભાગ રૂપે દાઢી રાખે છે.

ઇમામ મુફ્તી મોહમ્મદ શારફે આલમ કાસમીએ કહ્યું કે મસ્જિદમાં હિંદુ લોકોની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે તેમને પણ ખરેખર ખબર પડે કે મસ્જિદોમાં શું થાય છે. સાંજની નમાઝના સમયે હિંદુ લોકોને એક બાજુના રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમની સામે મુસ્લિમોએ નમાઝ અદા કરી.

આ પણ વાંચોઃ

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
Weather Update: ગુજરાત સહિત કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Air India: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં  ટર્બ્યુલન્સ, દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ, મુસાફરોને સમાન્ય ઇજાઓ
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'
Tamilnadu Politics: અટકાયત બાદ ઉદયનિધિ સ્ટાલિનની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- 'શું મેં...'

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget