શોધખોળ કરો

મુંબઈની એક મસ્જિદમાં અચાનક પહોંચ્યા 50થી વધુ હિંદુ, મુસ્લિમોએ કર્યું સ્વાગત, જાણો શું હતું કારણ?

Mumbai News: વિક્રોલીની એક મસ્જિદમાં શુક્રવારે 50 જેટલા હિંદુ લોકો પહોંચ્યા. તેમણે મુસ્લિમોની નમાઝ અને મસ્જિદના રીતરિવાજો જાણ્યા.

Id e Milad 2024: મુંબઈના વિક્રોલીની મસ્જિદ મોહમ્મદિયાના હોલમાં શુક્રવારે કંઈક અલગ નજારો જોવા મળ્યો. ખરેખર, અહીં લગભગ 50થી વધુ બિન મુસ્લિમોને બોલાવવામાં આવ્યા હતા. તેમને ઈદ એ મિલાદના જુલુસ અંગે યોજાઈ રહેલી બેઠકમાં સામેલ કરવામાં આવ્યા હતા. મદરેસા અને મસ્જિદ મોહમ્મદિયાના મહાસચિવ ખુરશીદ સિદ્દીકીના નેતૃત્વમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિન મુસ્લિમ સમૂહે નમાઝના રીતરિવાજો, મસ્જિદ, ઇસ્લામ અને ઇમામના રીતરિવાજો જાણ્યા. બિન મુસ્લિમોએ લગભગ એક કલાક મસ્જિદમાં વિતાવ્યો.

'ખુદા કે ભગવાનના ઘરમાં તાળું ચાવી નહીં હોવી જોઈએ'

ખુરશીદ સિદ્દીકીએ કહ્યું કે ખુદા કે ભગવાનના ઘરમાં તાળું ચાવી ન હોવી જોઈએ. આ બધા માટે ખુલ્લું હોવું જોઈએ. તેમણે કહ્યું કે બિન મુસ્લિમ લોકોને અહીં બોલાવવામાં આવ્યા છે જેથી તેમને પણ ખબર પડે કે અમે મસ્જિદોમાં શું કરીએ છીએ. મસ્જિદો અંગે જે ગેરસમજ ફેલાવવામાં આવી છે તેને દૂર કરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે કેટલાક નમાઝીઓને છોડીને જેમને ખુરશી પર બેસીને નમાઝ પઢવાની મંજૂરી આપવામાં આવી છે, તેમના સિવાય સામાન્ય રીતે મસ્જિદોમાં ખુરશીઓ રાખવામાં આવતી નથી, પરંતુ હિંદુ લોકોના મસ્જિદમાં આવવા પર તેમને ખુરશીઓ પર બેસાડવામાં આવ્યા હતા.

'આ પ્રકારની પહેલથી શાંતિ અને ભાઈચારો વધશે'

મસ્જિદની મુલાકાત લેનારા એક હિંદુ વ્યક્તિએ કહ્યું કે ત્યાં જઈને મને ખૂબ ખુશી મળી. મસ્જિદ વિશે ઘણી વખત અલગ અલગ વાતો કહેવામાં આવે છે. પરંતુ મસ્જિદ એક પ્રાર્થના કક્ષ સિવાય કંઈ નથી, જ્યાં મુસ્લિમો સામૂહિક રૂપે નમાઝ અદા કરે છે. આ પ્રકારની પહેલથી શાંતિ અને ભાઈચારો વધે છે. તેમણે કહ્યું કે જે રીતે મુસ્લિમોએ મસ્જિદોમાં અમારું સ્વાગત કર્યું તે જ રીતે મુસ્લિમો માટે મંદિર, ગુરુદ્વારા અને ચર્ચ ખોલવા જોઈએ.

હિંદુ લોકોએ પૂછ્યા અનેક સવાલો

મસ્જિદની મુલાકાત દરમિયાન હિંદુ લોકોએ અનેક રસપ્રદ સવાલો પણ પૂછ્યા. એક વ્યક્તિએ પૂછ્યું કે શું અલ્લાહ બ્રહ્માંડીય ઊર્જાનું બીજું સ્વરૂપ છે. જેના પર તેમને જણાવવામાં આવ્યું કે મુસ્લિમ માન્યતા અનુસાર અલ્લાહ એક નિરાકાર શક્તિ છે જે સ્વશાસિત છે અને આ દુનિયાને ચલાવે છે. જ્યારે એક વ્યક્તિએ પૂછ્યું કે મુસલમાનો દાઢી કેમ રાખે છે જેના પર જણાવવામાં આવ્યું કે મુસલમાનો ભવિષ્યવાણી પરંપરાના ભાગ રૂપે દાઢી રાખે છે.

ઇમામ મુફ્તી મોહમ્મદ શારફે આલમ કાસમીએ કહ્યું કે મસ્જિદમાં હિંદુ લોકોની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે તેમને પણ ખરેખર ખબર પડે કે મસ્જિદોમાં શું થાય છે. સાંજની નમાઝના સમયે હિંદુ લોકોને એક બાજુના રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને તેમની સામે મુસ્લિમોએ નમાઝ અદા કરી.

આ પણ વાંચોઃ

Modi 3.0: મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ, પ્રથમ 100 દિવસમાં 3 લાખ કરોડના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સને મંજૂરી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
દિલ્લીના કરોલબાગમાં  બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
દિલ્લીના કરોલબાગમાં બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sabarkantha Accident|  ઈડર-ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક ચાલકે બાઈકને મારી ટક્કર, માતા-પુત્રનું મોતJammu Kashmir| 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું આજે મતદાન, BJP, કોંગ્રેસ-NC અને PDP વચ્ચે ચૂંટણી જંગPager Blast Lebanon | પેજર બ્લાસ્ટથી હચમચ્યું લેબનાન, 11ના મોત; ચાર હજારથી વધુ ઘાયલ | Abp AsmitaAmbaji Grand fair | ‘બોલ માડી અંબે..’ના નાદથી ગુંજ્યું અંબાજી ધામ, જુઓ એબીપીનું સ્પેશિયલ રિપોર્ટિંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
IND vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં સરફરાઝને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી દીધું સ્પષ્ટ
દિલ્લીના કરોલબાગમાં  બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
દિલ્લીના કરોલબાગમાં બે માળની બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં અનેક લોકો દબાયા, 12નું કરાયું રેસ્ક્યુ
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
Lebanon Pager Blast: શું મોસાદે તાઇવાનની કંપની સાથે મળીને અગાઉથી લખી હતી પેજર વિસ્ફોટની સ્ક્રિપ્ટ, જાણો વિગતે
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
'15 દિવસની અંદર અરવિંદ કેજરીવાલ ખાલી કરી દેશે મુખ્યમંત્રી આવાસ': સંજય સિંહ
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે રહેશે મેઘમહેર, હવામાન વિભાગની આગાહી
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
IND vs BAN 1st Test Live Streaming: ગંભીરના કોચિંગમાં પ્રથમ ટેસ્ટ રમવા ઉતરશે ટીમ ઇન્ડિયા, જાણો આ રીતે મફતમાં જોઇ શકશો મેચ
આયુષ્યમાન કાર્ડમાં કેટલા લાખની સારવાર કરાવી ચૂક્યા છો તમે, આ રીતે જાણી શકશો
આયુષ્યમાન કાર્ડમાં કેટલા લાખની સારવાર કરાવી ચૂક્યા છો તમે, આ રીતે જાણી શકશો
Embed widget