શોધખોળ કરો

ભારત અને પાકિસ્તાને એકબીજા પર મિસાઈલ હુમલો કરવાની આપી હતી ધમકી: રિપોર્ટ

પુલવામામાં હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર એરફોર્સ દ્ધારા એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. બંન્ને દેશોએ એકબીજા પર મિસાઇલથી હુમલો કરવાની ધમકીઓ આપી હતી પરંતુ અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંન્ને નરમ પડ્યા હતા.

નવી દિલ્હીઃ પુલવામામાં સીઆરપીએફ પર હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર એરફોર્સ દ્ધારા એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. બંન્ને દેશોએ એકબીજા પર મિસાઇલથી હુમલો કરવાની ધમકીઓ આપી હતી પરંતુ અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંન્ને નરમ પડ્યા હતા. આ ખુલાસો ન્યૂઝ એજન્સી રોઇટર્સે પોતાના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કર્યો હતો. રોયટર્સે પાંચ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન સહિત અમેરિકાના અધિકારીઓના હસ્તક્ષેપ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો સંઘર્ષ ટળ્યો હતો. રિપોર્ટ અનુસાર, પશ્વિમી ડિપ્લોમેટ્સ અને નવી દિલ્હી, ઇસ્લામાબાદ અને વોશિંગ્ટન સ્થિત સરકારી સૂત્રોએ જણાવ્યું કે, એક સમયે તો ભારતે પાકિસ્તાન પર ઓછામાં ઓછી 6 મિસાઇલ વડે હુમલો કરવાની ધમકી આપી હતી. તેના પર ઇસ્લામાબાદે પણ ભારતની એક મિસાઈલનો જવાબ ત્રણ ગણી મિસાઇલો ફેંકવાની ધમકી આપી દીધી હતી. રિપોર્ટ અનુસાર, 27 ફેબ્રુઆરીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈના પ્રમુખ આસિમ મુનીરને ફોન કર્યો હતો. ડોભાલે કહ્યું હતું કે અભિનંદન પાકિસ્તાનના કબજામા હોવા છતાં પણ ભારત આતંકવાદ વિરોધી અભિયાનથી પાછળ નહીં હટે. PMએ ટ્વિટર પર બદલ્યુ નામ, હવે ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’, અનેક BJP નેતા પણ બન્યા 'ચોકીદાર' ડોભાલે મુનીરને કહ્યું કે ભારતની લડાઈ તે આતંકી સંગઠનો સામે છે જે પાકિસ્તાની જમીન પર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. રૉઈટર્સ અનુસાર, પાકિસ્તાન સરકારના એક મંત્રી સાથે-સાથે ઇસ્લામાંબાદમાં એક પશ્ચિમી ડિપ્લોમેટ્સે પણ આ વાતની પુષ્ટિ કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચિન્હિત કરેલા લક્ષ્યો પર 6 મિસાઈલ હુમલાની ધમકી આપી હતી. તેઓએ (સૂત્રોએ) આ સ્પષ્ટ નથી જણાવ્યું કે કોણે કોને ધમકી આપી અને કોણે ફોન ઉપાડ્યો હતો, પરંતુ પાકિસ્તાનના મંત્રીએ જણાવ્યું કે તે સમયે બન્ને દેશોની ગુપ્ત એજન્સીઓ એક બીજાના સંપર્કમાં હતી અને હાલમાં પણ સંપર્કમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રૉઈટર્સે ડોભાલની ઓફિસથી તેના પર ટિપ્પણી કરવાની વિનંતી કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે રૉઈટર્સ દ્વારા માંગવામાં આવેલી પ્રતિક્રિયાના જવાબમાં પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ કહ્યું કે ભારત આ વાતથી અજાણ હતું કે પાકિસ્તાનને મિસાઈલ હુમલાની ધમકી આપવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ પણ તેના પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે, જ્યારે મુનીર સાથે રૉઈટર્સનો સંપર્ક થઈ શક્યો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયથી પણ રૉઈટર્સે આ અંગે પ્રતિક્રિયા માંગી હતી. પરંતુ ત્યાંથી પણ કોઈ જ જવાબ મળ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget