શોધખોળ કરો

ભારત અને પાકિસ્તાને એકબીજા પર મિસાઈલ હુમલો કરવાની આપી હતી ધમકી: રિપોર્ટ

પુલવામામાં હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર એરફોર્સ દ્ધારા એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. બંન્ને દેશોએ એકબીજા પર મિસાઇલથી હુમલો કરવાની ધમકીઓ આપી હતી પરંતુ અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંન્ને નરમ પડ્યા હતા.

નવી દિલ્હીઃ પુલવામામાં સીઆરપીએફ પર હુમલાના જવાબમાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ પર એરફોર્સ દ્ધારા એરસ્ટ્રાઇક કર્યા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે એક સમયે યુદ્ધ જેવી પરિસ્થિતિ પેદા થઇ ગઇ હતી. બંન્ને દેશોએ એકબીજા પર મિસાઇલથી હુમલો કરવાની ધમકીઓ આપી હતી પરંતુ અમેરિકાના હસ્તક્ષેપ બાદ બંન્ને નરમ પડ્યા હતા. આ ખુલાસો ન્યૂઝ એજન્સી રોઇટર્સે પોતાના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને કર્યો હતો. રોયટર્સે પાંચ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન સહિત અમેરિકાના અધિકારીઓના હસ્તક્ષેપ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો સંઘર્ષ ટળ્યો હતો. રિપોર્ટ અનુસાર, પશ્વિમી ડિપ્લોમેટ્સ અને નવી દિલ્હી, ઇસ્લામાબાદ અને વોશિંગ્ટન સ્થિત સરકારી સૂત્રોએ જણાવ્યું કે, એક સમયે તો ભારતે પાકિસ્તાન પર ઓછામાં ઓછી 6 મિસાઇલ વડે હુમલો કરવાની ધમકી આપી હતી. તેના પર ઇસ્લામાબાદે પણ ભારતની એક મિસાઈલનો જવાબ ત્રણ ગણી મિસાઇલો ફેંકવાની ધમકી આપી દીધી હતી. રિપોર્ટ અનુસાર, 27 ફેબ્રુઆરીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈના પ્રમુખ આસિમ મુનીરને ફોન કર્યો હતો. ડોભાલે કહ્યું હતું કે અભિનંદન પાકિસ્તાનના કબજામા હોવા છતાં પણ ભારત આતંકવાદ વિરોધી અભિયાનથી પાછળ નહીં હટે. PMએ ટ્વિટર પર બદલ્યુ નામ, હવે ‘ચોકીદાર નરેન્દ્ર મોદી’, અનેક BJP નેતા પણ બન્યા 'ચોકીદાર' ડોભાલે મુનીરને કહ્યું કે ભારતની લડાઈ તે આતંકી સંગઠનો સામે છે જે પાકિસ્તાની જમીન પર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. રૉઈટર્સ અનુસાર, પાકિસ્તાન સરકારના એક મંત્રી સાથે-સાથે ઇસ્લામાંબાદમાં એક પશ્ચિમી ડિપ્લોમેટ્સે પણ આ વાતની પુષ્ટિ કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચિન્હિત કરેલા લક્ષ્યો પર 6 મિસાઈલ હુમલાની ધમકી આપી હતી. તેઓએ (સૂત્રોએ) આ સ્પષ્ટ નથી જણાવ્યું કે કોણે કોને ધમકી આપી અને કોણે ફોન ઉપાડ્યો હતો, પરંતુ પાકિસ્તાનના મંત્રીએ જણાવ્યું કે તે સમયે બન્ને દેશોની ગુપ્ત એજન્સીઓ એક બીજાના સંપર્કમાં હતી અને હાલમાં પણ સંપર્કમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રૉઈટર્સે ડોભાલની ઓફિસથી તેના પર ટિપ્પણી કરવાની વિનંતી કરી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નથી. જ્યારે રૉઈટર્સ દ્વારા માંગવામાં આવેલી પ્રતિક્રિયાના જવાબમાં પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ કહ્યું કે ભારત આ વાતથી અજાણ હતું કે પાકિસ્તાનને મિસાઈલ હુમલાની ધમકી આપવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ પણ તેના પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો છે, જ્યારે મુનીર સાથે રૉઈટર્સનો સંપર્ક થઈ શક્યો નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયથી પણ રૉઈટર્સે આ અંગે પ્રતિક્રિયા માંગી હતી. પરંતુ ત્યાંથી પણ કોઈ જ જવાબ મળ્યો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ
દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું: આવતીકાલે ગુજરાત સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
Embed widget