![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
INDIA Bloc Rally: 'મેચ ફિક્સિંગ થઈ રહી છે, આ સામાન્ય ચૂંટણી નથી', EVMને લઈ રાહુલ ગાંધીએ કરી આ મોટી વાત
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે (31 માર્ચ) રામલીલા મેદાનમાં લોકશાહી બચાવો રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી.
![INDIA Bloc Rally: 'મેચ ફિક્સિંગ થઈ રહી છે, આ સામાન્ય ચૂંટણી નથી', EVMને લઈ રાહુલ ગાંધીએ કરી આ મોટી વાત india bloc rally rahul gandhi slams pm modi lok sabha election 2024 not ordinary save democracy INDIA Bloc Rally: 'મેચ ફિક્સિંગ થઈ રહી છે, આ સામાન્ય ચૂંટણી નથી', EVMને લઈ રાહુલ ગાંધીએ કરી આ મોટી વાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/31/1895261dd10126c6927a7d2c4b8d5cb3171188145200178_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Loktantra Bachao Rally In Delhi: કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે (31 માર્ચ) રામલીલા મેદાનમાં લોકશાહી બચાવો રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ ચૂંટણી કોઈ સામાન્ય ચૂંટણી નથી. આ ચૂંટણી લોકશાહી, બંધારણ, ગરીબો અને ખેડૂતોને બચાવવાની ચૂંટણી છે. તેમણે આરોપ લગાવ્યો કે અહીં મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલા મેચ ફિક્સ કરી રહ્યા છે.
क्रिकेट में 'मैच फिक्सिंग' शब्द होता है।
— Congress (@INCIndia) March 31, 2024
नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं।
उनका 400 पार का नारा, बिना EVM, बिना मैच फिक्सिंग के 180 पार नहीं होने जा रहा है।
: लोकतंत्र बचाओ महारैली में @RahulGandhi जी#SaveDemocracy pic.twitter.com/Z2F8g0gXM4
રાહુલ ગાંધીએ કહ્યું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન અહીં નથી, પરંતુ તેઓ તેમના દિલમાં છે. 'ઈન્ડિયા એલાયન્સ'ના તમામ કાર્યકરોનું સ્વાગત કરતાં તેમણે કહ્યું કે આજકાલ આઈપીએલની મેચો ચાલી રહી છે. તેમણે કહ્યું કે તમે મેચ ફિક્સિંગ શબ્દ સાંભળ્યો હશે, જ્યારે અમ્પાયરને ખરીદીને અને કેપ્ટનને ડરાવીને મેચ જીતવામાં આવે છે. રાહુલે કહ્યું કે અમારી ટીમની મેચ પહેલા બે ખેલાડીઓ (કેજરીવાલ-સોરેન)ને ફિક્સ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
नरेंद्र मोदी ‘मैच फिक्सिंग’ से चुनाव जीत कर संविधान बदलना चाहते हैं।
— Rahul Gandhi (@RahulGandhi) March 31, 2024
प्लेयर खरीद कर, कैप्टन को डरा कर, अंपायर पर दबाव डाल कर और EVM के दम पर 400 पार का नारा लगा रहे हैं।
जबकि हकीकत में सब मिला कर भी वह 180 पार करने की हालत में नहीं हैं।
यह चुनाव सिर्फ सरकार बनाने का चुनाव नहीं…
'EVM અને સોશિયલ મીડિયા વગર 180ને પાર નહીં કરે'
રાહુલ ગાંધીએ રેલી દરમિયાન ઈવીએમ મશીન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ (નરેન્દ્ર મોદી) આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈવીએમ અને સોશિયલ મીડિયા વિના 180 પાર નહી કરે. તેમણે કહ્યું કે ઈવીએમનું સંચાલન કર્યા વિના 400નો આંકડો પાર કરી શકાતો નથી.
'દેશની સૌથી મોટી પાર્ટીનું ખાતું સીઝ કરાયું'
કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતા જપ્ત કરવાના મુદ્દે રાહુલ ગાંધીએ મંચ પરથી કહ્યું કે કોંગ્રેસ વિપક્ષની સૌથી મોટી પાર્ટી છે. અમારા તમામ બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી વચ્ચે બેંક ખાતા બંધ કરી દેવામાં આવ્યા છે. પૈસા આપીને સરકારને નીચે લાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જે દિવસે બંધારણ ખતમ થઈ જશે તે દિવસે ભારત બચશે નહીં. બંધારણ એ ભારતના લોકોનો અવાજ છે. તમે ભારતનો અવાજ દબાવી શકતા નથી.
કર્ણાટકના બીજેપી સાંસદ અનંતકુમાર હેગડેના નિવેદનનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે તેમના સાંસદ કહી રહ્યા છે કે અમે 400 સીટો જીતતા જ બંધારણ બદલી નાખીશું.
'પોલીસ અને ધમકીઓથી બંધારણ ન ચલાવી શકાય'
રાહુલ ગાંધીએ કહ્યું કે, પોલીસ અને ધમકીઓ દ્વારા બંધારણ લાગુ કરી શકાય નહીં. અલગ રાજ્યો થશે, ભારત નહીં બચે. પોલીસ, CBI, EDની મદદથી નેતાઓને ડરાવવાનું કામ થઈ રહ્યું છે, પરંતુ તમે જનતાનો અવાજ દબાવી શકતા નથી. કોંગ્રેસ નેતા રાહુલે પણ નોટબંધી અને GST પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે નોટબંધી અને GSTના અમલથી કોને ફાયદો થયો છે ? આનાથી કોઈને ફાયદો થયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)