શોધખોળ કરો

Indian Flag : ભારતનો તિરંગો ઉતારનારાઓને એસ જયશંકરની ખુલ્લી ચેતવણી

હવે આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચેતવણી આપી છે અને કહ્યું હતું કે, આજનું ભારત રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવાની ઘટનાને સાંખી નહીં લે.

Indian National Flag : લંડન સ્થિત ભારતીય હાઈ કમિશનમાં ખાલિસ્તાનીઓ દ્વારા તિરંગાના કરવામાં આવેલા કથિત અપમાનને લઈને ભારત સરકાર દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચેતવણી આપી છે અને કહ્યું હતું કે, આજનું ભારત રાષ્ટ્રધ્વજને નીચે ઉતારવાની ઘટનાને સાંખી નહીં લે.

વિદેશમંત્રી એસ જયશંકરે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું હતું કે, ભૂતકાળમાં લંડન, કેનેડા અને સાન ફ્રાન્સિસ્કોમાં કેટલીક ઘટનાઓ જોવા મળી છે. પરંતુ ભારત તેના રાષ્ટ્રધ્વજને નીચે ઉતારી લેવાની વાતને સાંખી નહીં લે. એસ જયશંકરે કહ્યું હતું કે, જ્યારે આ બન્યું ત્યારે અમારા હાઈ કમિશનરે તે બિલ્ડિંગમાં મોટો ધ્વજ લગાવ્યો હતો.

તાજેતરમાં વિરોધીઓના એક જૂથે ખાલિસ્તાની તરફી સૂત્રોચ્ચાર કરીને લંડનમાં ભારતીય હાઈ કમિશનની ઉપર લહેરાવેલા ત્રિરંગાને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે તેના હાઈ કમિશનની સુરક્ષાને લઈને બ્રિટિશ સરકાર સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને પરિસરમાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થાના અભાવ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

'ઇન્ડિયા હાઉસ' બિલ્ડિંગ પર ચડતા લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. ત્યારબાદ વિદેશ મંત્રાલયે આકરૂ વલણ દાખવતા કહ્યું હતું કે, સુરક્ષા વ્યવસ્થાની ગેરહાજરી માટે યુકે પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જેણે આ તત્વોને હાઈ કમિશન પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ સંદર્ભે તેમને વિયેના સંમેલન હેઠળ બ્રિટિશ સરકારની મૂળભૂત જવાબદારીઓની યાદ અપાવી હતી.

જાહેર છે કે, થોડા દિવસ પહેલા જ ખાલિસ્તાન તરફી દેખાવકારોના એક જૂથે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર પણ હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. ખાલિસ્તાન તરફી નારા લગાવતા તેઓએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા અને કોન્સ્યુલેટ પરિસરમાં બે કહેવાતા ખાલિસ્તાની ધ્વજ લગાવ્યા હતાં. જો કે, કોન્સ્યુલેટના બે કર્મચારીઓ દ્વારા તરત જ ધ્વજ હટાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને દુનિયાભરમાં હોબાળો મચી જવા પામ્યો હતો.

Jaishankar : ક્રિકેટનો ઉલ્લેખ કરી એસ જયશંકરે ખોલી નાખ્યું PM મોદીનું સિક્રેટ

Jaishankar On PM Modi: વિદેશ મંત્રી એસ જયશંકરે મોદી સરકારના કામકાજની સરખામણી ક્રિકેટ ટીમ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સવારે 6 વાગ્યાથી નેટ પ્રેક્ટિસ શરૂ થાય છે. જે મોડી રાત સુધી ચાલુ રહે છે. જો પીએમ તમને તક આપે છે, તો તેઓ તમારી પાસેથી વિકેટ લેવાની પણ અપેક્ષા રાખે છે. રાયસીના ડાયલોગ 2023ની 8મી સંસ્કરણ દરમિયાન જયશંકરે આ વાત હળવાશથી કહી હતી.

ભારતની વિદેશ નીતિમાં વધતી જતી રુચિ અંગે જયશંકરે કહ્યું હતું કે, આજે વિશ્વ મુશ્કેલ સ્થિતિમાં ઉભું છે. દુનિયામાં લોકોની રુચિ વધી છે. બીજું કારણ ભારતનું વૈશ્વિકીકરણ છે. એક ક્રિકેટ ટીમ તરીકે અમે ફક્ત ઘરઆંગણે મેચો જ જીતવા માંગતા નથી. અમે વિદેશમાં પણ એવું જ કરવા માંગીએ છીએ.

 
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?
Embed widget