શોધખોળ કરો

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો

IndiGo Crisis: ઇન્ડિગોએ જણાવ્યું છે કે કટોકટી કોઈ એક પરિબળને કારણે નહીં, પરંતુ અનેક પરિબળોને કારણે થઈ હતી

IndiGo Crisis:


દેશની સૌથી મોટી એરલાઇન્સ ઇન્ડિગોએ છેલ્લા સાત દિવસથી ચાલી રહેલા આ સંકટ અંગે સરકારને વિગતવાર રિપોર્ટ સોંપ્યો છે. 3 ડિસેમ્બરથી શરૂ થયેલી આ અવ્યવસ્થામાં અત્યાર સુધીમાં 3900થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેના કારણે દેશભરના મુસાફરોને અસુવિધા થઈ છે. તેના જવાબમાં, એરલાઇને જણાવ્યું હતું કે તે પરિસ્થિતિથી ખૂબ જ દુઃખી છે અને તમામ મુસાફરોની માફી માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોએ એક પત્રમાં તેનો જવાબ રજૂ કર્યો હતો, જેને પ્રાઈવેટ રાખવામાં આવ્યો છે.

ઇન્ડિગોએ જણાવ્યું છે કે કટોકટી કોઈ એક પરિબળને કારણે નહીં, પરંતુ અનેક પરિબળોને કારણે થઈ હતી જેના કારણે પરિસ્થિતિ અચાનક બગડી હતી. એરલાઇને જણાવ્યું હતું કે તેની કામગીરીનું પ્રમાણ એટલું મોટું છે કે એક જ કારણ નક્કી કરવું અશક્ય છે. ઈન્ડિગોએ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ને કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે વધુ સમય આપવા વિનંતી કરી છે, કારણ કે નિયમો 15 દિવસ સુધીનો સમય આપે છે. એરલાઇને જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સંપૂર્ણ રૂટ-કોઝ એનાલિસિસ શેર કરશે.

એરલાઈને તેની પ્રારંભિક તપાસમાં ઘણા કારણો ટાંક્યા છે. આમાં શિયાળાના સમયપત્રકના અમલીકરણ, કેટલીક ટેકનિકલ સમસ્યાઓ, ખરાબ હવામાન, એરસ્પેસની ભીડ અને FDTL ફેઝ II હેઠળ નવા પાયલટ ડ્યુટી નિયમો સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે. ઇન્ડિગોએ અગાઉ આ નિયમો અંગે DGCA સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી અને કામચલાઉ રાહતની માંગ કરી હતી. કંપનીએ સ્વીકાર્યું હતું કે આ પરિબળોની સંયુક્ત અસરથી પાયલટની ઉપલબ્ધતા પર અસર પડી હતી અને નોંધપાત્ર સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે તેની સમયસર કામગીરીમાં અચાનક ઘટાડો થયો હતો.

સરકારે આ બાબતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે, જે ક્રૂ મેનેજમેન્ટ, સ્ટાફ પ્લાનિંગ અને FDTL નિયમોના પાલનની તપાસ કરશે. ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સમિતિ સમક્ષ હાજર થશે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે તે ઝડપથી રિફંડ જાહેર કરી રહી છે, મુસાફરોને ફરીથી ફ્લાઈટ્સ, સંપૂર્ણ રિફંડ અને ગ્રાઉન્ડ સપોર્ટ પૂરો પાડી રહી છે. અત્યાર સુધીમાં 610 કરોડ રૂપિયાથી વધુના રિફંડની પ્રક્રિયા કરવામાં આવી છે.

ઇન્ડિગો આજે 1,800થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. 7 ડિસેમ્બરના રોજ 1,650 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું. 1 થી 7 ડિસેમ્બર, 2025ની વચ્ચે ઇન્ડિગોએ ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે 9,500થી વધુ હોટેલ રૂમ ઉપલબ્ધ કરાવ્યા હતા. લગભગ 10,000 કેબ અને બસો બુક કરવામાં આવી હતી. મુસાફરોને 4,500થી વધુ બેગ પહોંચાડવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Advertisement

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'મારા જીવનનો સૌથી દુઃખદ દિવસ': મેટલ કિંગ અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશનું નિધન, યુએસમાં થયો હતો અકસ્માત
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
'રશિયા-ચીન અમેરિકાથી ડરે છે': ઓઈલ ટેન્કર જપ્ત કર્યા બાદ ટ્રમ્પનો પુતિન અને જિનપિંગને પડકાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
મોદી 3.0 નું બીજું બજેટ! શું મોંઘવારીમાંથી મુક્તિ મળશે ? રવિવારે આવશે મોટા સમાચાર
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
સચિન પાયલટ, DK શિવકુમાર, કન્હૈયા કુમાર, ભૂપેશ બઘેલ...ચૂંટણી પહેલા કૉંગ્રેસે બનાવી નવી ટીમ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Union Budget 2026: પ્રથમ વખત રવિવારના દિવસે રજૂ થશે દેશનું બજેટ, સામે આવી તારીખ 
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
Gujarat Weather: સાવધાન! ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આ તારીખ સુધી ધ્રુજાવશે કાતિલ પવનો
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
હવે ઘરે બેઠા પોલીસ ફરિયાદ! GP-SMASH શું છે? જેનાથી 1163 લોકોના કામ ચપટી વગાડતા થયા
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
દેશ માટે સારા સમાચાર, નાણાકીય વર્ષ 2025-26માં GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની ધારણા, સરકારી આંકડા જાહેર
Embed widget