શોધખોળ કરો

પત્નીના મહેણા ટોણાથી પરેશાન થઈ પતિ બની ગયો કિન્નર, બાદમાં ભર્યું આ પગલું, જાણો વિગતે

પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્નીનું કોઈ સાથે અફેર હતું. તેં મને રોજ ટોણા મારતી હતી, જેના કારણે હું પરેશાન થઈ ગયો હતો.

જોધપુરઃ પરિવારમાં કંકાસના કારણે વ્યક્તિ ઘર છોડી કે આત્મહત્યા કરી લે તેવા કિસ્સા સાંભળ્યા છે. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક આશ્ચર્યચકિત કરી દેતો મામલો સામે આવ્યો છે. જેને સાંભળીને જજથી માંડી આમ આદમી પણ હેરાન રહી ગયા છે. જોધપુરમાં એક યુવક તેની પત્નીથી પરેશાન થઈને કિન્નર બની ગયો હતો. આ અનોખો કિસ્સો જોધપુરની ફેમિલી કોર્ટમાં શનિવારે સામે આવ્યો હતો. જ્યાં લગ્નના 13 વર્ષ બાદ પતિ-પત્ની પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા. બંનેના છૂટાછેડાને કોર્ટમાં પણ મંજૂરી મળી ગઈ હતી. તેમને સંતાનમાં 11 વર્ષનો એક દીકરો પણ છે. યુવકે 2017માં કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટના જજ મહેન્દ્રકુમાર સિંઘલ તથા દીનદયાળ પુરોહિતે બંનેનું કાઉન્સેલિંગ કરીને તેમને સમજાવ્યા પણ હતા. તેમ છતાં સાથે રહેવા તૈયાર નહોતા થયા. જોધપુરના ગુલઝારપુરાના રહેવાસી વ્યકિતના 2007માં અજમેરની યુવતી સાથે નિકાહ થયા હતા. બંને પરસ્પરમાં મામા-ફઈના બાળકો છે. લગ્નના એક બે વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પુત્રના જન્મ બાદ એક દિવસ બંને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે તેઓ એકબીજાનું મોં જોવાનું પણ પસંદ કરતા નહોતા કે વાત પણ કરતા નહોતા. પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્નીનું કોઈ સાથે અફેર હતું. તેં મને રોજ ટોણા મારતી હતી, જેના કારણે હું પરેશાન થઈ ગયો હતો. તેની પત્નીએ પણ પતિ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું, તે કોઈ કામ ધંધો નહોતો કરતો. જેમ તેમ કરીને ગાડું ગબડતું હતું. આ કારણે અમે બંનેએ અલગ રહેવાનો ફેંસલો કર્યો. આ દરમિયાન એક દિવસ યુવક લિંગ પરિવર્તન કરીને કિન્નર બની ગયો અને રીટા બાઈને ગુરુ બનાવી લીધા. થોડા સમય સુધી પત્નીને આ અંગે કોઈ ખબર ન પડી પરંતુ જ્યારે 2014માં વિવાદ વધી ગયો ત્યારે તેણે કિન્નર બન્યાની વાત પત્નીને કરી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ
Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget