શોધખોળ કરો

Presidential Polls: રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ વિપક્ષી દળો સાથે વાત કરશે BJP, નડ્ડા અને રાજનાથસિંહે મળી મહત્વની જવાબદારી

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને રક્ષામંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) ને એનડીએ  (NDA) અને યૂપીએ  (UPA) ના તમામ પક્ષો સાથે વિચાર વિમર્શ કરવા માટે અધિકૃત કર્યા છે.

Presidential Polls: ભાજપે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને રક્ષામંત્રી રાજનાથ સિંહ(Rajnath Singh) ને એનડીએ  (NDA) અને યૂપીએ  (UPA) ના તમામ પક્ષો સાથે વિચાર વિમર્શ કરવા માટે અધિકૃત કર્યા છે.  ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને ચર્ચા માટે અધિકૃત કર્યા છે. તેઓ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA)ના તમામ ઘટક પક્ષો તેમજ અન્ય રાજકીય પક્ષો અને અપક્ષો સાથે ચર્ચા કરશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ટૂંક સમયમાં પરામર્શની પ્રક્રિયા શરૂ કરશે.

તમને જણાવી દઈએ કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, જો રાષ્ટ્રપતિ પદ માટે એકથી વધુ વ્યક્તિઓએ નામાંકન કર્યું હોય, તો નવા રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈએ મતદાન થશે અને મતગણતરી 21 જુલાઈએ થશે. આ ચૂંટણીમાં 4,809 મતદારો હશે, જેમાંથી 776 સાંસદ અને 4,033 ધારાસભ્યો હશે. જેમાં રાજ્યસભાના 223 અને લોકસભાના 543 સભ્યોનો સમાવેશ થાય છે.

ભાજપે ઘેરાબંધી શરૂ કરી

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ભાજપે ઘેરાબંધી શરૂ કરી દીધી છે. કોંગ્રેસની આગેવાની હેઠળના યુપીએ ગઠબંધન પાસે હાલમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં લગભગ 23 ટકા વોટ છે, જ્યારે એનડીએ ગઠબંધન પાસે લગભગ 49 ટકા વોટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 15 જૂન પછી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ બંને ઉમેદવારોના નામ પર ચર્ચા થશે. તે પહેલા પાર્ટીએ રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget