શોધખોળ કરો

પાંચ વર્ષના બાદ કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભઃ વિદેશ મંત્રાલયે ઓનલાઈન અરજીઓ મંગાવી, જાણો યાત્રાની સંપૂર્ણ વિગતો

ઉત્તરાખંડના લિપુલેખ અને સિક્કિમના નાથુ લા પાસ એમ બે રૂટથી ૭૫૦ શ્રદ્ધાળુઓ જશે, પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ, વેબસાઇટ પર અરજી શરૂ.

Kailash Manasarovar Yatra 2025: હિંદુઓ, જૈનો અને બૌદ્ધો માટે અત્યંત પવિત્ર ગણાતી કૈલાશ માનસરોવર યાત્રાનો પ્રારંભ પાંચ વર્ષના લાંબા ગાળા બાદ આ વર્ષે ૩૦ જૂન, ૨૦૨૫ થી થવા જઈ રહ્યો છે. કોવિડ મહામારી અને ચીન સાથેના તણાવ સહિતના કારણોસર વર્ષ ૨૦૨૦ થી આ યાત્રા સ્થગિત હતી. હવે યાત્રા ફરી શરૂ થવાની જાહેરાત સાથે શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર પ્રસરી છે.

યાત્રાની દેખરેખ રાખનાર વિદેશ મંત્રાલય (Ministry of External Affairs - MEA) એ જાહેરાત કરી છે કે કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે ૩૦ જૂનથી શરૂ થશે અને ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. મંત્રાલયે આ યાત્રા માટે અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે અને અરજી માટેની વિન્ડો ખોલવામાં આવી છે.

યાત્રાનો રૂટ અને શ્રદ્ધાળુઓની સંખ્યા:

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ વર્ષે કુલ ૭૫૦ શ્રદ્ધાળુઓને કૈલાશ પર્વત અને માનસરોવર તળાવના પવિત્ર સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રા ૧૫ જૂથોમાં વહેંચીને યોજવામાં આવશે, જેમાં દરેક જૂથમાં ૫૦ યાત્રાળુઓ હશે.

યાત્રા માટે બે સત્તાવાર માર્ગોનો ઉપયોગ કરવામાં આવશે. ૫૦ યાત્રાળુઓને લઈને પાંચ બેચ ઉત્તરાખંડના લિપુલેખ પાસ થઈને જશે, જેનો ઉપયોગ ૧૯૮૧ થી કરવામાં આવી રહ્યો છે. જ્યારે, ૫૦-૫૦ યાત્રાળુઓની ૧૦ બેચ સિક્કિમના નાથુ લા પાસ થઈને જશે, જેનો ઉપયોગ ૨૦૧૫ થી શરૂ થયો છે.

ઓનલાઈન અરજી પ્રક્રિયા:

કૈલાશ માનસરોવર યાત્રા પર જવા ઈચ્છુક રસ ધરાવતા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. વિદેશ મંત્રાલયે અરજીઓ સ્વીકારવા માટે વેબસાઇટ https://kmy.gov.in ને કાર્યરત કરી દીધી છે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે વાજબી, કમ્પ્યુટર-જનરેટેડ અને લિંગ-સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા અરજદારોમાંથી યાત્રાળુઓની પસંદગી કરવામાં આવશે. સમગ્ર અરજી પ્રક્રિયાથી લઈને યાત્રાળુઓની પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે. તેથી, અરજદારોએ માહિતી મેળવવા અથવા અન્ય કોઈ હેતુ માટે પત્રો કે ફેક્સ મોકલવાની જરૂર નથી. વેબસાઇટ પર આપવામાં આવેલા પ્રતિસાદ વિકલ્પોનો ઉપયોગ માહિતી મેળવવા, ટિપ્પણીઓ નોંધાવવા અથવા સુધારણા માટે સૂચનો કરવા માટે થઈ શકે છે.

કૈલાશ માનસરોવર યાત્રાનું ધાર્મિક મહત્વ ખૂબ જ ઊંચું છે અને દર વર્ષે હજારો યાત્રિકો આ પવિત્ર સ્થળની મુલાકાતે આવતા હોય છે. પાંચ વર્ષના વિરામ બાદ યાત્રા ફરી શરૂ થવાથી ભક્તોમાં આનંદનો માહોલ છે અને મોટી સંખ્યામાં લોકો અરજી કરે તેવી અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Marriage: 13 વર્ષની કિશોરીના 42 વર્ષીય યુવક સાથે કરાવાયા લગ્ન, બાળલગ્નના ચોંકાવનારા કિસ્સાથી હડકંપ
Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?
Attempt Limit In NEET UG: NEET UG પરીક્ષા માટે ઉંમર અને પ્રયાસ મર્યાદાના નિયમો થશે લાગૂ?
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત
Rajya Sabha Election 2026: ગુજરાતથી રાજસ્થાન સુધી, 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીની જાહેરાત

વિડિઓઝ

'બ્રહ્મસમાજ ભીખ માંગે તો નાનપ ન હોય', સ્વામિનારાયણના સાધુની વિવાદાસ્પદ ટિપ્પણી
Hun To Bolish : હું તો બોલીશ : બદલાશે મોસમનો મિજાજ ?
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જીકાસમાં રકાસ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડ્રાયફ્રુટ ગોળા બીમાર પાડશે
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Gujarat Rajya Sabha Election 2026: ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત 24 સીટ માટે ચૂંટણીની તારીખ જાહેર
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Share Market: શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 350 પૉઇન્ટ અપ, મારૂતિ અને ટ્રેન્ટમાં ઉછાળો
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price Today: સોના-ચાંદીની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
કૉકરોચ જનતા પાર્ટીના અડધા ફૉલોઅર્સ પાકિસ્તાની, બીજેપીના આ નેતાએ ડેટા શેર કરીને કર્યો દાવો
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
Cockroach Janta Party Viral: કોકરોચ જનતા પાર્ટીનો મેનિફેસ્ટો વાયરલ, જાણો ક્યાં મુદ્દા પર કાયદાની માંગ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
PM Modi Meeting: PM મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠક, સાડા 4 કલાક ચાલી મીટિંગ, જાણો શું આપ્યાં આદેશ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
Embed widget