શોધખોળ કરો

પહલગામ હુમલાના સ્થળે સેના કેમ તૈનાત નહોતી? સરકારે સર્વપક્ષીય બેઠકમાં આપ્યું મોટું કારણ

વિપક્ષે સુરક્ષા દળોની ગેરહાજરી પર ઉઠાવ્યા સવાલ, સરકારે કહ્યું - અમરનાથ યાત્રા પહેલા જ ટૂર ઓપરેટરોએ પ્રવાસીઓને મોકલ્યા અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ ન કરી.

Pahalgam terror attack: જમ્મુ અને કાશ્મીરના પહલગામની બૈસારન ખીણમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ દેશભરમાંથી સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને, હુમલા સમયે બૈસારન ખીણ જેવા મહત્વના પર્યટન સ્થળે સેનાના જવાનો કે સુરક્ષા દળો કેમ તૈનાત નહોતા, તે અંગે વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારને આકરા પ્રશ્નો પૂછ્યા હતા. કેન્દ્ર સરકારે ૨૪ એપ્રિલના રોજ દિલ્હીમાં બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં આ અંગે ખુલાસો કર્યો હતો અને એક મોટું કારણ સામે આવ્યું છે.

પહલગામ આતંકી હુમલા બાદ રાજકીય પક્ષોને પરિસ્થિતિથી વાકેફ કરવા અને તેમના મંતવ્યો જાણવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઔપચારિક રીતે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓના મોત થયા ત્યારે બાયસરનમાં સુરક્ષા દળોની ગેરહાજરી કેમ હતી? સૈનિકો ત્યાં કેમ તૈનાત ન હતા? રાહુલ ગાંધીના આ સવાલનું સમર્થન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત અન્ય ઘણા નેતાઓએ પણ કર્યું હતું.

સરકારે સુરક્ષા દળોની ગેરહાજરી અંગેનો જવાબ આપ્યો

NDTVના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠકમાં બૈસારન ખીણમાં સુરક્ષા દળોની ગેરહાજરી અંગેના પ્રશ્નનો જવાબ આપ્યો હતો અને તેના પાછળનું કારણ સ્પષ્ટ કર્યું હતું.

કેન્દ્ર સરકારે જણાવ્યું કે, બૈસારન ખીણને સામાન્ય રીતે જૂનમાં શરૂ થનારી અમરનાથ યાત્રાની શરૂઆત પહેલા સુરક્ષિત કરવામાં આવે છે. આ પછી જ યાત્રા માટે સત્તાવાર માર્ગ ખોલવામાં આવે છે અને અમરનાથ ગુફાના માર્ગમાં આરામ કરવા માટે રોકાતા શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે સુરક્ષા દળો પણ ત્યારે જ તૈનાત કરવામાં આવે છે.

સરકારના જણાવ્યા અનુસાર, સ્થાનિક ટૂર ઓપરેટરોએ અમરનાથ યાત્રા માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવે તે પહેલા જ, ૨૦ એપ્રિલથી પ્રવાસીઓને બૈસારન ખીણમાં લઈ જવાનું શરૂ કરી દીધું હતું. સર્વપક્ષીય બેઠકમાં, સરકારી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સ્થાનિક ટૂર ઓપરેટરો દ્વારા પ્રવાસીઓની આ વહેલી અવરજવર વિશે સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવામાં આવી ન હતી. આ કારણોસર, પ્રવાસીઓની સુરક્ષા માટે તે સમયે બૈસારન ખીણમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા ન હતા.

આમ, સરકારે સુરક્ષા દળોની ગેરહાજરીનું મુખ્ય કારણ સ્થાનિક ટૂર ઓપરેટરો દ્વારા નિયત સમય કરતાં વહેલા અને સ્થાનિક વહીવટીતંત્રને જાણ કર્યા વિના પ્રવાસીઓને બૈસારન ખીણમાં મોકલવાનું જણાવ્યું છે. આ ખુલાસો વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબ રૂપે સર્વપક્ષીય બેઠકમાં આપવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા અને સ્થાનિક વહીવટીતંત્ર તથા ટૂર ઓપરેટરો વચ્ચેના સંકલન અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ

વિડિઓઝ

Kunvarji Bavaliya : 'કેટલાક તત્વો સમાજને તોડવાનો કરે છે પ્રયાસ': કુંવરજી બાવળીયાનું સ્ફોટક નિવેદન
Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ
Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
Israel Iran War: ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નિકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
કોર્ટ જવાની નહીં રહે જરૂર, ફક્ત એક કોલ પર મળશે કાયદાકીય મદદ, જાણો રીત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Amreli: અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, આઇશર પાછળ બાઈક ઘૂસી જતા ત્રણના મોત
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
Israel-Iran યુદ્ધથી શેરબજારમાં ભારે ઉથલપાથલ... સેન્સેક્સ 1000 પોઈન્ટ તુટ્યો, 6 લાખ કરોડ સ્વાહા!
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
ક્રિકેટ બોર્ડ કાસ્ટિંગમાં કરિયર, કેવી રીતે બનશો ક્રિકેટ કેમેરામેન?
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
T20 World Cup: 'અનેકવાર પોતાના પર શંકા થઈ હતી, પરંતુ...', જીત બાદ ઈમોશનલ થયો સંજૂ સેમસન
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
Iran US War: ઈરાનની નેવી પર અમેરિકાનો ભયાનક હુમલો, ટ્રમ્પનો દાવો- '9 જહાજ કર્યા નષ્ટ'
ઈરાન, ઈઝરાયલ કે અમેરિકા, કયા દેશમાં છે હિન્દુઓની સંખ્યા સૌથી વધુ? યુદ્ધ વચ્ચે જોઈલો આંકડા
ઈરાન, ઈઝરાયલ કે અમેરિકા, કયા દેશમાં છે હિન્દુઓની સંખ્યા સૌથી વધુ? યુદ્ધ વચ્ચે જોઈલો આંકડા
Embed widget