Kalyan Singh : પીએમ મોદીએ કલ્યાણ સિંહને આપી શ્રદ્ધાંજલિ, બોલ્યા- તેમને પોતાના નામને સાર્થક કર્યુ
Kalyan Singh Death: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન

Background
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કલ્યાણ સિંહને પીએમએ આપી શ્રદ્ધાંજલિ
મોદીએ કહ્યું -આપણા બધા માટે અપૂરણીય ક્ષતિ છે. કલ્યાણ સિંહજીના માતા-પિતાએ જે નામ આપ્યુ હતુ તેમને તે નામને સાર્થક કર્યુ. તે જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા. તેમને કલ્યાણને પોતાનો જીવનમંત્ર બનાવ્યો. બીજેપી, જનસંઘ આખા પરિવારને એક વિચાર માટે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ.
કલ્યાણ સિંહ જન કલ્યાણ માટે જીવ્યા
પીએમ મોદીએ કહ્યું કે, કલ્યાણ સિંહજી દેશના ખુણા ખુણામાં વિશ્વાસનુ નામ બની ગયા હતા. જીવનના મોટાભાગના સમય જન કલ્યાણ માટે હંમેશા પ્રયત્ન કરતા રહ્યાં. તેમને જ્યારે પણ જે જવાબદારી સોંપાઇ તો તેઓ હંમેશા પ્રેરણા કેન્દ્ર બન્યા. આપણે એક મૂલ્યવાન વ્યક્તિત્વ અને સામર્થ્યવાન નેતા ગુમાવ્યો.





















