શોધખોળ કરો

હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યાનું સુરત કનેક્શન, આરોપીઓને અમદાવાદ લવાયા

આ હત્યાના 24 કલાકમાં પોલીસે હત્યારાઓ સુધી પહોંચવાનો દાવો કર્યો હતો.

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના લખનૌમાં હિન્દુ સમાજ પાર્ટીનાં નેતા કમલેશ તિવારીની ચાકુ મારીને હત્યા મામલે ગુજરાત એટીએસએ સુરતમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય હત્યારાઓને ગુજરાત એટીએસ દ્ધારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની શુક્રવારે ગળુ કાપી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના 24 કલાકમાં પોલીસે હત્યારાઓ સુધી પહોંચવાનો દાવો કર્યો હતો.  આ કેસમાં મીઠાઇના એક બોક્સથી હત્યારાઓનો ખુલાસો થયો હતો. પોલીસના મતે હત્યારાઓએ મીઠાઇ સુરતની એક દુકાનમાંથી ખરીદી હતી. આ દુકાનમાં લાગેલા સીસીટીવીમાં હત્યારાઓ મીઠાઇ ખરીદતા જોવા મળી રહ્યા છે. લખનઉમાં કમલેશ તિવારીની હત્યામાં વપરાયેલા હથિયારો મીઠાઈના એક બોક્સમાં લઇને આવ્યા હતા. ભગવા કપડા પહેરેલા હત્યારાઓ ખુર્શીદ બાગ વિસ્તારમાં સ્થિત તિવારીની ઓફિસમાં ગયા હતા અને તક મળતા તિવારીની હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસને સુરત કનેક્શન હાથ લાગ્યું હતું. બાદમાં ગુજરાત એટીએસએ સુરતમાંથી 3 લોકોની ધરપકડ કરી છે. મૌલાના મોહસીન શેખ, ફૈઝાન અને રશિદ અહમદ પઠાણ ની સુરતમાંથી ધરપકડ કરાઇ હતી. આ લોકોએ હત્યા માટે સુરતમાંથી જ પિસ્તોલ ખરીદી હતી. ગુજરાત એટીએસ ઉત્તરપ્રદેશ પોલીસના સંપર્કમાં છે. યુપી ડીજીપીના મતે રશીદ આ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે. યુપી પોલીસના ડીજીપી ઓપી સિંહે શનિવારે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, આ મામલામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. આ ત્રણેય હત્યાકાંડમાં સામેલ હતા. 23 વર્ષનો રશીદ અહમદ પઠાણ દરજી છે. મૌલાના મોહસિન શેખની ઉંમર 24 વર્ષ છે અને તે સાડીની દુકાનમાં કામ કરે છે જ્યારે ફૈઝાન સુરતમાં જૂતાની શોપમાં નોકરી કરે છે. ઉલ્લેખનીય છે કે હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીએ ડિસેમ્બર, 2015 માં પેગંબર મોહમ્મદ વિરોધી વિવાદિત નિવેદન આપ્યું હતું. તેને લઈ ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ કમલેશ તિવારીની ધરપકડ થઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
દાળ-ભાત ખાવાથી શરીરને શું શું ફાયદા થાય? જાણો સ્વાસ્થ્ય અને પાચન સંબંધિત સંપૂર્ણ સત્ય
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
LIC ની ધાંસુ પોલિસી... ફક્ત એકવાર રોકાણ કરો અને મેળવો આજીવન 1 લાખનું પેન્શન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Embed widget