શોધખોળ કરો

Wayanad By Election Result 2024: કેરલની વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી 1 લાખથી વધુ મતથી આગળ 

સમાચાર લખાય છે ત્યાં સુધી પ્રિયંકા ગાંધી વાયનાડથી 167500   મતોથી આગળ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સતત બીજી વખત આ સીટ પરથી જીત્યા હતા.

કેરલમાં વાયનાડ લોકસભા સીટ માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી માટે મતદાન થયું હતું, આ બેઠક કોંગ્રેસના નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ ખાલી પડી હતી. આજે પરિણામ જાહેર થશે. પ્રારંભિક વલણોમાં પ્રિયંકા ગાંધી આગળ છે. કોમ્યુનિસ્ટ પાર્ટી બીજા સ્થાને છે, જ્યારે ભાજપ ત્રીજા સ્થાને છે. પ્રિયંકા ગાંધીની જીત નિશ્ચિત માનવામાં આવે છે. એક લાખથી વધુ મતે પ્રિયંકા ગાંધી આગળ છે. 

સમાચાર લખાય છે ત્યાં સુધી પ્રિયંકા ગાંધી વાયનાડથી 167500   મતોથી આગળ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સતત બીજી વખત આ સીટ પરથી જીત્યા હતા. તેમણે CPI(M)ના ઉમેદવાર એની રાજાને 3 લાખ 64 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. જો કે, 2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ સિવાય રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. બંને સીટો જીત્યા બાદ રાહુલે વાયનાડ સીટ છોડવાનો નિર્ણય કર્યો અને પ્રિયંકા ગાંધીને અહીંથી પેટાચૂંટણીમાં ઉતારવામાં આવ્યા.

વાયનાડમાં 16 ઉમેદવારો

આ વખતે વાયનાડમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. પ્રિયંકા પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) એ સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.

2024ની ચૂંટણીના પરિણામો

2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ લોકસભા સીટ પર 73.57 ટકા મતદાન થયું હતું. તે સમયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને કુલ 6,47,445 મત મળ્યા હતા, જ્યારે તેમના નજીકના હરીફ એની રાજાને 2,83,023 મતો મળ્યા હતા. એ જ રીતે ત્રીજા સ્થાને રહેલા બીજેપી ઉમેદવાર કે સુરેન્દ્રનને માત્ર 141,045 વોટ મળ્યા.

શું 2019માં રાહુલ ગાંધી જીત્યા ?

કેરળની વાયનાડ લોકસભા સીટ દક્ષિણ ભારતમાં હાઇ પ્રોફાઇલ સીટ રહી છે. 2019માં અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને સંસદ પહોંચ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધીએ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને કુલ 7,06,367 મતો મેળવ્યા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ રાહુલ ગાંધીને કુલ 64.94 ટકા વોટ મળ્યા છે. તે સમયે બીજા સ્થાને રહેલા સીપીઆઈ (માર્કસિસ્ટ)ના પીપી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યા હતા. કોંગ્રેસના દિવંગત નેતા એમઆઈ શનાવાસ 2009 અને 2014માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં તેમના દુર્ભાગ્યપૂર્ણ અવસાન પછી, રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.  

Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
માતરના પૂર્વ MLA ભાજપમાંથી સસ્પેન્ડ, કૉંગ્રેસ સાથે મળી ચલાવી રહ્યા છે આંદોલન
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
Embed widget