શોધખોળ કરો

Uttarakhand New CM: ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કોણ છે ? જાણો કેવી રીતે આવ્યા હતા ચર્ચામાં

પુષ્કર સિંહ ધામી એક યુવા નેતા છે અને હાલમાં તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે. ધામી ખટીમા વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે.

પિથોરાગઢઃ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી (Uttrakhand New CM) તરીકે પુષ્કરસિંહ ધામીના (Pushkar Singh Dhami)  નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ ઉત્તરાખંડની ખાટીમા બેઠક પરથી ધારાસભ્ય છે. પહાડી રાજ્ય ઉત્તરાખંડ અસ્તિત્વમાં આવ્યું તે બાદથી રાજ્ય અત્યાર સુધીમાં 10 મુખ્યમંત્રી જોઈ ચુક્યુ છે. શુક્રવારે તીરથ સિંહ રાવતે (Tirath Singh Rawat)  આશરે 4 મહિના સુધી રાજ્યની કમાન સંભાળ્યા બાદ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું હતું, નવા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી (Youngest CM of Uttrakhand) છે.

કોણ છે પુષ્કર સિંહ ધામી

  •  પુષ્કર સિંહ ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1975માં પિથોરાગઢમાં થયો છે. તેમણે સ્નાતક સુધી અભ્યાસ કર્યો છે.  ધામીએ 1990 થી 1999 સુધી જિલ્લાથી લઈ રાડજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તર સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિવિધ પદો પર કામ કર્યુ છે. તેઓ બે વખત ભારતીય જનતા યુવા માર્ચના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે.
  • પુષ્કર સિંહ ધામી એક યુવા નેતા છે અને હાલમાં તેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા છે.  ધામી ખટીમા વિધાનસભા બેઠક પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ 2012 અને 2017માં આ બેઠક પરથી જીત્યા છે.
  • ધામીને ભગત સિંહ કોશ્યારીના નજીકના માનવામાં આવે છે.
  • બરોજગારીની સાથે વિકાસના મુદ્દાને લઈ તેઓ અગ્રેસર રહે છે. પુષ્કર સિંહ ધામીએ 2002 થી 2008 દરમિયાન સમગ્ર રાજ્યમાં પરિભ્રમણ કરીને અનેક બેરોજગાર યુવાનોને સંગઠિત કરવા રેલી કાઢી હતી.

એક સપ્તાહથી તીરથ સિંહને હટાવવાની થતી હતી અટકળો

છેલ્લા એક સપ્તાહથી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે ઉત્તરાખંડમાં ફરી એકવાર મુખ્યમંત્રીનો ચહેરો બદલાશે. તીરથ સિંહ રાવતના રાજીનામા પાછળનું કારણ બંધારણીય મજબૂરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેઓ હજી રાજ્યના કોઈપણ ગૃહના સભ્ય નહોતા. મુખ્યમંત્રી તરીકે તેમને ચાલુ રાખવાની રીતમાં પણ આ જ બાબત આવી રહી હતી. ત્રિવેન્દ્ર સિંહ રાવતે રાજીનામું આપ્યા પછી તીરથ સિંહ રાવતે 10 માર્ચે ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદની શપથ લીધા હતા. હવે બંધારણ મુજબ પૌડી ગઢવાલથી ભાજપના સાંસદ તીરથને 6 મહિનાની અંદર વિધાનસભાની પેટા-ચૂંટણી જીતવી પડે એમ હતું, તો જ તેઓ મુખ્યમંત્રી રહી શક્યા હોત, એટલે કે 10 સપ્ટેમ્બર પહેલાં તેમને ધારાસભ્યની ચૂંટણી જીતવાની હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
હવે દેશભરની સ્કૂલોમાં ભણાવાશે સેક્સ એજ્યુકેશન, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી જાણકારી
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
Weather Update Tomorrow: કાલે દેશના 21 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ 
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
ચોમાસું કેમ અચાનક ધીમું પડી ગયું? વરસાદના બીજા રાઉન્ડ મુદ્દે હવામાન વિભાગે કરી મોટી આગાહી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી
જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Embed widget