શોધખોળ કરો

Cyclone Dana: વાવાઝોડું ‘દાના’ ક્યારે કરશે લેન્ડ ફોલ, 120 KMPH હશે પવનની રફતાર, 178 ટ્રેન રદ, શાળા કોલેજ બંધ

Cyclone Dana: વાવાઝોડુ દાના 24 ઓક્ટોબરની સવારે ઉત્તર બંગાળની ખાડીમાં પહોંચશે. આ અંગે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Cyclone Dana:ભારતીય હવામાન વિભાગે સોમવારે એક ચેતાવણી જાહેર કરીને કહ્યું હતું કે, બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર  બુધવારે દાના વાવાઝોડામાં ફેરવાઈ જશે. એક દિવસ બાદ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકિનારા પર પહોંચી જશે.

હવામાન વિભાગે કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન બંને રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારોને આ સપ્તાહે દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ આ તોફાનનો સામનો કરવા માટે બંનેએ તૈયારીઓ કરી લીધી છે.

રાષ્ટ્રપતિની ઓડિશાની મુલાકાત મુલતવી

ચક્રવાતના ભયને જોતા ઓડિશામાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. 26મી ઓક્ટોબર સુધી સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઓડિશાની ત્રણ દિવસની મુલાકાત પણ મોકૂફ રાખવામાં આવી છે. વાવાઝોડાના કારણે 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

પ્રવાસીઓને પુરી ન જવાની સલાહ આપી હતી

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ જણાવ્યું હતું કે, ચક્રવાતની સંભાવનાને ધ્યાનમાં રાખીને, 10 દરિયાકાંઠાના જિલ્લાઓમાં ODRAFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ પ્રવાસીઓને શહેર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય પ્રવાસીઓને 24-25 ઓક્ટોબરે પુરી ન જવાની પણ અપીલ કરવામાં આવી છે.

ભારે વરસાદની શક્યતા

ચક્રવાત દરમિયાન મહાનગરપાલિકાનો કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. સાવચેતી માટે 250 રાહત કેન્દ્રો અને 500 વધારાના રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ભુવનેશ્વર હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મહાપાત્રાએ તેમના નિવેદનમાં જણાવ્યું કે, ચક્રવાત બુધવારે સૌથી વધુ સક્રિય બનશે. જેના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 અને 25 ઓક્ટોબરના રોજ પૂર્વ મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા અને બંગાળના ઝારગ્રામમાં ભારેથી અતિ ભારે વરસાદ અને એક-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે કોલકાતા, હાવડા, હુગલી, ઉત્તર 24 પરગણા, પુરુલિયા અને બાંકુરા જિલ્લામાં 24 અને 25 ઓક્ટોબરે ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે.

178 ટ્રેનો રદ કરવામાં આવી હતી

વાવાઝોડાના  કારણે ઓડિશામાંથી પસાર થતી 178 ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં હાવડા-સિકંદરાબાદ, શાલીમાર-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-ભુવનેશ્વર, હાવડા-ભુવનેશ્વર, હાવડા-પુરી સુપરફાસ્ટ, નવી દિલ્હી-પુરી, ખડગપુર-ખુર્દા, સંબલપુર-પુરી એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સિવાય પુરી-હાવડા રૂટ પર ટ્રેનોનું સંચાલન 25 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

NDRFની ટીમો તૈનાત

કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે. 7મી બટાલિયન NDRF, ભટિંડાના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પંકજ શર્માએ જણાવ્યું હતું કે, "5 ટીમો ઓડિશા પહોંચી ચૂકી છે. તેમાં 152 જવાનો છે. અમે ભટિંડાથી ભુવનેશ્વર એરપોર્ટ પર આવ્યા છીએ અને અમે 5 જિલ્લામાં તૈનાત થવાના છીએ. અમારું મુખ્ય કાર્ય જિલ્લા વહીવટીતંત્રને બચાવ, સ્થળાંતર અને રાહત સામગ્રીના વિતરણમાં મદદ કરવાનું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Poll Election : ગેનીબેનના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરેને નોંધાવી અપક્ષ ઉમેદવારીDharamshi Patel Funrel: સમાજસેવક ધરમશીની અંતિમ યાત્રામાં હિબકે ચઢ્યું આખું ગામCyclone Dana: 24મી ઓક્ટોબરે દેશના આ રાજ્યો પર ‘દાના’ની અસર..ગુજરાત પર કેટલી અસર?Surat :ટેકઓફ થયાના 20 મીનિટમાં ગોવા જતી ફ્લાઈટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
Gandhinagar: ખેડૂતો માટે ખુશખબર, પાક નુકસાન અંગે રાજ્ય સરકારે કરી 1419 કરોડના રાહત પેકેજની જાહેરાત
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
BRICS Summit 2024: પીએમ મોદીએ બ્રિક્સમાં આતંકવાદ પર કર્યો પ્રહાર! ચીન-રશિયા સામે કહ્યું- બેવડા ધોરણો માટે કોઈ સ્થાન નથી
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
EXCLUSIVE: કાળિયાર નહીં, આ કારણે સલમાન ખાનની પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ, દિલ્હી પોલીસ સામે કર્યો મોટો ખુલાસો
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
CM Letter: જયેશ રાદડિયાનો મુખ્યમંત્રીને પત્ર, 'અતિવૃષ્ટિથી પાક નુકસાન થયું, સૌરાષ્ટ્રના ખેડૂતોને વળતર આપો...'
Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત
Myths Vs Facts: પ્રેગ્નન્સી દરમિયાન હેર કટ કરાવવાથી બાળકની આંખ પર પડે છે વિપરિત અસર, જાણો શું કહે છે નિષ્ણાત
America: આ રાજ્યોમાં McDonald બર્ગર ખાવાથી ફેલાયો E. coli વાયરસ, એકે જીવ ગુમાવ્યો-ડઝનેક બીમાર
America: આ રાજ્યોમાં McDonald બર્ગર ખાવાથી ફેલાયો E. coli વાયરસ, એકે જીવ ગુમાવ્યો-ડઝનેક બીમાર
Diwali 2024: શું તમે પણ દિવાળીને લઈને મૂંઝવણમાં છો, તો આ રહી કન્ફર્મ તારીખ
Diwali 2024: શું તમે પણ દિવાળીને લઈને મૂંઝવણમાં છો, તો આ રહી કન્ફર્મ તારીખ
Sprouted Fenugreek: ફણગાવેલી મેથી ખાવાના શું છે ફાયદા? ખુબ ટ્રેન્ડ થઈ રહ્યું છે આ સુપરફૂડ
Sprouted Fenugreek: ફણગાવેલી મેથી ખાવાના શું છે ફાયદા? ખુબ ટ્રેન્ડ થઈ રહ્યું છે આ સુપરફૂડ
Embed widget