શોધખોળ કરો

રાજનૈતિક રંગ બદલનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં શું મળી શકે છે? જાણો વિગતે

જો સિંધિયા ભાજપના ઉમેદવાર બને છે તો તેનું રાજ્યસભામાં પહોંચવાનું લગભગ નક્કી છે. ઉપરાંત સિંધિયાને મોદી કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે.

નવી દિલ્હીઃ એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજનૈતિક રંગ બદલાઈ ગયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સિંધિયાના રાજીનામા બાદ 22 કોંગ્રેસ ધારાસબ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. એક બાજુ કમલનાથ સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ ભાજપ સરકાર બનાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને અંતે ભાજપમાં જઈને મળશે શું? અહેવાલ અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયાને  ભાજપ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરી શકે છે. જો સિંધિયા ભાજપના ઉમેદવાર બને છે તો તેનું રાજ્યસભામાં પહોંચવાનું લગભગ નક્કી છે. ઉપરાંત સિંધિયાને મોદી કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે. અહેવાલ છે કે, સિંધિયાને પકડ જોતા તેને સંગઠનમાં પણ કોઈ જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર સિંધિયા 12 માર્ચના રોજ પોતાના સમર્થકો અને કોંગ્રેસના અનેક ધારાસભ્યોની સાથે  ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોએ એ પણ કહ્યું કે, ભાજપમાં જોડાતા પહેલા સિંધિયા ગ્વાલિયરમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી શકે છે. એક્સપર્ટ અનુસાર અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવનાર જ્યોતિરાદિત્ય બીજેપીમાં પોતાની ઓળખ ગુમાવી શકે છે. તેમને યશોધરા રાજે સિંધિયા તરફથી બીજેપીના કેન્દ્રિય નેતૃત્વની વાત માનવી પડશે. જ્યોતિરાદિત્યના ગ્વાલિયર ક્ષેત્રના 18 ધારાસભ્ય છે અને આ દરેક ધારાસભ્ય બીજેપી વિરુદ્ધ ચૂંટણી લડીને જીત્યા છે. હવે જ્યારે આગામી ચૂંટણીમાં બીજેપીને આ સિંધિયા સમર્થક ધારાસભ્યોને ટિકિટ આપવી પડશે. જે બિલકુલ સરળ નથી. એવું કહેવામાં આવે છે કે કેન્દ્રિય નેતૃત્વના કહેવા પર ભલે મધ્યપ્રદેશ બીજેપી જ્યોતિરાદિત્યને સ્વીકાર કરી લે પરંતુ ભગવા પાર્ટીના નેતા મધ્યપ્રદેશમાં લાંબા સમય સુધી સિંધિયાને ચાલવા દેશે, તેમાં શંકા છે. નરેન્દ્ર તોમર, જયભાણસિંહ પવૈયા, અટલ બિહારી વાજપેયીના ભત્રીજા અનુપ મિશ્રા, બીડી શર્મા, અરવિંદ ભદૌરિયા, નરોત્તમ મિશ્રા આ દરેક ગ્વાલિયર ક્ષેત્રમાંથી જ બીજેપીના નેતા છે અને સિંધિયાના વિરોધી માનવામાં આવે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
'કર્ણાટકમાં બાળકો નહીં વાપરી શકે સોશિયલ મીડિયા', સિદ્ધારમૈયા સરકારનો મોટો નિર્ણય
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા

વિડિઓઝ

Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Ahmedabad News: બહારનું ખાવાના શોખિનો માટે ચેતવણી રૂપ સમાચાર
Junagadh News: ઉનામાં બે વર્ષથી ધમધમતી બોગસ કોલેજનો પર્દાફાશ થયો.
IPS Transfer : રાજ્યના 37 IPSની કરાઈ બદલી, રાજકોટ રેંજ આઈજી તરીકે નિર્લિપ્ત રાય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
UPSC સિવિલ સર્વિસ 2025 નું ફાઈનલ પરિણામ જાહેર, અનુજ અગ્નિહોત્રી બન્યો ટોપર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
અમેરિકા ઇરાનના યુદ્ધ વચ્ચે ઇન્ડિગોએ આપી પ્રવાસીઓને મોટી રાહત, 31 માર્ચ સુધી આ ફ્લાઇટસ પર બંપર ઓફર
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
Char Dham Yatra 2026 Registration: ચારધામ યાત્રાનું આજથી રજિસ્ટ્રેશન શરૂ, જાણો ઓનલાઇન નોંધણીની પ્રોસેસ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
નીતિશ કુમારના રાજ્યસભામાં જવાના નિર્ણયનો હવે પરિવારમાં જ વિરોધ, આ બે દિગ્ગજ નેતાઓ પર ષડયંત્રનો આરોપ
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રાજ્યના પોલીસ તંત્રમાં મોટા ફેરફાર, રાજ્યના 37 IPSની બદલી, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટ રેંજ આઈજી
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની મળી સ્પેશિયલ છૂટ, ટ્રમ્પનો કેમ બદલાયો મૂડ
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
અનિલ અંબાણીની ફરી વધી મુશ્કેલી, મુંબઇના 12 સ્થળોએ EDના દરોડા
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
IND vs ENG: રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 7 રનથી જીત, T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત
Embed widget