શોધખોળ કરો

કેજરીવાલને સુપ્રીમનો ઝટકો, ACBનો કંટ્રોલ LGને મળ્યો

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર વિરુદ્ધ ઉપરાજ્યપાલના મામલે સુપ્રીમ કોર્ટે ગુરુવારે ફેંસલો સંભળાવ્યો હતો. ચુકાદો સાંભળતા જસ્ટિસ સીકરીએ કહ્યું કે, રાજધાનીમાં તમામ એક્ઝિક્યુટિવ અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. જોકે, દિલ્હીમાં જમીન, પોલીસ અને કાનૂન વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ અધિકાર ઉપરાજ્યપાલ પાસે રહેશે.  કોર્ટે ચુકાદો આપતા જણાવ્યું કે દિલ્હી સરકારનો પોલીસ પર અધિકાર નહીં રહે જ્યારે ટ્રાન્સફર અંગે બે ન્યાયાધીશ વચ્ચે મતભેદ સર્જાતા ઉપલી બેંચ આ વિવાદનો ફરીથી ચુકાદો સંભળાવશે. કોર્ટે ચુકાદામાં કહ્યું કે, કેન્દ્ર સરકાર પાસે તપાસનો પાવર રહેશે. બંને સરકારે એકબીજાના માન સન્મા અને સહયોગથી કામ કરવું પડશે. વિદ્યુત બોર્ડ, પબ્લિક પ્રૉસિક્યૂટર એપૉઇન્ટ કરવાની સત્તા દિલ્હી સરકાર પાસે રહેશે.  વહીવટી સેવાઓ દિલ્હી સરકારની સત્તાની બહાર છે. આ મામલે ત્રણ જજોની બેંચ વધુ સુનાવણી કરશે. ટ્રાન્સફરના મુદ્દે જસ્ટીસ ભૂષણે જસ્ટીસ સીકરીના ચુકાદા સાથે અસહમતી દર્શાવી છે. ટ્રાન્સફરની સત્તા કેન્દ્રની કે દિલ્હી સરકારની તેનો મામલો અટવાયો છે. ગત વર્ષે ચોથી જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠે દિલ્હી સરકાર વિરુદ્ધ એલજી (લેફ્ટિનન્ટ ગવર્નર) અધિકાર વિવાદમાં ફક્ત બંધારણીય જોગવાઈઓની વ્યાખ્યા કરી હતી. પાંચ સભ્યોની બંધારણીય ખંડપીઠે કહ્યું હતું કે કાયદો બનાવવો દિલ્હી સરકારનો અધિકાર છે. બંધારણીય ખંડપીઠમાં એ વાત પર સર્વસંમતિ હતી કે સાચી શક્તિ મંત્રીમંડળ પાસે છે અને ચૂંટાઈ આવેલી સરકારથી જ દિલ્હી ચાલશે. કોર્ટે એ સમયે કહ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા, પોલીસ અને જમીન છોડીને ઉપરાજ્યપાલ સ્વતંત્ર રીતે કામ ન કરી શકે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી અને તેમણે મંત્રીમંડળ મદદ અને સલાહથી કામ કરવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget