શોધખોળ કરો

લોકડાઉન 3 ની જાહેરાત કરવા ન PM મોદી આવ્યા કે ન ગૃહમંત્રી અમિત શાહઃ કોંગ્રેસ

સવાલોને આગળ વધારતા રણદીપ સુરજેવાલાએ પૂછ્યું, મધ્યમ વર્ગ તથા નોકરિયાત લોકોની થતી છટણી તથા પગાર કાપને રોકવાનો શું રસ્તો છે?

નવી દિલ્હીઃ કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ 17 મે સુધી લોકડાઉનના લંબાવવાના સરકારના નિર્ણય પર શાસક પક્ષને ઘેર્યો છે. તેમણે કહ્યું, "ગઈકાલે ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કરીને 17 મે, 2020 સુધી લોકડાઉન 3 લાગુ કરી દીધું. ન પ્રધાનમંત્રી સામે આવ્યા, ન રાષ્ટ્રને સંબોધન કર્યુ, ન ગૃહમંત્રી આવ્યા, એટલે સુધી કે કોઈ અધિકારી પણ ન આવ્યા. માત્ર એક સત્તાવાર આદેશ આવ્યો." સુરજેવાલાએ પૂછ્યું કે, મજૂરોની ઘર વાપસી, ભયંકર બેરોજગારી, ઠપ્પ થઈ રહેલા વ્યવસાયો અને સંકટથી ઘેરાયેલા અર્થતંત્રને ઉગારવા માટે સરકાર પાસે શું રોડ મેપ છે. તેમણે કહ્યું, 130 કરોડ ભારતવાસીઓ જાણવા માંગે છે કે લોકડાઉન 3.0 પાછળ શું લક્ષ્ય છે, શું ઉદ્દેશ છે, શું રણનીતિ છે અને શું તે અંતિમ રસ્તો છે. શું લોકડાઉન 3.0 અંતિમ છે અને 17 મે, 2020ના રોજ ખતમ થઈ જશે. કે પછી લોકડાઉન 1.0ની પછી લોકડાઉન 2.0, બાદમાં લોકડાઉન 3.0ની જેમ લોકડાઉન 4.0 અને લોકડાઉન 5.0 પણ આવશે ? તે ક્યારે ખતમ થશે ? તેમણે કહ્યું, લોકડાઉન 3.0થી બહાર આવ્યા બાદ દેશની ગાડી પાટા પર લાવવાનો શું રસ્તો છે ? દેશના ભવિષ્યને લઈ મોદીજીની શું નીતિ છે ? ખેડૂતોના પાકની કાપણી, ટેકાના ભાવની સાથે ખરીફ પાકની વાવણી તથા ખાતર-બિયારણ-જંતુનાશક દવાઓની ઉપલબ્ધતાનો શું રોડ મેપ છે? 40 કરોડથી વધારે ગામ-શહેરના મજૂરોની રોજી રોટી તથા રાશનની શું વ્યવસ્થા છે? 11 કરોડ નોકરી આપતાં MSME એકમોને કેવી રીતે રાહત આપશો ?
સવાલોને આગળ વધારતા રણદીપ સુરજેવાલાએ પૂછ્યું, મધ્યમ વર્ગ તથા નોકરિયાત લોકોની થતી છટણી તથા પગાર કાપને રોકવાનો શું રસ્તો છે? ટૂરિઝમ તથા હોટલ ઈન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી, ઓટો મોબાઇલ તથા આઈટી સપોર્ટ, ટ્રાન્સપોર્ટ તથા એવિએશન ઈન્ડસ્ટ્રીના નુકસાનની ભરપાઈ કરી પુનઃ શરૂ કરવાની શું રણનીતિ છે ? 8-10 કરોડ મજૂરોની સુરક્ષિત તથા સુગમ ઘર વાપસીની ટાઈમલાન તથા રીત શું છે ? આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા પોતાના સાત સૂચનો ફરી યાદ અપાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
ગુજરાત વેધર અપડેટ: આગામી 24 કલાક રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ખાબકશે, અષાઢી બીજના દિવસે...
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
મોરબી ખેડૂત આંદોલન પાર્ટ 3: વીજલાઈન વળતર મુદ્દે 365 ગામ પંચાયતના 25000 ખેડૂતો પદયાત્રામાં જોડાયા
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
Gujarat Rain: ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 3 કલાકમાં વરસશે વરસાદ, હવામાનનું નાઉ કાસ્ટ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
CBSE: શું હવે ધોરણ 10 પાસ કરવા માટે ત્રીજી ભાષામાં પણ પાસ થવું જરુરી? જાણો CBSE નો નવો નિયમ
Embed widget