શોધખોળ કરો

લોકડાઉન 3 ની જાહેરાત કરવા ન PM મોદી આવ્યા કે ન ગૃહમંત્રી અમિત શાહઃ કોંગ્રેસ

સવાલોને આગળ વધારતા રણદીપ સુરજેવાલાએ પૂછ્યું, મધ્યમ વર્ગ તથા નોકરિયાત લોકોની થતી છટણી તથા પગાર કાપને રોકવાનો શું રસ્તો છે?

નવી દિલ્હીઃ કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ 17 મે સુધી લોકડાઉનના લંબાવવાના સરકારના નિર્ણય પર શાસક પક્ષને ઘેર્યો છે. તેમણે કહ્યું, "ગઈકાલે ગૃહ મંત્રાલયે આદેશ જાહેર કરીને 17 મે, 2020 સુધી લોકડાઉન 3 લાગુ કરી દીધું. ન પ્રધાનમંત્રી સામે આવ્યા, ન રાષ્ટ્રને સંબોધન કર્યુ, ન ગૃહમંત્રી આવ્યા, એટલે સુધી કે કોઈ અધિકારી પણ ન આવ્યા. માત્ર એક સત્તાવાર આદેશ આવ્યો." સુરજેવાલાએ પૂછ્યું કે, મજૂરોની ઘર વાપસી, ભયંકર બેરોજગારી, ઠપ્પ થઈ રહેલા વ્યવસાયો અને સંકટથી ઘેરાયેલા અર્થતંત્રને ઉગારવા માટે સરકાર પાસે શું રોડ મેપ છે. તેમણે કહ્યું, 130 કરોડ ભારતવાસીઓ જાણવા માંગે છે કે લોકડાઉન 3.0 પાછળ શું લક્ષ્ય છે, શું ઉદ્દેશ છે, શું રણનીતિ છે અને શું તે અંતિમ રસ્તો છે. શું લોકડાઉન 3.0 અંતિમ છે અને 17 મે, 2020ના રોજ ખતમ થઈ જશે. કે પછી લોકડાઉન 1.0ની પછી લોકડાઉન 2.0, બાદમાં લોકડાઉન 3.0ની જેમ લોકડાઉન 4.0 અને લોકડાઉન 5.0 પણ આવશે ? તે ક્યારે ખતમ થશે ? તેમણે કહ્યું, લોકડાઉન 3.0થી બહાર આવ્યા બાદ દેશની ગાડી પાટા પર લાવવાનો શું રસ્તો છે ? દેશના ભવિષ્યને લઈ મોદીજીની શું નીતિ છે ? ખેડૂતોના પાકની કાપણી, ટેકાના ભાવની સાથે ખરીફ પાકની વાવણી તથા ખાતર-બિયારણ-જંતુનાશક દવાઓની ઉપલબ્ધતાનો શું રોડ મેપ છે? 40 કરોડથી વધારે ગામ-શહેરના મજૂરોની રોજી રોટી તથા રાશનની શું વ્યવસ્થા છે? 11 કરોડ નોકરી આપતાં MSME એકમોને કેવી રીતે રાહત આપશો ?
સવાલોને આગળ વધારતા રણદીપ સુરજેવાલાએ પૂછ્યું, મધ્યમ વર્ગ તથા નોકરિયાત લોકોની થતી છટણી તથા પગાર કાપને રોકવાનો શું રસ્તો છે? ટૂરિઝમ તથા હોટલ ઈન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી, ઓટો મોબાઇલ તથા આઈટી સપોર્ટ, ટ્રાન્સપોર્ટ તથા એવિએશન ઈન્ડસ્ટ્રીના નુકસાનની ભરપાઈ કરી પુનઃ શરૂ કરવાની શું રણનીતિ છે ? 8-10 કરોડ મજૂરોની સુરક્ષિત તથા સુગમ ઘર વાપસીની ટાઈમલાન તથા રીત શું છે ? આ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા પોતાના સાત સૂચનો ફરી યાદ અપાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
PM Kisan Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, પીએમ કિસાન યોજનાના પૈસા આ દિવસે આવશે બેન્ક એકાઉન્ટમાં
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
હવે કોઈપણ દસ્તાવેજ વગર મળશે 50 લાખ સુધીની લોન! Google Payએ શરુ કરી ખાસ નવી સેવા
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Embed widget