શોધખોળ કરો

'પીએમ મોદી ગંગાપુત્ર... તો હું શિખંડી છું...', કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીએ ફેંક્યો પીએમ સામે પડકાર

વારાણસીથી ઉમેદવાર બનાવ્યા બાદ હિમાંગી સખી ચૂંટણી પ્રચારના મેદાનમાં કૂદી પડી છે

Lok Sabha Elections 2024: અખિલ ભારતીય હિન્દુ મહાસભા વતી સ્વામી ચક્રપાણીએ દેશભરની 100 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેમાંથી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી લોકસભા સીટ છે. આ સીટ પરથી હિન્દુ મહાસભાએ પીએમ મોદી સામે કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીને મેદાનમાં ઉતાર્યા છે.

વારાણસીથી ઉમેદવાર બનાવ્યા બાદ હિમાંગી સખી ચૂંટણી પ્રચારના મેદાનમાં કૂદી પડી છે. આ દરમિયાન હિન્દુ મહાસભાના સ્વામી ચક્રપાણી ખુલ્લેઆમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે, અને તેમના પર શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

સ્વામી ચક્રપાણીએ કહ્યું કે, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના ભવ્ય રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બીફ ખાનારાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ અમારા સંઘર્ષને અવગણીને અમને આમંત્રણ પણ આપવામાં આવ્યું ના હતું, ના તો ટ્રસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેથી હિન્દુ જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે અમે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી છે. આ ક્રમમાં અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ વારાણસીથી કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીને મેદાનમાં ઉતાર્યા છે.

'પીએમ મોદી ગંગાપુત્ર તો હું શિખંડી' 
વારાણસીથી લોકસભાના ઉમેદવાર હિમાંગી સખીએ એબીપી લાઈવ સાથે વાત કરતા કહ્યું કે અમે ટ્રાન્સજેન્ડર સમુદાયના મુદ્દાઓને લઈને વારાણસીના લોકો વચ્ચે જઈશું. આપણા સમાજને અનામત મળવી જોઈએ, લોકસભા અને વિધાનસભાની ફાળવેલી બેઠકો પર ચૂંટણી લડવાની તક પણ મળવી જોઈએ. આ અમારી મુખ્ય માંગ છે. પાછલા વર્ષોમાં અમારા અધિકારો પર કંઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી. આપણે પણ સમાજના મુખ્ય પ્રવાહમાં રહેવા માંગીએ છીએ. અને સ્પષ્ટ છે કે જો વડાપ્રધાન મોદી પોતાને ગંગાના પુત્ર કહે છે તો હું શિખંડી છું અને તેમણે શરણાગતિ સ્વીકારવી પડશે.

કિન્નર મહામંડલેશ્વર હિમાંગી સખીએ કહ્યું કે આવતીકાલે તે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવા જશે. આ સિવાય સતત હેડલાઈન્સમાં રહેલા કાશી જ્ઞાનવાપી કેસમાં ASIએ બધું જ સ્પષ્ટ કરી દીધું છે. સમગ્ર કાશી જ્ઞાનવાપી સંકુલ હિન્દુઓનું છે. જ્યાં સુધી શ્રદ્ધાની વાત છે, કાશીના લોકોને પણ આ સમગ્ર સંકુલમાં શ્રદ્ધા છે. જો કે, આવનારી લોકસભા ચૂંટણીમાં કિન્નર મહામંડલેશ્વરને કાશીના લોકો તરફથી કેટલું સમર્થન મળે છે તે જોવું રહ્યું.

                

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget