શોધખોળ કરો

Mahakal Temple: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી સમયે ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝ્યા

Mahakal Temple:આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. તેઓની સારવાર ચાલી રહી છે

Mahakal Temple: ઉજ્જૈનમાં ભસ્મ આરતી દરમિયાન મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેના કારણે ઘાયલ લોકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સમયે અહીં હોળીની ઉજવણી ચાલી રહી હતી. જિલ્લા કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું છે કે, "ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે. તેઓની સારવાર ચાલી રહી છે." આ અંગે તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવામાં આવશે.

 

મધ્યપ્રદેશના મહાકાલ મંદિરમાં સોમવારે સવારે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં પાંચ પૂજારી પણ દાઝી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરતી દરમિયાન ગુલાલ ઉડાડ્યા બાદ આગ લાગી હતી. ધૂળેટીના કારણે ગર્ભગૃહમાં એક કવર લગાવવામાં આવ્યું હતું, જેમાં આગ લાગી હતી. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

ઉજ્જૈનના મહાકાલ મંદિરના પૂજારી આશિષ શર્માએ કહ્યું હતું કે , "મહાકાલ મંદિરમાં પરંપરાગત હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. ગુલાલને કારણે ગર્ભગૃહમાં આગ ફેલાઈ હતી. મંદિરના પૂજારી ઘાયલ થયા. અમે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા છીએ.

મંદિરના ઘાયલ સેવકે જણાવ્યું હતું કે આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર કોઇએ પાછળથી ગુલાલ ઉડાડ્યો હતો જે ગુલાલ દીવા પર પડતા આગ ફેલાઇ હતી. ગુલાલમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. બીજી તરફ, ગર્ભગૃહની ચાંદીની દિવાલને રંગ અને ગુલાલથી બચાવવા માટે ત્યાં ફ્લેક્સ મુકવામાં આવ્યા હતા. તેમાં પણ આગ ફેલાઈ હતી.

તેમણે જણાવ્યું કે આગ લાગ્યા બાદ કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં આરતી કરી રહેલા સંજીવ પૂજારી, વિકાસ, મનોજ, સેવાધારી આનંદ કમલ જોષી સહિત ગર્ભગૃહમાં હાજર 13 લોકો દાઝી ગયા હતા. આ મામલે કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ અંગે કમિટી તપાસ કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  વનતારા બાદ સોમનાથ જવા  થશે રવાના
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, વનતારા બાદ સોમનાથ જવા થશે રવાના
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
ઇન્ઝમામ ઉલ હકે ભારત સામે ચડાવી બાયો! બધા દેશોને IPLનો બહિષ્કાર કરવાની કરી અપીલ!
ઇન્ઝમામ ઉલ હકે ભારત સામે ચડાવી બાયો! બધા દેશોને IPLનો બહિષ્કાર કરવાની કરી અપીલ!
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Summer 2025: આકરા તાપના સામનો કરવા રહો તૈયાર, અમદાવાદમાં થશે તાપમાનમાં 2 ડિગ્રીનો વધારોPM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી પહોંચ્યા વનતારા, ગુજરાત પ્રવાસનો બીજો દિવસDahod: ડ્રોનની મદદથી પોલીસે ઉકેલ્યો ડમ્પર ચોરીનો ભેદ, હરિયાણાના 2 શખ્સો ઝડપાયાHun To Bolish :  હું તો બોલીશ :  સોશલ મીડિયાનો બકવાસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે,  વનતારા બાદ સોમનાથ જવા  થશે રવાના
PM Modi Gujarat Visit Live : PM મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે, વનતારા બાદ સોમનાથ જવા થશે રવાના
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
Microsoft Outlook Down: વિશ્વભરમાં માઈક્રોસોફ્ટ આઉટલુક ડાઉન,યૂઝર્સ થયા પરેશાન
ઇન્ઝમામ ઉલ હકે ભારત સામે ચડાવી બાયો! બધા દેશોને IPLનો બહિષ્કાર કરવાની કરી અપીલ!
ઇન્ઝમામ ઉલ હકે ભારત સામે ચડાવી બાયો! બધા દેશોને IPLનો બહિષ્કાર કરવાની કરી અપીલ!
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
PM Modi Gujarat Visit: PM મોદી પહોંચ્યા જામનગર, કાલે વનતારાની લેશે મુલાકાત
હવે WhatsApp પર સ્ટેટસ રાખવાની મજા થશે ડબલ! ટૂંક સમયમાં આવી રહ્યું છે Instagram જેવું નવું ફીચર
હવે WhatsApp પર સ્ટેટસ રાખવાની મજા થશે ડબલ! ટૂંક સમયમાં આવી રહ્યું છે Instagram જેવું નવું ફીચર
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
કચ્છના અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: ૫૦ વર્ષના પુત્રએ ૮૦ વર્ષની વૃદ્ધ માતા પર આચર્યું દુષ્કર્મ
Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો
Health Tips: કોઈ વરદાનથી કમ નથી ઉનાળામાં આ ફળનું સેવન,અનેક સમસ્યાથી આપશે છૂટકારો
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
આગામી કુંભ મેળો કયા રાજ્યમાં યોજાશે? રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી
Embed widget