શોધખોળ કરો

મહારાષ્ટ્રમાં ભાજપના ક્યા નેતાએ આપી ચીમકીઃ સંપૂર્ણ લોકડાઉન લગાવશે તો લોકો રસ્તા પર ઉતરી આવશે ને....

મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં વણસેલી સ્થિતિનેને લઈ લૉકડાઉન લદાશે કે નહીં તેનો નિર્ણય આજે ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાશે.

મુંબઈ:  મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો  છે. અહીં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વણસેલી સ્થિતિનેને લઈ લૉકડાઉન લદાશે કે નહીં તેનો નિર્ણય આજે ટાસ્ક ફોર્સની બેઠકમાં લેવાશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે સર્વદળીય બેઠક બોલાવી હતી. રાજ્યમાં લૉકડાઉન (Lockdown) પર ચર્ચા માટે બોલાવેલી આ બેઠકમાં તમામ પાસાઓ પર ચર્ચા થઈ હતી. ત્યાારે બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો લોકડાઉન લાદવામાં આવશે તો લોકો રસ્તા પર ઉતરી આવશે. 


બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રાજ્યમાં જો કેસમાં ઘટાડો નહીં આવે તો 21 એપ્રિલ સુધીમાં સ્થિતિ ખૂબજ ખરાબ થઈ શકે છે. એવામાં આ સમય લૉકડાઉનનો છે, લૉકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ત્યારે બેઠક દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્યમાં જો સંપૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવશે તો જનતા રસ્તાઓ પર ઉતરી શકે છે.  તેમણે કહ્યું કે, લોકોને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરવામાં આવે. 


મહારાષ્ટ્રમાં લાગુ છે વિકેન્ડ લૉકડાઉન 


મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં કોરોના નિવારણ માટે સરકારે વીકએન્ડ લોકડાઉન લગાવી દીધું છે. સપ્તાહના અંતે લાદવામાં આવેલા લોકડાઉનને અત્યાર સુધી સારો પ્રતિસાદ મળ્યો છે. મુંબઇ, પૂના, ઔરંગાબાદ અને નાગપુર સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં રસ્તાઓ અને બજારો સૂમસામ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં પ્રથમ સપ્તાહનું લોકડાઉન શુક્રવારે રાત્રે આઠ વાગ્યાથી શરૂ થયું હતું અને સોમવારે સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.


મહારાષ્ટ્રમાં શુક્રવારે નોંધાયા 58 હજારથી વધુ કેસ 

મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસના નવા 58,993 કેસ નોંધાયા  હતા અને વધુ 301  દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયું હતું. માત્ર મુંબઈમાં 9200 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા અને 35 લોકોના મોત થયા હતા. 
 

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી  32,88,540 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. અને  57,329 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં ગુરુવારે કોરોના વાયરસના 56,286 નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે 59,907 નવા કેસ નોંધાયા હતા. 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News: શેલામાં પૂર્વ મંગેતરને કારથી કચવાનો પ્રયાસ કરનાર મહિલા અને તેના પતિની પોલીસે કરી ધરપકડNadiad News | નડિયાદમાં જીરા સોડા પીધા બાદ 3 લોકોના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસોSwaminarayan Sadhu Controversy: સુરતમાં મીડિયા સમક્ષ જ્ઞાનપ્રકાશના સાધકોની દાદાગીરીRahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
IND vs AUS Live Score: શ્રેયસ અય્યર 45 રન બનાવી આઉટ, ટીમ ઈન્ડિયાને લાગ્યો ત્રીજો ઝટકો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર  આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
સ્વામી જ્ઞાન પ્રકાશને 24 કલાકનું અલ્ટીમેટમ, વીરપુર આવીને માફી માંગવા માંગણી, 2 દિવસ વીરપુર સજ્જડ બંધ
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા આપ્યો 265 રનનો ટાર્ગેટ, શમીએ ઝડપી 3 વિકેટ  
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
8th pay commission: 8માં પગાર પંચની ફોર્મ્યુલા! જાણો સરકારી કર્મચારીઓનો પગાર કેટલો વધશે ? 
Post Office Best Scheme:  પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Post Office Best Scheme: પોસ્ટની આ સ્કીમ છે શાનદાર, 2 લાખ રુપિયા મળશે વ્યાજ, જાણો તેના વિશે
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Gandhinagar: સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 1 અને 2માં ભરતીને લઈ જાહેર કર્યા નવા નિયમો
Embed widget