શોધખોળ કરો

CAA ને લઈ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, કહ્યું- રાજ્યના મુસ્લિમોએ ડરવાની જરૂર નથી કારણકે.....

CAAની સામે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, તેમના શાસનમાં પણ કોઈ મુસ્લિમ નાગરિકે ચિંતિત થવાની જરૂર નથી કારણકે રાજ્યમાં કોઈ ડિટેંશન સેન્ટર નથી.

મુંબઈઃ નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act)ની સામે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, તેમના શાસનમાં પણ કોઈ મુસ્લિમ નાગરિકે ચિંતિત થવાની જરૂર નથી કારણકે રાજ્યમાં કોઈ ડિટેંશન સેન્ટર નથી. ઠાકરેએ મુસ્લિમ સમુદાયના કેટલાક ધારાસભ્યોના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળને આ ભરોસો આપ્યો હતો. સીએમ સાથે મુસ્લિમ ધારાસભ્યોના પ્રતિનિધિમંડળની મુલાકાત પછી એનસીપીના ધારાસભ્ય નવાબ મલિકે કહ્યું, લોકોએ નાગરિકતા સંશોધન કાયદા અંગે ડરવાની જરૂર નથી. મારી સરકાર કોઈ ધર્મ કે સમુદાયના નાગરિકોના અધિકારોને નુકસાન નહીં પહોંચવા દે. હું રાજ્યમાં શાંતિ તથા સદભાવનાની અપીલ કરું છું. તેમણે જણાવ્યું કે, નવી મુંબઈના ખારઘર સ્થિતિ ડિટેંશન સેન્ટરમાં માદક પદાર્થોની તસકરીમાં સામેલ વિદેશી નાગરિકોને રાખવામાં આવે છે. અહીંયા માત્ર 38 લોકો જ રાખી શકાય છે. આ દરમિયાન મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રમાં 30 ડિસેમ્બરે કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. કેબિનેટ વિસ્તરણ દરમિયાન એનસીપીના અજિત પવારને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઉપ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવશે. સુત્રોની જાણકારી મુજબ એનસીપીના અજિત પવાર ઉપ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ અગાઉ 2014 પહેલાં કોંગ્રેસ એનસીપીના શાસનમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. ચાલુ વર્ષે અજિત પવારે 23 નવેમ્બરે બળવો કરી ભાજપ સાથે હાથ મિલાવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે અજિત પવારે અંગત કારણો આગળ કરી નાયબ મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ કલાકોમાં જ દેવેંદ્ર ફડણવીસની સરકાર પડી ભાંગી હતી. કેબિનેટના વિસ્તરણની ચર્ચા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં લગભગ એક કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી. આ મીટિંગમાં કોંગ્રેસના કોઇ નેતા હાજર નહોતા. જોકે કેબિનેટ વિસ્તરણનો નિર્ણય કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા બાદ જ લેવાશે. મારૂતિના પૂર્વ MD જગદીશ ખટ્ટરે કર્યો 110 કરોડનો ગોટાળો, CBIએ દાખલ કર્યો કેસ ઓસ્ટ્રેલિયાએ પણ સ્વીકારી કોહલીની ‘કેપ્ટનશિપ’, સોંપ્યું ટેસ્ટ ટીમનું સુકાન, જાણો વિગતે મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'પુણેની ઇન્ફોસિસમાં ચાલી રહ્યું છે જેહાદી ઉત્પીડન', 'એક્સ' યુઝરની ફરિયાદનો મંત્રી નિતેશ રાણેએ આપ્યો જવાબ
'પુણેની ઇન્ફોસિસમાં ચાલી રહ્યું છે જેહાદી ઉત્પીડન', 'એક્સ' યુઝરની ફરિયાદનો મંત્રી નિતેશ રાણેએ આપ્યો જવાબ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
આગામી 12 કલાકમાં 9 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે? વીજળીના કડાકા સાથે તૂટી પડશે વરસાદ!
Rain Alert:  આગામી 4 દિવસ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગે આપ્યું એલર્ટ  
Rain Alert:  આગામી 4 દિવસ સુધી દેશમાં ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગે આપ્યું એલર્ટ  

વિડિઓઝ

Rajkot Congress : સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
Gujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના નવા રાઉંડનો થયો પ્રારંભ
Mehsana Politics : મહેસાણા કલેક્ટર કચેરીમાં જોરદાર ડ્રામા, કોંગ્રેસની સાથે AAPના કાર્યકરોનો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : કોણે પાડ્યો મેન્ડેટનો ખેલ?
Gujarat Hit Wave : ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
US-Iran Peace Talks: ઈસ્લામાબાદમાં નિષ્ફળતા બાદ હવે જિનેવામાં થઈ થકે છે બંને દેશો વચ્ચે બેઠક
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
સુરત બાદ રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોને લઈ જવાયા અજ્ઞાત સ્થળે, ઉમેદવારોને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Nitish Kumar: નીતિશ કુમાર આજે મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું, બુધવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
Hormuz Blockade: હોર્મુઝ બન્યું યુદ્ધનું મેદાન, ઈરાન-અમેરિકા આમને સામને, શું ફરી શરૂ થશે યુદ્ધ?
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
કોંગ્રેસનું 'મિશન ઉમેદવાર બચાવો', વિવિધ મનપા, નપાના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
CBSE Class 10th Result 2026: CBSE ધોરણ-10નું પરિણામ જલદી થશે જાહેર, DigiLocker પર આ રીતે કરી શકશો ચેક
Tatkal Ticket Booking: એજન્ટોના હાથમાં કેવી રીતે લાગી જાય છે તત્કાળ ટિકિટ? જાણો એ સિક્રેટ ટ્રિક જે કોઈ નથી જાણતું
Tatkal Ticket Booking: એજન્ટોના હાથમાં કેવી રીતે લાગી જાય છે તત્કાળ ટિકિટ? જાણો એ સિક્રેટ ટ્રિક જે કોઈ નથી જાણતું
BROમાં બહાર પડી 800થી વધુ પદો પર ભરતી, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
BROમાં બહાર પડી 800થી વધુ પદો પર ભરતી, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Embed widget