શોધખોળ કરો

Maharashtra Crisis: ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ હવે BJP સરકાર બનાવવાની કરી રહી છે તૈયારી

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર બનાવવાનો દાવો કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે વાતચીત થઈ છે

Maharashtra Crisis: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપ સરકાર બનવાની તૈયારીમાં છે. તેની ખુશી ભાજપની છાવણીમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ તાજ પ્રેસિડેન્સી હોટલ પહોંચ્યા હતા. અહીં તેમણે મીઠાઈ વહેંચીને ખુશી મનાવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યોએ 'હમારા મુખ્યમંત્રી કૈસા હો,દેવેન્દ્ર ફડણવીસ જૈસા હો'ના નારા લગાવ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર બનાવવાનો દાવો કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે વાતચીત થઈ છે.ભાજપ સરકાર રચવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આમંત્રણની રાહ જોઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ફડણવીસ આગામી સરકારના વડા હશે અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે આ સરકારમાં તેમના નાયબ હશે. શિંદેની છાવણીના ધારાસભ્યોને અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો મળી શકે છે, આ માટે ભાજપે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે.

સુપ્રીમ કોર્ટનો ઇનકાર

વાસ્તવમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્ય વિધાનસભાના સચિવને આવતીકાલે સવારે 11 વાગ્યે ઠાકરે સરકારનો ફ્લોર ટેસ્ટ કરવા કહ્યું હતું. શિવસેનાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ કલાકથી વધુ સમય સુધી સુનાવણી કર્યા બાદ લગભગ 9 વાગે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

આ પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ મારફચે રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે એમએલસીના પદેથી પણ રાજીનામું આપ્યું હતું. પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. . આ સાથે કોંગ્રેસ અને NCP નેતૃત્વનો આભાર માન્યો હતો.

રાજકીય ઉથલપાથલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ પછી ફડણવીસ રાજ્યપાલને મળ્યા અને ત્યારબાદ તેમણે ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget