શોધખોળ કરો

Maharashtra : છગન ભૂજબળ ખોલશે શરદ પવારની પોલ?

શરદ પવાર પર સીધો પ્રહાર કરતા અજીત પવાર જુથના છગન ભુજબળે કહ્યું હતું કે, હું ઓબીસી છું, તેથી જ શરદ પવારે સૌથી પહેલા મારા મતવિસ્તારમાં રેલી કરી હતી.

NCP Political Crisis: NCPમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે શરદ પવારના એક સમયના ખાસ વિશ્વાસુ છગન ભુજબળનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે શરદ પવારે નાસિકમાં રેલી કરી હતી. જેને લઈને બરાબરના છંછેડાયેલા ભુજબળનું રેલીને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. આ સાથે જ છગન ભુજબળે અનેક સનસની ખુલાસા કરવાની ધમકી ઉચ્ચારી છે. એનસીપીમાં બળવો કેમ થયો તેને લઈને પણ છગન ભૂજબળે શરદ પવારને આત્મમંથનની સલાહ આપી છે. 

શરદ પવાર પર સીધો પ્રહાર કરતા અજીત પવાર જુથના છગન ભુજબળે કહ્યું હતું કે, હું ઓબીસી છું, તેથી જ શરદ પવારે સૌથી પહેલા મારા મતવિસ્તારમાં રેલી કરી હતી. NCP અધ્યક્ષ અજિત પવારના વિસ્તારમાં કેમ ન ગયા? જાહેર છે કે, શરદ પવારે ગઈ કાલે નાસિકમાં એક રેલી કરી હતી. 

આ સાથે જ છગન ભુજબળે એનસીપી અધ્યક્ષને ચેતવણી આપતા કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં ઘણા મોટા ખુલાસા કરશે. તેઓ નાસિકમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે આ વાત કહી હતી.

છગન ભુજબળે શરદ પવારને આપ્યો જવાબ

એનસીપી નેતા અજિત પવારના બળવા બાદ એનસીપીમાં ભાગલા પડી ગયા છે. ત્યાર બાદ અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ સામે સામસામે આવી ગયું છે. આ દરમિયાન શરદ પવારે પાર્ટીને ફરીથી બેઠી કરવા માટે રાજ્યનો પ્રવાસ શરૂ કરી દીધો છે. આ પૃષ્ઠભૂમિમાં શરદ પવારે છગન ભુજબળના ગઢ ગણાતા યેવલામાં સભા યોજી હતી. ગઈકાલની સભામાં શરદ પવારે છગન ભુજબળની ટીકા કરી હતી. જેનો આજે ભુજબળે વળતો જવાબ આપ્યો હતો. NCPમાં બળવા અંગે વાત કરતાં ભુજબળે પવારને એવું કેમ થયું તે અંગે વિચારવાની સલાહ આપી છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં અજિત પવારે NCP સામે બળવો કર્યો હતો અને અલગ જૂથ બનાવીને NDAમાં જોડાઈ ગયા હતાં. અજિત પવાર એનડીએમાં જોડાતાની સાથે જ તેમણે સૌપ્રથમ નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા અને તેમની સાથે ઘણા ધારાસભ્યોએ પણ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા હતાં. એનસીપીના ઘણા મોટા નેતાઓએ પાર્ટી છોડવાના કારણે પ્રમુખ શરદ પવારને મોટો ઝટકો લાગ્યો છે.

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget