શોધખોળ કરો

મમતા બેનર્જીનો અધિકારીઓને આદેશ, કહ્યું- કેન્દ્ર સરકારને ડેટા નહી આપે પશ્વિમ બંગાળ

કોલકત્તાઃ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના સરકારી અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે તેઓ કેન્દ્ર સરકારને બંગાળ સંબંધિત ડેટા આપવાનું બંધ કરે. ગુરુવારે 24 પરગના જિલ્લામાં અધિકારીઓ સાથેની બેઠકમાં મમતાએ કહ્યું કે, પશ્વિમ બંગાળના સરકારી વિભાગ પોતાનું પોર્ટલ બનાવશે અને ડેટા સુરક્ષિત કરશે. મમતાનો આરોપ છે કે કેન્દ્ર સરકાર પશ્વિમ બંગાળ પાસેથી લીધેલા ડેટાનો ઉપયોગ સમાજના કેટલાક વર્ગોમાં રાજકીય સંદેશ મોકલવા માટે કરી રહી છે. પ્રથમવાર મુખ્યમંત્રી દ્ધારા આપવામાં આવેલા આ પ્રકારના નિર્દેશનું પાલન કરવા માટે સરકારના અધિકારીઓએ તમામ સરકારી વિભાગોના ડેટા સુરક્ષિત રાખવા ડેશબોર્ડ બનાવવાની દિશામાં કામ શરૂ કરી લીધું છે. આ ડેશબોર્ડ તમામ સરકારી પોર્ટલો માટે કોમન પ્લેટફોર્મનું કામ કરશે. મમતા બેનર્જીએ કહ્યું હતું કે, હવે અમે અમારા પોર્ટલ પર જ પશ્વિમ બંગાળ સંબંધિત ડેટા સુરક્ષિત રાખીશું. આપણે કેન્દ્રને માહિતી આપવાનું બંધ કરી દેવું જોઇએ કારણ કે ડેટા એકઠા કરવાના નામ પર કેન્દ્ર સરકાર ઘણી ચીજોને પોતાની રીતે કંન્ટ્રોલ લેવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર સીધી રીતે સંઘીય માળખાને પ્રભાવિત કરી રહી છે જે યોગ્ય નથી. આ અગાઉ દેશમાં આવું ક્યારેય થયું નથી. અમારી સરકાર પણ કેન્દ્રની જેમ લોકો દ્ધારા ચૂંટાઇને સત્તામાં આવી છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકારે પશ્વિમ બંગાળમાં લઘુમતીની જનસંખ્યા સાથે જોડાયેલી જાણકારી તો અમારી પાસેથી લીધી પરંતુ તેમના નામ પર વિકાસ માટે ના પૈસા આપ્યા ના તેમના બાળકોને સ્કોલરશીપ. બાદમાં અમારી સરકારે તેમના માટે રૂપિયા જાહેર કર્યા હતા. તેઓ અમારી અધિકારીઓ પાસેથી ડેટા તો લઇ લે છે પણ કોઇ ફંડ આપતા નથી. તેઓ આ ડેટાનો ઉપયોગ ફક્ત પોતાના રાજકીય હિતોને સાધવા માટે કરી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget