શોધખોળ કરો

મમતા બેનર્જીનો રાજીનામાનો ઇનકાર: જાણો અગાઉ કયા મુખ્યમંત્રીઓએ ખુરશી છોડવાની ના પાડી હતી?

Mamata Banerjee: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા છતાં મમતા બેનર્જીએ સત્તા છોડવાનો ઇનકાર કર્યો છે. જોકે, ભારતીય રાજકારણમાં ખુરશી બચાવવા માટેનો આ કોઈ પહેલો કિસ્સો નથી, અગાઉ પણ અનેક નેતાઓએ આવું કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મમતા બેનર્જી ચૂંટણી હાર્યા નથી, પણ હરાવાયા છે, પદ છોડવાનો ઇનકાર.
  • અરવિંદ કેજરીવાલે ધરપકડ બાદ પણ મુખ્યમંત્રી પદ છોડ્યું ન હતું.
  • જીતન રામ માંઝીએ દબાણ હેઠળ રાજીનામું આપવાની ના પાડી હતી.
  • કુમારસ્વામીએ કરાર મુજબ સત્તા છોડવાનો ઇનકાર કરતાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું.

Mamata Banerjee resignation news: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કરીને નવો રાજકીય ગરમાવો લાવી દીધો છે. તેમનો દાવો છે કે તેઓ ચૂંટણી હાર્યા નથી, પરંતુ તેમને હરાવવામાં આવ્યા છે. જોકે, ભારતીય રાજકારણના ઇતિહાસમાં આવું પહેલીવાર નથી બન્યું. આ અગાઉ અરવિંદ કેજરીવાલ, જીતન રામ માંઝી અને એચ.ડી. કુમારસ્વામી જેવા નેતાઓ પણ વધતા દબાણ અથવા રાજકીય કારણોસર મુખ્યમંત્રી પદ છોડવાની ના પાડી ચૂક્યા છે. ચાલો જાણીએ કે ભૂતકાળમાં ક્યારે અને કેમ મુખ્યમંત્રીઓએ ખુરશી ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો અને મમતા બેનર્જીના કિસ્સામાં બંધારણીય નિયમો શું કહે છે.

અરવિંદ કેજરીવાલનો જેલમાંથી સરકાર ચલાવવાનો નિર્ણય

સત્તા ન છોડવાનું સૌથી તાજેતરનું ઉદાહરણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું છે. વર્ષ 2024 માં કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આમ છતાં, તેમણે રાજીનામું ન આપવાનો નિર્ણય લીધો હતો. આમ આદમી પાર્ટીએ ત્યારે એવી દલીલ કરી હતી કે બંધારણમાં એવો કોઈ નિયમ નથી જે અટકાયતમાં રહેલા કાર્યકારી મુખ્યમંત્રીને પદ પર રહેતા રોકી શકે. તેમનો આ નિર્ણય કાનૂની અને રાજકીય રીતે ઘણો વિવાદાસ્પદ રહ્યો હતો.

બિહારમાં જીતન રામ માંઝીનો બળવો

આવો જ એક હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વર્ષ 2015 માં બિહારમાં જોવા મળ્યો હતો. 2014 ની લોકસભા ચૂંટણીમાં JDU ની કારમી હાર બાદ નીતિશ કુમારે રાજીનામું આપી દીધું અને પોતાના સ્થાને જીતન રામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ જ્યારે 2015 માં નીતિશ કુમારે ફરીથી સત્તા સંભાળવાનો પ્રયાસ કર્યો, ત્યારે માંઝીએ રાજીનામું આપવાની ચોખ્ખી ના પાડી દીધી. આ બળવાના કારણે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ભારે ખેંચતાણ અને વિવાદો બાદ, છેવટે 20 ફેબ્રુઆરી 2015 ના રોજ ફ્લોર ટેસ્ટ પહેલાં જ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.

વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?

કર્ણાટકમાં એચ.ડી. કુમારસ્વામીનો કિસ્સો

સત્તાપ્રેમનો આવો જ એક કિસ્સો વર્ષ 2007 માં કર્ણાટકમાં સામે આવ્યો હતો. તે સમયે JDS અને ભાજપ વચ્ચે સત્તાની વહેંચણી માટે 20-20 મહિનાની ફોર્મ્યુલા નક્કી થઈ હતી. આ કરાર મુજબ, એચ.ડી. કુમારસ્વામીએ 20 મહિના પૂરા થતાં જ બી.એસ. યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદ સોંપવાનું હતું. પરંતુ જ્યારે સમય આવ્યો ત્યારે કુમારસ્વામીએ ખુરશી છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આના પરિણામે ભાજપે સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો અને આખરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની નોબત આવી હતી.

મમતા બેનર્જીના કિસ્સામાં હવે આગળ શું?

હવે મોટો સવાલ એ છે કે મમતા બેનર્જીના કિસ્સામાં આગળ શું થશે? બંધારણીય દ્રષ્ટિએ જોઈએ તો, આવી પરિસ્થિતિઓમાં રાજકીય નિવેદનબાજી કરતાં સંસ્થાકીય સમયમર્યાદા વધુ મહત્વ ધરાવે છે. પશ્ચિમ બંગાળની 17 મી વિધાનસભાનો કાર્યકાળ 7 મે 2026 ના રોજ પૂરો થવા જઈ રહ્યો છે. આ તારીખ પછી વિધાનસભા આપમેળે વિસર્જન પામશે. તેનો સીધો અર્થ એ છે કે તેઓ રાજીનામું આપે કે ન આપે તે અપ્રસ્તુત બની જશે. વિધાનસભાની મુદત પૂરી થતાં જ તેમનું મુખ્યમંત્રી તરીકેનું પદ આપોઆપ સમાપ્ત થઈ જશે, અને રાજ્યમાં નવી સરકારની રચના કરવી ફરજિયાત બની જશે.

‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો

Frequently Asked Questions

મમતા બેનર્જીએ રાજીનામું આપવાનો ઇનકાર શા માટે કર્યો?

મમતા બેનર્જીનો દાવો છે કે તેઓ ચૂંટણી હાર્યા નથી, પરંતુ તેમને હરાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેઓ રાજીનામું નહીં આપે.

શું ભૂતકાળમાં મુખ્યમંત્રીઓએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો છે?

હા, ભારતીય રાજકારણમાં અરવિંદ કેજરીવાલ, જીતન રામ માંઝી અને એચ.ડી. કુમારસ્વામી જેવા નેતાઓ પણ દબાણ અથવા રાજકીય કારણોસર મુખ્યમંત્રી પદ છોડવાનો ઇનકાર કરી ચૂક્યા છે.

શું અરવિંદ કેજરીવાલ ધરપકડ બાદ પણ મુખ્યમંત્રી રહ્યા હતા?

હા, કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં ED દ્વારા ધરપકડ થયા બાદ પણ અરવિંદ કેજરીવાલે રાજીનામું ન આપવાનો નિર્ણય લીધો હતો.

મમતા બેનર્જીના કિસ્સામાં બંધારણીય રીતે આગળ શું થઈ શકે છે?

પશ્ચિમ બંગાળ વિધાનસભાનો કાર્યકાળ 7 મે 2026 ના રોજ પૂરો થશે. આ તારીખ પછી વિધાનસભા આપમેળે વિસર્જન પામશે અને નવી સરકારની રચના કરવી ફરજિયાત બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે
Embed widget