શોધખોળ કરો

MCD Result 2022 : તો આ છે MCDમાં AAPની પ્રચંડ જીતના 5 કારણો જેને BJPને નાંખી ઉંધે કાંધ

આ કોઈ સંયોગ નથી કે આમ આદમી પાર્ટીએ MCDમાં મોટી જીત નોંધાવી છે. પરંતુ તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે.

Delhi MCD Election Result 2022: MCDમાં BJPનો 15 વર્ષ જૂનો ગઢ આખરે ધ્વસ્ત થઈ ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)એ MCDમાં 134 બેઠકો જીતી છે. બીજી તરફ ભાજપને માત્ર 104 બેઠકો મળી છે. કોંગ્રેસને 9 બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો છે. આ સિવાય 3 સીટો અન્યના ખાતામાં ગઈ છે. પરંતુ MCD ચૂંટણીમાં એવું શું બન્યું કે ચૂંટણી પ્રચારમાં મોટા ચહેરાઓ મેદાનમાં ઉતારવા છતાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો? MCDમાં AAPના આક્રમક પ્રચાર અને કચરા પરના હુમલાએ AAP માટે કામ કર્યું, જ્યારે ભાજપ સામે નારાજગીએ તેને MCDમાંથી બહાર ફેંકી દીધી. આ કોઈ સંયોગ નથી કે આમ આદમી પાર્ટીએ MCDમાં મોટી જીત નોંધાવી છે. પરંતુ તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે. તો આ છે પાંચ કારણો જેણે MCDમાં આમ આદમી પાર્ટીને અપાવી જીત.

1- સત્તા વિરોધી લહેર જીતી

દિલ્હીમાં AAPની આ મોટી જીતનું સૌથી મોટું કારણ ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર હતું. દિલ્હીના લોકોને છેલ્લા 15 વર્ષથી MCDનું કામ પસંદ નહોતું અને ભાજપની વિરુદ્ધ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો. દિલ્હીની સાંકડી ગલીઓમાં રસ્તાઓની ખરાબ હાલત, પાર્કિંગની સમસ્યા, સ્વચ્છતાના અભાવથી પરેશાન દિલ્હીના લોકોએ AAPનો વિકલ્પ પસંદ કર્યો. જ્યારે ભાજપ પાયાગત મુદ્દાઓ પર પાછી રહી અને MCD ચૂંટણીમાં લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો.

2- પ્રચાર મુદ્દાઓએ ચૂંટણી જીતી

ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતનું સૌથી મોટું કારણ એ છે કે તેણે પાયાના મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી. આપે કહ્યું હતું કે, તેને એવા લોકોને મત આપો જે દિલ્હીને ચમકાવી શકશે અને તેને સાફ કરી કરશે. જ્યારે ભાજપે MCD ચૂંટણીમાં પણ રાષ્ટ્રીયતાના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, તો આમ આદમી પાર્ટી કચરાના પહાડ અને યમુનાની ગંદકીની વાત કરતી રહી. આમ આદમી પાર્ટીએ સતત ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે સતત 15 વર્ષ સુધી MCDમાં હોવા છતાં દિલ્હીમાં સ્વચ્છતા મામલે કામ જ થયું નથી. લોકોને આમ આદમી પાર્ટીની વાત પણ પસંદ આવી જેના પર તેણે MCDમાં જીતની મહોર લગાવી.

3- કેજરીવાલનો જાદુ, આક્રમક પ્રચાર

દિલ્હીમાં કેજરીવાલનો જાદુ કામ કરી ગયો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પહેલેથી જ AAPને સત્તામાં બેસાડનારા લોકોને કેજરીવાલ અને તેમની કામ કરવાની રીત પસંદ આવી હતી. આ જ કારણ છે કે MCDમાં પણ લોકોએ કેજરીવાલના નારા પર ધ્યાન આપ્યું અને AAPને 134 બેઠકો મળી. કેજરીવાલે આરોપ લગાવ્યા કે MCD કામ કરવા માટે પૈસા નથી આપી રહ્યું. મનીષ સિસોદિયાને હીરો ગણાવતા કેજરીવાલ ભાજપ પર ભ્રષ્ટાચાર અને એજન્સીઓના દુરુપયોગના આરોપો લગાવતા રહ્યા. તેનો ફાયદો પણ પાર્ટીને થયો.

4- તોફાન પ્રભાવિત વિસ્તારોમાં વધુ મતદાન

દિલ્હીમાં જોકે આ વખતે મતદાનની ટકાવારી ઓછી રહી છે, પરંતુ રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં સારું એવું મતદાન થયું. દિલ્હીના મુસ્તફાબાદ, નેહરુ વિહાર, ચૌહાણ બાંગર જેવા વિસ્તારોમાં 60 ટકાથી વધુ મતદાન થયું હતું. માનવામાં આવે છે કે આ વિસ્તારોમાં AAPની તરફેણમાં ઘણું મતદાન થયું હતું. શહેરી વિસ્તારોને બદલે ગ્રામીણ વિસ્તારોમાં પણ AAPની તરફેણમાં મતદાન થયું હતું. દિલ્હીમાં કુલ મતદાન માત્ર 50.48 ટકા થયું હતું.

5- AAP સરકારના કામ અને વચનોમાં વિશ્વાસ

દિલ્હીમાં સત્તા પર હતી ત્યારે આમ આદમી પાર્ટીએ વીજળી અને પાણી પર સબસિડી આપી મધ્યમ વર્ગના લોકોના દિલ જીતી લીધા હતા. કેજરીવાલે લોકોને એમસીડીમાં તક આપવા વારંવાર અપીલ કરી હતી. પ્રચાર દરમિયાન તેઓ કહેતા રહ્યા કે જેમ ઓ દિલ્હીમાં સારા શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવામાં વ્યસ્ત છે. એ જ રીતે એસીડીમાં સત્તામાં આવતાં જ અમે સ્વચ્છતાથી લઈને દરેક મુદ્દા પર મક્કમતાથી કામ કરીશું. આ સ્થિતિમાં દિલ્હીની જનતાને AAP સરકારના વચનો પર વિશ્વાસ બેઠો અને MCDમાં પણ AAPને જીત મળી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
રામ મંદિર દાન ચોરી મામલે રાજ ઠાકરેનો મોટો હુમલો, કહ્યું- બીજી સરકાર હોત તો BJP...
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 
ભારે વરસાદને લઈ નદીમાં તણાઈ ગયા 3000 ગેસ સિલિન્ડર, લોકોને પરત કરવા અપીલ કરાઈ 

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget