શોધખોળ કરો

MCD Result 2022 : તો આ છે MCDમાં AAPની પ્રચંડ જીતના 5 કારણો જેને BJPને નાંખી ઉંધે કાંધ

આ કોઈ સંયોગ નથી કે આમ આદમી પાર્ટીએ MCDમાં મોટી જીત નોંધાવી છે. પરંતુ તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે.

Delhi MCD Election Result 2022: MCDમાં BJPનો 15 વર્ષ જૂનો ગઢ આખરે ધ્વસ્ત થઈ ગયો છે. આમ આદમી પાર્ટી (AAP)એ MCDમાં 134 બેઠકો જીતી છે. બીજી તરફ ભાજપને માત્ર 104 બેઠકો મળી છે. કોંગ્રેસને 9 બેઠકો જીતીને સંતોષ માનવો પડ્યો છે. આ સિવાય 3 સીટો અન્યના ખાતામાં ગઈ છે. પરંતુ MCD ચૂંટણીમાં એવું શું બન્યું કે ચૂંટણી પ્રચારમાં મોટા ચહેરાઓ મેદાનમાં ઉતારવા છતાં ભાજપને હારનો સ્વાદ ચાખવો પડ્યો? MCDમાં AAPના આક્રમક પ્રચાર અને કચરા પરના હુમલાએ AAP માટે કામ કર્યું, જ્યારે ભાજપ સામે નારાજગીએ તેને MCDમાંથી બહાર ફેંકી દીધી. આ કોઈ સંયોગ નથી કે આમ આદમી પાર્ટીએ MCDમાં મોટી જીત નોંધાવી છે. પરંતુ તેની પાછળ ઘણા મહત્વપૂર્ણ કારણો છે. તો આ છે પાંચ કારણો જેણે MCDમાં આમ આદમી પાર્ટીને અપાવી જીત.

1- સત્તા વિરોધી લહેર જીતી

દિલ્હીમાં AAPની આ મોટી જીતનું સૌથી મોટું કારણ ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી લહેર હતું. દિલ્હીના લોકોને છેલ્લા 15 વર્ષથી MCDનું કામ પસંદ નહોતું અને ભાજપની વિરુદ્ધ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો. દિલ્હીની સાંકડી ગલીઓમાં રસ્તાઓની ખરાબ હાલત, પાર્કિંગની સમસ્યા, સ્વચ્છતાના અભાવથી પરેશાન દિલ્હીના લોકોએ AAPનો વિકલ્પ પસંદ કર્યો. જ્યારે ભાજપ પાયાગત મુદ્દાઓ પર પાછી રહી અને MCD ચૂંટણીમાં લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો.

2- પ્રચાર મુદ્દાઓએ ચૂંટણી જીતી

ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીતનું સૌથી મોટું કારણ એ છે કે તેણે પાયાના મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી. આપે કહ્યું હતું કે, તેને એવા લોકોને મત આપો જે દિલ્હીને ચમકાવી શકશે અને તેને સાફ કરી કરશે. જ્યારે ભાજપે MCD ચૂંટણીમાં પણ રાષ્ટ્રીયતાના મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો, તો આમ આદમી પાર્ટી કચરાના પહાડ અને યમુનાની ગંદકીની વાત કરતી રહી. આમ આદમી પાર્ટીએ સતત ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે સતત 15 વર્ષ સુધી MCDમાં હોવા છતાં દિલ્હીમાં સ્વચ્છતા મામલે કામ જ થયું નથી. લોકોને આમ આદમી પાર્ટીની વાત પણ પસંદ આવી જેના પર તેણે MCDમાં જીતની મહોર લગાવી.

3- કેજરીવાલનો જાદુ, આક્રમક પ્રચાર

દિલ્હીમાં કેજરીવાલનો જાદુ કામ કરી ગયો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પહેલેથી જ AAPને સત્તામાં બેસાડનારા લોકોને કેજરીવાલ અને તેમની કામ કરવાની રીત પસંદ આવી હતી. આ જ કારણ છે કે MCDમાં પણ લોકોએ કેજરીવાલના નારા પર ધ્યાન આપ્યું અને AAPને 134 બેઠકો મળી. કેજરીવાલે આરોપ લગાવ્યા કે MCD કામ કરવા માટે પૈસા નથી આપી રહ્યું. મનીષ સિસોદિયાને હીરો ગણાવતા કેજરીવાલ ભાજપ પર ભ્રષ્ટાચાર અને એજન્સીઓના દુરુપયોગના આરોપો લગાવતા રહ્યા. તેનો ફાયદો પણ પાર્ટીને થયો.

4- તોફાન પ્રભાવિત વિસ્તારોમાં વધુ મતદાન

દિલ્હીમાં જોકે આ વખતે મતદાનની ટકાવારી ઓછી રહી છે, પરંતુ રમખાણ પ્રભાવિત વિસ્તારોમાં સારું એવું મતદાન થયું. દિલ્હીના મુસ્તફાબાદ, નેહરુ વિહાર, ચૌહાણ બાંગર જેવા વિસ્તારોમાં 60 ટકાથી વધુ મતદાન થયું હતું. માનવામાં આવે છે કે આ વિસ્તારોમાં AAPની તરફેણમાં ઘણું મતદાન થયું હતું. શહેરી વિસ્તારોને બદલે ગ્રામીણ વિસ્તારોમાં પણ AAPની તરફેણમાં મતદાન થયું હતું. દિલ્હીમાં કુલ મતદાન માત્ર 50.48 ટકા થયું હતું.

5- AAP સરકારના કામ અને વચનોમાં વિશ્વાસ

દિલ્હીમાં સત્તા પર હતી ત્યારે આમ આદમી પાર્ટીએ વીજળી અને પાણી પર સબસિડી આપી મધ્યમ વર્ગના લોકોના દિલ જીતી લીધા હતા. કેજરીવાલે લોકોને એમસીડીમાં તક આપવા વારંવાર અપીલ કરી હતી. પ્રચાર દરમિયાન તેઓ કહેતા રહ્યા કે જેમ ઓ દિલ્હીમાં સારા શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવામાં વ્યસ્ત છે. એ જ રીતે એસીડીમાં સત્તામાં આવતાં જ અમે સ્વચ્છતાથી લઈને દરેક મુદ્દા પર મક્કમતાથી કામ કરીશું. આ સ્થિતિમાં દિલ્હીની જનતાને AAP સરકારના વચનો પર વિશ્વાસ બેઠો અને MCDમાં પણ AAPને જીત મળી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રસોઈ ગેસની સપ્લાય પરથી હટાવ્યો ઈમરજન્સી કંટ્રોલ હટાવાયો, જાણો શું કર્યો ફેરફાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget