શોધખોળ કરો

Millet Diet: ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવવા અપાશે આ ખોરાક

શ્રી અન્નથી ભરપુર ભારતીય સેના માટે નવો ડાયટ પ્લાન બનશે અમલી

Millet Diet Benefits: આજે ભારતના પ્રસ્તાવ અને સંયુક્ત રાષ્ટ્રના સમર્થન પર આજે દુનિભાભરમાં વર્ષ 2023ને પોષક અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બરછટ અનાજની ઉપયોગિતાને પ્રોત્સાહન આપવાનો છે. આ લક્ષ્ય સાથે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બરછ્ટ અનાજના ફાયદા વિશે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સ અને બરછટ અનાજમાંથી બનેલા નાસ્તા એટલે કે શ્રી અન્ના લોકોમાં લોન્ચ કરવામાં આવી રહ્યા છે, જેથી તેને ડાયટમાં સરળતાથી ઉમેરી શકાય. સરકાર પણ પોતાના સ્તરે બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય ભારતીય સેનાના જવાનોનો નવો ડાયટ પ્લાન છે.

ભારતીય સેનાએ તેનું સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, હવે સેના તેના સૈનિકોના આહાર યોજનામાં બાજરીનો સમાવેશ કરવા જઈ રહી છે. લગભગ અડધી સદી બાદ ઘઉંના લોટની જગ્યાએ હવે જુવાર, બાજરી અને રાગી ભારતીય સેનાના જવાનોની તબિયત સુધારી શકશે. આ બાજરીનો આહાર યોજના મુખ્યત્વે ચીન સાથેની સરહદો પર તૈનાત ભારતીય સેનાના જવાનો માટે રજૂ કરવામાં આવી રહી છે. જેમાં બાજરીમાંથી બનેલા નાસ્તા અને ખાદ્ય પદાર્થોનો પણ સમાવેશ થશે.

બાજરી એક સદી પછી સૈન્યના રાશનમાં પાછી આવી

ધ પ્રિન્ટના અહેવાલ મુજબ, ભારતીય સેનાએ તેના તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે, 1966 સુધી ભારતીય સેનાના આહાર યોજનામાં બાજરીનો સમાવેશ થતો હતો. પરંતુ ઘઉંના લોટની ઉપલબ્ધતા સ્થિર થયા બાદ બાજરી દૂર કરવામાં આવી હતી.


સેનાના નિવેદન અનુસાર, જો સૈનિકો માટેનું રાશન વર્ષ 2023-24થી અનાજ (ચોખા અને ઘઉંનો લોટ)ના અધિકૃત અધિકારના 25%થી વધુ ન હોય તો બાજરીના લોટની ખરીદી માટે સરકાર પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ, હાલમાં ભારતીય સેના જવાનોને આહારમાં દરરોજ 650 ગ્રામ ચોખા અથવા લોટ આપવામાં આવે છે. જ્યારે નવી આહાર યોજનામાં બાજરી, રાગી અને જુવાર પણ 650 ગ્રામ દૈનિક રાશનમાં 25% ઉમેરી શકાય છે.

આર્મી કેન્ટીનમાં પણ બાજરી મળશે

બાજરી સંબંધિત ખાદ્ય ઉત્પાદનો આર્મીની CSD કેન્ટીન તેમજ કેન્ટોનમેન્ટની અંદરના શોપિંગ કોમ્પ્લેક્સમાં પ્રદર્શિત કરવામાં આવશે. તાજેતરમાં ફોર્સે બાજરી માટે એક એડવાઈઝરી પણ બહાર પાડી છે, જેનો ઉપયોગ સૈન્યના કાર્યક્રમો, મોટા રસોડા અને ઘરની રસોઈમાં વ્યાપકપણે થાય છે.

સેનાનું કહેવું છે કે, બાજરીમાંથી ટેસ્ટી અને હેલ્ધી ડીશ બનાવવા માટે શેફ પાસેથી ટ્રેનિંગ પણ લેવામાં આવી રહી છે. સૈનિકોની પોષણ સુરક્ષા માટે બાજરી પોતે જ પ્રોટીન, સૂક્ષ્મ પોષકતત્વો અને ફાયટોકેમિકલ્સનો સારો સ્ત્રોત છે.

સૈનિકોનું સ્વાસ્થ્ય સારું રહેશે

સેનાના સત્તાવાર નિવેદન અનુસાર, આપણી ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓને અનુરૂપ પરંપરાગત બાજરી સૈનિકોના સ્વાસ્થ્ય અને મનોબળને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રોજિંદા જીવનશૈલીના રોગોથી છુટકારો મેળવવામાં બાજરીના ગુણો ખૂબ મદદરૂપ થશે.

ટૂંક સમયમાં બાજરી તમામ રેન્કના દૈનિક આહારનો એક ભાગ બની જશે. ઉલ્લેખનીય છે કે, ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની એક ટીમ ચોખા અને ઘઉં જેવા બાજરીની શેલ્ફ લાઇફ વધારવા માટે વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. જેમાં બાજરીના લોટને નરમ રાખવાના ઉપાયો પણ સૂચવવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
Embed widget