શોધખોળ કરો

Millet Diet: ભારતીય સેનાને વધુ શક્તિશાળી બનાવવા અપાશે આ ખોરાક

શ્રી અન્નથી ભરપુર ભારતીય સેના માટે નવો ડાયટ પ્લાન બનશે અમલી

Millet Diet Benefits: આજે ભારતના પ્રસ્તાવ અને સંયુક્ત રાષ્ટ્રના સમર્થન પર આજે દુનિભાભરમાં વર્ષ 2023ને પોષક અનાજના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બરછટ અનાજની ઉપયોગિતાને પ્રોત્સાહન આપવાનો છે. આ લક્ષ્ય સાથે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બરછ્ટ અનાજના ફાયદા વિશે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. હેલ્ધી ફૂડ પ્રોડક્ટ્સ અને બરછટ અનાજમાંથી બનેલા નાસ્તા એટલે કે શ્રી અન્ના લોકોમાં લોન્ચ કરવામાં આવી રહ્યા છે, જેથી તેને ડાયટમાં સરળતાથી ઉમેરી શકાય. સરકાર પણ પોતાના સ્તરે બરછટ અનાજને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. આ દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય ભારતીય સેનાના જવાનોનો નવો ડાયટ પ્લાન છે.

ભારતીય સેનાએ તેનું સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, હવે સેના તેના સૈનિકોના આહાર યોજનામાં બાજરીનો સમાવેશ કરવા જઈ રહી છે. લગભગ અડધી સદી બાદ ઘઉંના લોટની જગ્યાએ હવે જુવાર, બાજરી અને રાગી ભારતીય સેનાના જવાનોની તબિયત સુધારી શકશે. આ બાજરીનો આહાર યોજના મુખ્યત્વે ચીન સાથેની સરહદો પર તૈનાત ભારતીય સેનાના જવાનો માટે રજૂ કરવામાં આવી રહી છે. જેમાં બાજરીમાંથી બનેલા નાસ્તા અને ખાદ્ય પદાર્થોનો પણ સમાવેશ થશે.

બાજરી એક સદી પછી સૈન્યના રાશનમાં પાછી આવી

ધ પ્રિન્ટના અહેવાલ મુજબ, ભારતીય સેનાએ તેના તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે, 1966 સુધી ભારતીય સેનાના આહાર યોજનામાં બાજરીનો સમાવેશ થતો હતો. પરંતુ ઘઉંના લોટની ઉપલબ્ધતા સ્થિર થયા બાદ બાજરી દૂર કરવામાં આવી હતી.

સેનાના નિવેદન અનુસાર, જો સૈનિકો માટેનું રાશન વર્ષ 2023-24થી અનાજ (ચોખા અને ઘઉંનો લોટ)ના અધિકૃત અધિકારના 25%થી વધુ ન હોય તો બાજરીના લોટની ખરીદી માટે સરકાર પાસેથી મંજૂરી માંગવામાં આવી છે. ધ પ્રિન્ટના એક અહેવાલ મુજબ, હાલમાં ભારતીય સેના જવાનોને આહારમાં દરરોજ 650 ગ્રામ ચોખા અથવા લોટ આપવામાં આવે છે. જ્યારે નવી આહાર યોજનામાં બાજરી, રાગી અને જુવાર પણ 650 ગ્રામ દૈનિક રાશનમાં 25% ઉમેરી શકાય છે.

આર્મી કેન્ટીનમાં પણ બાજરી મળશે

બાજરી સંબંધિત ખાદ્ય ઉત્પાદનો આર્મીની CSD કેન્ટીન તેમજ કેન્ટોનમેન્ટની અંદરના શોપિંગ કોમ્પ્લેક્સમાં પ્રદર્શિત કરવામાં આવશે. તાજેતરમાં ફોર્સે બાજરી માટે એક એડવાઈઝરી પણ બહાર પાડી છે, જેનો ઉપયોગ સૈન્યના કાર્યક્રમો, મોટા રસોડા અને ઘરની રસોઈમાં વ્યાપકપણે થાય છે.

સેનાનું કહેવું છે કે, બાજરીમાંથી ટેસ્ટી અને હેલ્ધી ડીશ બનાવવા માટે શેફ પાસેથી ટ્રેનિંગ પણ લેવામાં આવી રહી છે. સૈનિકોની પોષણ સુરક્ષા માટે બાજરી પોતે જ પ્રોટીન, સૂક્ષ્મ પોષકતત્વો અને ફાયટોકેમિકલ્સનો સારો સ્ત્રોત છે.

સૈનિકોનું સ્વાસ્થ્ય સારું રહેશે

સેનાના સત્તાવાર નિવેદન અનુસાર, આપણી ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓને અનુરૂપ પરંપરાગત બાજરી સૈનિકોના સ્વાસ્થ્ય અને મનોબળને વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રોજિંદા જીવનશૈલીના રોગોથી છુટકારો મેળવવામાં બાજરીના ગુણો ખૂબ મદદરૂપ થશે.

ટૂંક સમયમાં બાજરી તમામ રેન્કના દૈનિક આહારનો એક ભાગ બની જશે. ઉલ્લેખનીય છે કે, ICAR-ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની એક ટીમ ચોખા અને ઘઉં જેવા બાજરીની શેલ્ફ લાઇફ વધારવા માટે વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. જેમાં બાજરીના લોટને નરમ રાખવાના ઉપાયો પણ સૂચવવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
ઘરે 3kW સોલાર પેનલ લગાવવાનો ખર્ચ કેટલા વર્ષમાં વસૂલ થશે? સમજો સબસિડીનું પૂરું ગણિત
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
નીતિન નવીનની નવી ટીમમાં કેટલા મુસ્લિમોને મળ્યું સ્થાન? આ નેતા બન્યા લઘુમતી મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
Embed widget