શોધખોળ કરો
રાહુલ ગાંધીનો કટાક્ષ- કૃષિ બિલ મારફતે મોદી સરકાર વધારશે પોતાના ‘મિત્રો’નો વ્યાપાર
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, “ ખેડૂતોનો મોદી સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે મોદીજીની કથની અને કરનીમાં ફરક રહ્યો છે.
![રાહુલ ગાંધીનો કટાક્ષ- કૃષિ બિલ મારફતે મોદી સરકાર વધારશે પોતાના ‘મિત્રો’નો વ્યાપાર modi government will increase trade of its friends through agriculture bill says rahul gandhi રાહુલ ગાંધીનો કટાક્ષ- કૃષિ બિલ મારફતે મોદી સરકાર વધારશે પોતાના ‘મિત્રો’નો વ્યાપાર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/18232053/rahul-gandhi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ખેડૂતો સાથે જોડાયેલા બે બિલ લોકસભામાં પાસ થઇ ગયા છે. કોગ્રેસના સભ્યોએ તેનો વિરોધ કરતા લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ત્યારે હવે કૃષિ બિલને લઈ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશના ખેડૂતો જાણે છે કે, આ બિલ દ્વારા મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે, “ ખેડૂતોનો મોદી સરકાર પરથી શરુઆતથી જ વિશ્વાસ ઉઠી ગયો છે, કારણ કે મોદીજીની કથની અને કરનીમાં ફરક રહ્યો છે. નોટબંધી, ખોટી જીએસટી અને ડીઝલ પર ભારેભરખમ ટેક્સ. જાગૃત ખેડૂતો જાણે છે કે, કૃષિ બિલથી મોદી સરકાર પોતાના મિત્રોનો વેપાર વધારશે અને ખેડૂતોની રોજી રોટી પર વાર કરશે.”
ઉલ્લેખનીય છે કે, કૃષિ બિલ પર મોદી સરકારને ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર વિપક્ષ જ નહીં એનડીએમાં પણ બિલના કારણે ભાગલા પડી ગયા છે. આ મુદ્દે ગુરુવારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. શિરોમણી અકાલી દળ બીજેપીની સૌથી જૂની સહયોગી પાર્ટીઓમાંની એક છે.
હરસિમરતનું રાજીનામું ત્રણ અધ્યાદેશો વિરુદ્ધ આપ્યું છે. જેમાં -ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય અધ્યાદેશ 2020, ખેડૂત સશક્તીકરણ અને સંરક્ષણ અધ્યાદે અને આવશ્યક વસ્તુ (સંશોધન) સામેલ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)