ચોમાસામાં ભેજને કારણે E20 પેટ્રોલમાં ભેળસેળ અને ગુણવત્તા બગડવાનો ખતરો વધી જાય છે. ઇથેનોલ વાતાવરણમાંથી પાણી શોષી લે છે, જે સમસ્યા સર્જે છે.
E20 પેટ્રોલ પર ચોમાસાનું સંકટ! વરસાદમાં ભેજ શોષી રહ્યું છે ઇથેનોલ, પેટ્રોલ પંપ સંચાલકોએ આપી ચેતવણી
E20 Fuel Side Effects: E20 પેટ્રોલ અંગે દેશવ્યાપી હોબાળો વચ્ચે, નવા સમાચાર સામે આવી રહ્યા છે. પેટ્રોલ પંપ માલિકોએ આ અંગે ચેતવણી પણ આપી છે.

- E20 ફ્યુઅલ ચોમાસામાં ભેજથી ગુણવત્તા ગુમાવવાનો ખતરો.
- ઇથેનોલ પાણી શોષી ફેઝ સેપરેશનની સમસ્યા સર્જે છે.
- વાહનોના એન્જિનને નુકસાન, સ્ટાર્ટ ન થવા જેવી સમસ્યાઓ.
- દરિયાકાંઠાના વિસ્તારો, ભૂગર્ભ ટાંકીમાં કાટ લાગવાનો ખતરો.
E20 Fuel Side Effects: E20 ફ્યુઅલને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે એક નવી ચિંતાજનક માહિતી સામે આવી છે. કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ ચેતવણી આપી છે કે, ચોમાસા દરમિયાન E20 પેટ્રોલમાં ભેજના કારણે ગુણવત્તા બગડવાનો ખતરો વધી રહ્યો છે.
The Hinduના અહેવાલ મુજબ, કેટલાક પેટ્રોલ પંપ માલિકોએ જણાવ્યું છે કે, ઇથેનોલમાં વાતાવરણમાંથી ભેજ (પાણીના સૂક્ષ્મ કણો) શોષી લેવાની ક્ષમતા હોવાથી ચોમાસા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સંગ્રહિત E20 પેટ્રોલમાં ભેળસેળ થવાની શક્યતા વધી જાય છે.
'ફેઝ સેપરેશન' બની રહ્યું છે મોટી સમસ્યા
હાલમાં મોટાભાગના પેટ્રોલ પંપના ભૂગર્ભ સ્ટોરેજ ટાંકા પરંપરાગત પેટ્રોલ માટે બનાવવામાં આવ્યા છે, વધુ ઇથેનોલ મિશ્રિત E20 ફ્યુઅલ માટે નહીં. વરસાદી મોસમમાં ટાંકીમાં ભેજ પ્રવેશતાં ઇથેનોલ પાણીને પોતાની તરફ ખેંચે છે અને ટાંકીના તળિયે પાણી સાથે ભેગું થઈ જાય છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો ભૂગર્ભ ટાંકીમાં સંગ્રહિત E20 ફ્યુઅલમાં પાણીનું પ્રમાણ 0.5 ટકા કરતાં વધુ થઈ જાય, તો ઇથેનોલ પાણી સાથે ભળી જાય છે. આ પ્રક્રિયાને 'ફેઝ સેપરેશન' કહેવામાં આવે છે. તેમાં પાણી અને ઇથેનોલનું મિશ્રણ ટાંકીના તળિયે બેસી જાય છે, જ્યારે પેટ્રોલ ઉપર અલગ સ્તર તરીકે રહી જાય છે.
વાહનોના એન્જિન પર પડી શકે છે અસર
આ સ્થિતિમાં વાહનમાં શુદ્ધ E20 પેટ્રોલના બદલે પાણી-ઇથેનોલનું દૂષિત મિશ્રણ જઈ શકે છે. તેના કારણે વાહન સ્ટાર્ટ ન થવું, થોડું ચાલ્યા પછી બંધ પડી જવું અથવા એન્જિન સંબંધિત અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ જોખમ વધુ રહે છે, કારણ કે ત્યાં જમીનની અંદર ભેજ અને પાણીનું પ્રમાણ વધારે હોય છે. જો ભૂગર્ભ સ્ટોરેજ ટાંકી યોગ્ય રીતે સીલ ન હોય, તો તેમાં સંગ્રહિત E20 પેટ્રોલ ખરાબ થવાની શક્યતા વધી જાય છે.
જંગ લાગવાનો પણ વધે છે ખતરો
ચોમાસામાં માઇલ્ડ સ્ટીલથી બનેલી ભૂગર્ભ ટાંકી અને પાઇપલાઇનમાં કાટ (જંગ) લાગવાનો ખતરો પણ વધી શકે છે. કારણ કે ઇથેનોલ પાણી શોષી લે છે, જેના કારણે ઇંધણની ગુણવત્તા પર અસર પડી શકે છે. જોકે, કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે તેલ કંપનીઓએ E20 માટેની તૈયારીના ભાગરૂપે પેટ્રોલ ડિસ્પેન્સિંગ યુનિટમાં ઉપયોગમાં લેવાતી સીલ અને વોશરને નિઓપ્રીન રબરથી બદલ્યા છે, જેથી ઇથેનોલના પ્રભાવને ઘટાડવામાં મદદ મળી શકે.
Frequently Asked Questions
ચોમાસા દરમિયાન E20 ફ્યુઅલ સાથે કઈ મુખ્ય સમસ્યા થઈ શકે છે?
'ફેઝ સેપરેશન' શું છે અને તે શા માટે ચિંતાનો વિષય છે?
જો E20 ફ્યુઅલમાં પાણી 0.5% થી વધુ હોય, તો ઇથેનોલ પાણી સાથે ભળીને ટાંકીના તળિયે બેસી જાય છે. આને 'ફેઝ સેપરેશન' કહેવાય છે, જેનાથી વાહનમાં દૂષિત ઇંધણ જઈ શકે છે.
દૂષિત E20 ફ્યુઅલ વાહનના એન્જિન પર કેવી રીતે અસર કરી શકે છે?
વાહનમાં પાણી-ઇથેનોલનું દૂષિત મિશ્રણ જવાથી વાહન સ્ટાર્ટ ન થવું, થોડું ચાલીને બંધ થવું કે એન્જિન સંબંધિત અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
કયા વિસ્તારોમાં E20 ફ્યુઅલની ગુણવત્તા બગડવાનું જોખમ વધુ રહે છે?
ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ જોખમ વધુ રહે છે, કારણ કે ત્યાં જમીનમાં ભેજ અને પાણીનું પ્રમાણ વધારે હોય છે. ભૂગર્ભ ટાંકી યોગ્ય રીતે સીલ ન હોય તો જોખમ વધે છે.






















