શોધખોળ કરો

મોરારી બાપુએ આજની રાજનીતિનું બનાવ્યું રિપોર્ટ કાર્ડ, જાણો 100માંથી કેટલા આપ્યા માર્કસ?....

એબીપી ન્યૂઝને આપેલી ખાસ મુલાકાતમાં મોરારી બાપુએ દેશની રાજકીય સ્થિતિ પર ખુલીને વાત કરી હતી. આ સાથે તેમણે રાજધર્મ પરના સવાલનો જવાબ પણ આપ્યો હતો.

morari bapu Interview: એબીપી ન્યૂઝને આપેલી ખાસ મુલાકાતમાં મોરારી બાપુએ દેશની રાજકીય સ્થિતિ પર ખુલીને વાત કરી હતી.  મોરારી બાપુએ રામ મંદિરથી લઈને રાજનીતિ, રાજધર્મ અને સનાતન ધર્મ પર ખાસ વાતચીત કરી હતી. મોરારી બાપુ આ સમયે રામકથા યાત્રા માટે વિશેષ ટ્રેન દ્વારા રવાના થયા છે. 18 દિવસની આ યાત્રામાં મોરારી બાપુ દેશના 12 જ્યોતિર્લિંગો પર રામકથા કહેશે. તેમની સાથે આ સ્પેશિયલ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ પણ મુસાફરી કરી રહ્યા છે. આ ટ્રેનમાં તેમણે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. આ ટ્રેનમાં જ તેમણે એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. 

જાણીતા કથાકાર મોરારી બાપુએ આજની રાજનીતિ પર રિપોર્ટ કાર્ડ આપ્યું છે. એબીપી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે આજની રાજનીતિનો રિપોર્ટ આપતા કહ્યું કે તેઓ આજની રાજનીતિને 100માંથી 30 નંબર આપે છે. આ સાથે તેમણે રાજધર્મ અને બંધારણ પરના પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.

આજની રાજનીતિને કેટલા નંબર આપવામાં આવ્યા ?

એબીપી ન્યૂઝ સાથેની મુલાકાતમાં, મોરારી બાપુને આજની રાજનીતિના રિપોર્ટ કાર્ડ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો  અને તેમણે કહ્યું, "પહેલા હું શિક્ષક હતો. 100માંથી 35   માર્કસ મેળવે તો પાસ થતા.  પરીક્ષામાં 30 માર્કસ મેળવે તેમને 5 માર્કસ વધારીને હું પાસ કરતો હતો.”  આજની રાજનીતિ પર તેમણે કહ્યું કે મેં જે એસેસમેન્ટ કર્યું છે તેમાં હું 30 માર્કસ આપું છું અને 5 માર્કસ કૃપા ગુણ આપીએ એટલે પાસ કરીએ છીએ. 

રાજધર્મમાં સાધુનો અભિપ્રાય જરૂરી છે

રાજધર્મના પ્રશ્ન પર મોરારી બાપુએ કહ્યું કે, રામચરિતમાનસમાં રાજધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. રાજકારણ અને રાજધર્મ અલગ છે. રાજનીતિમાં શામ દામ દંડ ભેદ આવે છે જ્યારે રાજધર્મમાં આવુ કંઈ આવતું નથી.  રાજધર્મ એ છે કે જેમાં પહેલા સાધુનો અભિપ્રાય લેવામાં આવે, પછી લોકોનો અભિપ્રાય લેવામાં આવે.  જો આપણે સનાતનના અનુયાયી હોઈએ તો વેદોનો અભિપ્રાય લેવો જોઈએ. રામાયણ અને મહાભારતમાંથી પણ અભિપ્રાય લઇ શકો છો. આ ચાર વસ્તુઓ જેમા મળે તેને  રાજધર્મ કહી શકાય. 

બંધારણ સનાતનની છાયામાં હોવું જોઈએ

સનાતન કે બંધારણ વિશે ઉઠાવવામાં આવેલા સવાલ પર મોરારી બાપુએ કહ્યું કે, બંધારણ સનાતનની છાયામાં હોવું જોઈએ. તેમણે કહ્યું, ભારતમાં પહેલા શાશ્વત બંધારણ હોવું જોઈએ. રામના નામને લઈને થઈ રહેલી રાજનીતિ અંગે તેમણે કહ્યું કે, કેટલાક લોકોએ રામને સાધન બનાવ્યું છે. તમારા પોતાના હિતોની સેવા કરવા માટે થોડા સમય માટે તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

મથુરા-કાશી વિવાદ પર પણ વાત કરી

જ્ઞાનવાપી વિવાદ પર તેમણે કહ્યું કે, મામલો સુપ્રીમ કોર્ટના હાથમાં છે, તે નિર્ણય કરશે. મોરારી બાપુએ કોર્ટમાં જવાને બદલે  વાતચીતથી પ્રશ્નનો ઉકેલ  પ્રશ્નનો ઉકેલ લાવવાના સવાલના  જવાબમાં ક્હ્યું કે,  70 વર્ષથી આ પ્રશ્નનો ઉકેલ ન આવ્યો એટલે કોર્ટમાં જવુ પડે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
IND vs ENG: ટીમ ઈન્ડિયા માટે આજે 'કરો યા મરો' મેચ, અંશુલ કંબોજ કરી શકે છે ડેબ્યૂ, નાયરને મળશે વધુ એક તક
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ બાદ પ્લેનના એન્જિનમાં લાગી આગ, હોંગકોંગથી આવી રહ્યું હતું એર ઈન્ડિયાનું વિમાન
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
Embed widget