શોધખોળ કરો

હનુમાન ચાલીસા અંગે સાંસદ નવનીત રાણાએ ફરી ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું

Hanuman Chalisa Row: નવનીત રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા કહેશે કે રામ અને હનુમાનનો વિરોધ કરનારાઓનું શું પરિણામ આવે છે.

Mumbai : માતોશ્રી-હનુમાન ચાલીસા વિવાદને કારણે ચર્ચામાં આવેલા અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણાએ રવિવારે મુંબઈની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર અને મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે  પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે સવાલ પૂછ્યો કે શાની સજા થઈ રહી છે? રાજદ્રોહના કેસ બાદ જેલની અંદર ગયેલા નવનીત રાણાએ પૂછ્યું કે આખરે તેમનો ગુનો શું હતો? તેમણે કહ્યું કે જો હનુમાન ચાલીસા વાંચવી કે ભગવાનનું નામ લેવું ગુનો છે તો તે 14 દિવસ નહીં પણ 14 વર્ષની સજા ભોગવવા તૈયાર છે. 

નવનીત રાણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે કોઈ ખાસ કેસ વિશે વાત નહીં કરે, પરંતુ લોકઅપથી જેલ સુધી તેના પર કેવા અત્યાચારનો સામનો કરવો પડ્યો તે વિશે તે પછી વાત કરશે.

અમરાવતીના સાંસદે વધુમાં કહ્યું કે અમારી લડાઈ ચાલુ રહેશે. સીએમ ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી લડવા માટે પડકાર ફેંકતા કહ્યું કે જે રીતે મારા પર અત્યાચાર કરવામાં આવ્યો તેનો જવાબ મહારાષ્ટ્રની જનતા આપશે. નવનીત રાણાએ કહ્યું કે મહારાષ્ટ્રની જનતા કહેશે કે રામ અને હનુમાનનો વિરોધ કરનારાઓનું શું પરિણામ આવે છે.

નવનીત રાણાએ જેલમાં પોતાની સામે ગેરવર્તણૂકનો આરોપ લગાવતા કહ્યું કે, તેમને સવારે છ વાગ્યા સુધી ઊભા રાખવામાં આવ્યા હતા અને તેમને કોઈ સુવિધા આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે જેલની અંદર કોઈ આરોગ્ય  સુવિધા આપવામાં આવી નથી. નવનીતે વધુમાં કહ્યું કે જે રીતે કોર્ટે કહ્યું કે રાજદ્રોહનો કેસ ન બને, તેને ન્યાયમાં પૂરો વિશ્વાસ છે.

અગાઉ, મુંબઈની એક વિશેષ અદાલતે કહ્યું હતું કે સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ "સંવિધાન હેઠળ ખાતરીપૂર્વકની અભિવ્યક્તિની સ્વતંત્રતાની મર્યાદાને નિઃશંકપણે ઓળંગી છે", પરંતુ માત્ર અપમાનજનક અથવા વાંધાજનક શબ્દોની અભિવ્યક્તિ એ  તેમની સામે રાજદ્રોહના આરોપો લગાડવાના આધારો પૂરતા નથી. 

કોર્ટે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની દંપતીની જાહેરાતનો હેતુ "હિંસક રીતે  સરકારને ઘેરવાનો" નહોતો. તેમના નિવેદનો "ખામીયુક્ત" હોવા છતાં, તેઓ તેને રાજદ્રોહના આરોપ હેઠળ લાવવા માટે પૂરતા નથી.

સ્પેશિયલ કોર્ટના જજ આર.એન.રોકડે બુધવારે લોકપ્રતિનિધિ દંપતીને જામીન આપતાં આ ટિપ્પણી કરી હતી. ઓર્ડરની વિગતવાર નકલ શુક્રવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 124A (રાજદ્રોહ) હેઠળ આ તબક્કે દંપતી સામે પ્રથમદર્શી આરોપો મૂકવામાં આવ્યા નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
Embed widget