શોધખોળ કરો

NCP Working President: અજીત પવારને લઈ શરદ પવારે આપ્યો જવાબ

શરદ પવારે કહ્યું હતું કે, કેટલાક સાથીઓને જવાબદારી સોંપવી જોઈએ. આ વિચારીને પ્રફુલ પટેલને રાજસ્થાન અને ગોવાની, સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ યુથ વિંગની જવાબદારી સોંપવામાં આવી છે.

Sharad Pawar On NCP Working President: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે પાર્ટીના 25મા સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન એક મોટી જાહેરાત કરી હતી. તેમણે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જાહેર કર્યા હતા. આ મામલે શરદ પવારે ખુલાસો કર્યો છે. 

શરદ પવારે કહ્યું હતું કે, કેટલાક સાથીઓને જવાબદારી સોંપવી જોઈએ. આ વિચારીને પ્રફુલ પટેલને રાજસ્થાન અને ગોવાની, સુપ્રિયા સુલેને મહારાષ્ટ્ર, હરિયાણા અને પંજાબ યુથ વિંગની જવાબદારી સોંપવામાં આવી છે. અમને ખુશી છે કે, અમારા સાથીઓએ આ જવાબદારી સ્વિકારી લીધી છે. આવતા મહિને એક જનરલ બોડીની બેઠક બોલાવવામાં આવશે તેમ તેમણે કહ્યું હતું.

નીતીશ કુમાર દ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકને લઈને શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે, અમે 23મીએ પટનામાં બેઠક કરી રહ્યા છીએ. અમે લોકસભા અને રાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરીશું. આગામી ત્રણ-ચાર મહિનામાં રાજ્યની ચૂંટણીમાં અમારે મજબૂતીથી કામ કરવાનું છે. કર્ણાટકમાં ભાજપે હનુમાનજીનું નામ લઈને વોટ માંગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકોએ તેને નકારી દીધો હતો. ભાજપ હંમેશા સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કરતી આવી છે તેમ શરદ પવારે કહ્યું હતું. 

PMના ચહેરા વિશે શરદ પવારે શું કહ્યું?

પીએમના ચહેરા અંગે શરદ પવારે કહ્યું હતું કે, 1976-77માં કોઈની પાસે બહુમતી નહોતી. જનતા પાર્ટીએ સરકાર બનાવી, મોરારજી દેસાઈ પીએમ બન્યા. જો તે 1977માં શક્ય બન્યું હતું તો આજે પણ બની જ શકે છે. આ સાથે જ અજિત પવારને લઈને તેમણે કહ્યું કે, માનવામાં આવે છે કે તેઓ નારાજ છે પરંતુ એ બિલકુલ ખોટું છે. અજિત પવાર પાસે મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની જવાબદારી છે. તેમના નામ તેમના સાથીઓએ જ સૂચવ્યા હતા.

ગોડસે-ઔરંગઝેબ વિવાદ પર શું કહ્યું?

પવારે વધુમાં કહ્યું હતું કે, બિનજરૂરી મુદ્દાઓને મુદ્દા બનાવવામાં આવી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા કથળી રહી હતી, જેના કારણે ત્રણ-ચાર જગ્યાએ પથ્થરમારો થયો હતો. મહારાષ્ટ્રમાં બની રહેલી ઘટનાઓ અંગે તેમણે કહ્યું હતું કે, આ હિંસા માટે સાંપ્રદાયિક હિંસાને પ્રોત્સાહન આપતી શક્તિઓ જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારની છે. કાયદો હાથમાં લેનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget