શોધખોળ કરો

Nehru Memorial: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલાયું, જાણો હવે ક્યા નામે ઓળખાશે

Nehru Memorial Museum: આ વર્ષે જૂનમાં નેહરુ મેમોરિયલનું નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. હવે સ્વતંત્રતા દિવસ નિમિત્તે તેનો અમલ કરવામાં આવ્યો છે.

PM Museum And Library Society: નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ હવે સત્તાવાર રીતે બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસના અવસર પર નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નામ પરિવર્તન સોમવાર (14 ઓગસ્ટ)થી લાગુ થઈ ગયું છે.

પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના વાઇસ ચેરમેન એ. સૂર્ય પ્રકાશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "સમાજના લોકશાહીકરણ અને વૈવિધ્યકરણને અનુરૂપ, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (NMML) હવે 14મી ઓગસ્ટ 2023થી પ્રભાવી વડાપ્રધાનનું સંગ્રહાલય અને પુસ્તકાલય (PMML) સોસાયટી છે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ!"

નામ બદલવાનો નિર્ણય જૂનમાં લેવામાં આવ્યો હતો

જૂન 2023 માં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠકમાં, નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં એ. સૂર્ય પ્રકાશે જણાવ્યું કે નામ બદલવાની પ્રક્રિયા જૂનમાં શરૂ થઈ હતી અને તે માત્ર સંયોગ છે કે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કામ પૂર્ણ થયું હતું.

નામ બદલવાનો નિર્ણય કેમ લેવાયો?

નવી દિલ્હીમાં આવેલ તીન મૂર્તિ ભવન એ ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન હતું. બાદમાં આ સંકુલને મ્યુઝિયમમાં ફેરવવામાં આવ્યું અને નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાયબ્રેરીની સ્થાપના કરવામાં આવી. 2016 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિચાર રજૂ કર્યો હતો કે તીન મૂર્તિ સંકુલની અંદર ભારતના તમામ વડા પ્રધાનોને સમર્પિત એક સંગ્રહાલય હોવું જોઈએ, જેને નેહરુ મેમોરિયલની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

વર્ષ 2022 માં, વડાપ્રધાનોને સમર્પિત આ મ્યુઝિયમ પૂર્ણ થયું, ત્યારબાદ એપ્રિલ 2022 માં તેને લોકો માટે ખોલવામાં આવ્યું. તમામ વડા પ્રધાનોનું મ્યુઝિયમ બન્યા પછી, એક્ઝિક્યુટિવ કાઉન્સિલને લાગ્યું કે તેનું નામ વર્તમાન સ્વરૂપને પ્રતિબિંબિત કરવું જોઈએ. આ કારણોસર નામ બદલવાનો નિર્ણય ગત જૂનની બેઠકમાં લેવાયો હતો. પીએમ મોદીના મુખ્ય સચિવ રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રા પીએમ મ્યુઝિયમની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના પ્રમુખ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાનGujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.